Mukhya Samachar
Gujarat

અમદાવાદમાં નિર્માણધીન બિલ્ડીંગમાં 7માં માળેથી લિફ્ટ પડતાં 7 શ્રમિકોના મોત!

7 workers died when the lift fell from the 7th floor in an under-construction building in Ahmedabad!

અમદાવાદ શહેરમાં મોટી દુર્ઘટના ઘટી છે. ગુજરાત યુનિવર્સિટી પાસે આવેલી એસ્પાયર 2 નામની બિલ્ડિંગનું બાંધકામ ચાલુ હતુ. આ દરમિયાન બાંધકામમાં વપરાતી લિફ્ટ સાતમા માળેથી અચાનક તૂટીને નીચે પડી હતી. જેના કારણે 6 શ્રમિકોના મોત નીપજ્યા છે. આ સાથે બે લોકો ગંભીર રીતે ઘાયલ હોવાની માહિતી મળી રહી છે.

હાલ પોલીસના મોટા અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચીને ત્યાં વધુ તપાસ કરી રહ્યા છે. પોલીસ અધિકારીઓ આ નિર્માણાધીન બિલ્ડિંગ સાથે સંકળાયેલા લોકોની પણ તપાસ કરી રહ્યા છે.

આ અંગે આસપાસના સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે, તેઓ આ દુર્ઘટના જ્યાં ઘટી ત્યાં પાસેની બિલ્ડિંગમાં જ કામ કરે છે. તેઓ જ્યારે સવારે 10 વાગ્યાની આસપાસ અહીં આવ્યા ત્યારે આ દુર્ઘટના બની ગઇ હતી. જે લોકો પાસેની બિલ્ડિંગમાં હાજર હતા તેમને બહું જ મોટો અવાજ આવ્યો હતો. જેથી તરત જ તેઓ નીચે આવ્યા હતા.

7 workers died when the lift fell from the 7th floor in an under-construction building in Ahmedabad!
મૃતકોના નામ
1. સંજયભાઈ બાબુભાઇ નાયક (ઉ.વ 20)
2. જગદીશભાઈ રમેશભાઈ નાયક (ઉ.વ 21)
3. અશ્વિનભાઈ સોમાભાઈ નાયક (ઉ.વ 20)
4. મુકેશ ભરતભાઈ નાયક (ઉ.વ 25)
5. રાજમલ સુરેશભાઇ ખરાડી (ઉ.વ 25)
6. પંકજભાઇ શંકરભાઇ ખરાડી (ઉ.વ.21)

ઘટના અંગે પ્રત્યક્ષદર્શીઓ જણાવી રહ્યા છે કે, તમામ મૃતકો પુરુષ છે અને ગોધરાના રહેવાસી છે. આ લિફ્ટ 13મા માળેથી નીચે પડ્યા હતા. આ તમામ મૃતકો સેન્ટિંગનું કામ કરતા હતા. ચાલુ બાંધકામ દરમિયાન આ દુર્ઘટના બની હતી.

ફાયરની ટીમના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, ‘આ દુર્ઘટના બાદ તેમણે કોઇપણ પ્રકારની જાણ કરવામાં આવી ન હતી. મીડિયામાંથી લોકોના ફોન આવતા તેઓ આ સ્થળે પહોંચ્યા છે અને આગળની તપાસ ચાલી રહી છે. નોંધનીય છે કે, આ દુર્ઘટના દસ વાગ્યાની આસપાસ બની છે. પરંતુ અધિકારીઓ જણાવી રહ્યા છે કે, બપોરના એક વાગ્યા સુધી પણ કોઇને જાણ કરવામાં નથી આવી. સેફ્ટી નિયમોનું પાલન છે કે નહીં તેની તપાસ થશે’

Related posts

આજથી કિશોરોને કોરોનાની રસી આપવાનો પ્રારંભ થયો

Mukhya Samachar

શક્તિપીઠ બહુચરાજી મંદિરના વિકાસ માટે લેવાયો નિર્ણય! મંદિરના શિખરને 56 ફૂટ ઊંચે લઈ જવાશે

Mukhya Samachar

સૌરાષ્ટ્રની મોટી રાજકોટ દાણાપીઠે બંધ પાળ્યું! કરિયાણા પર 5% GST લાદવાનો વિરોધ

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy