Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

બનાસકાંઠાના થરાદ ખાતે PM મોદીની સભામાં એક વ્યક્તિ મંડપના નટ બોલ્ટ ખોલતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ચાલુ સભામાં એક વ્યક્તિ મંડપના નટ બોલ્ટ ખોલી રહ્યો છે. જોકે આ શખ્સની આવી હરકતના કારણે જો કોઇ મોટી દુર્ઘટના ઘટી હોત તો કદાચ મોટી જાનહાનિ થઇ હોત. પરંતુ અહીં સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે, આખરે કોઈ પણ સુરક્ષા અધિકારીને PMની સભામાં આ વ્યક્તિ કેમ ન દેખાયો? શું આમાં કોઇનું ષડયંત્ર છે કે પછી આ શખ્સ માનસિક રીતે અસ્થિર છે? જેવાં અનેક સવાલો અહીં ઊભા થઇ રહ્યાં છે. આ વીડિયો બનાસકાંઠાના થરાદમાં આયોજિત વડાપ્રધાન મોદીની સભાનો હોવાનું કહેવાઇ…

Read More

ઉત્તર કોરિયા દ્વારા બેલેસ્ટિક મિસાઈલ છોડવાને કારણે દક્ષિણ કોરિયાથી લઈને જાપાન સુધી હાડકંપ મચી ગયો છે. આ પછી જાપાનમાં રેડ સાયરન વાગવા લાગ્યા તો બીજી તરફ સાઉથ કોરિયા પણ ભડક્યું હતું. આ ઘટના બાદ દક્ષિણ કોરિયાએ કહ્યું કે રાષ્ટ્રપતિએ તાત્કાલિક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાના સમાચાર નથી બેલેસ્ટિક મિસાઈલ દક્ષિણ કોરિયાના જળસીમા નજીક પડ્યાના થોડા સમય બાદ ઉત્તર કોરિયા દ્વારા ઓછામાં ઓછી 10 અલગ-અલગ પ્રકારની બેલેસ્ટિક મિસાઈલો છોડવામાં આવી હતી. સૌ પ્રથમ સિઓલ સૈન્યએઆની પુષ્ટિ કરી હતી. ઉત્તર કોરિયાના મિસાઈલ પ્રક્ષેપણથી પૂર્વ એશિયામાં યુદ્ધનો ખતરો વધી ગયો છે. બુધવાર, 2 નવેમ્બર, 2022ની સવારે…

Read More

મોરબીની દર્દનાક ઘટનાની આખું ગુજરાત હચમચી ગયું છે. ત્યારે આ કરુણ ઘટના બાદ દેવભૂમિ દ્રારકા જિલ્લાનું તંત્ર પણ સફળુ જાગ્યું છે. ઓખા-બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ સર્વિસ અંગેના મીડિયા અહેવાલ બાદ તંત્ર હરકતમાં આવ્યું છે. તંત્ર દ્વારા તાબડતોબ પગલાં લઇને 25 જેટલી બોટનો પરવાનો 7 દિવસ માટે અને 1 બોટનો પરવાનો અચોકસ મુદત માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. ગુજરાત મેરી ટાઇમ બોર્ડની આ કાર્યવાહીને લોકોએ આવાકારી હતી. ફેરી બોટ ધારકો દ્વારા ક્ષમતા કરતા વધુ પેસેન્જર ભરતા તેમજ નિયત નિયમોનું પાલન ન કરતા તંત્રએ લોક હિતમાં સલામતીના ભાગરૂપે નિર્ણય લીધો હતો. મોરબીમાં બનેલી દર્દનાક ઘટનામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા…

Read More

135 લોકોનાં જીવ લેનારી મોરબી દુર્ઘટના મામલે આજે ગુજરાતમાં રાજ્યવ્યાપી શોક પાળવામાં આવશે. રાજ્ય સરકારે આજે, 2 નવેમ્બરે રાજ્યમાં શોક જાહેર કર્યો છે. રાજ્યમાં સરકારી ઇમારતો પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ રાખવામાં આવશે તેમજ કોઈ સરકારી જાહેર સમારંભો, સત્કાર સમારોહ કે મનોરંજન કાર્યક્રમો યોજાશે નહીં. આ ઉપરાંત મોરબીમાં બપોરે 12.00 વાગે મૌન રેલી કાઢવામાં આવશે. મોરબીનાં સિરામિક, ઘડિયાળ, પેપરમિલ, પોલીપેક અને ટ્રાન્સપોર્ટ સહિતના ઉદ્યોગોએ આજે એક દિવસ માટે ધંધા રોજગાર બંધ રાખી મૃતાત્માઓને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. વેપારી એસોસિએશન દ્વારા મોરબી બંધ રાખવામાં આવ્યા બાદ મંગળવારે સિરામિક એસોસિએશન, પેપરમિલ એસોસિએશન, પોલીપેક એસોસિએશન, ઘડિયાળ ઉદ્યોગ અને ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા એક દિવસ માટે…

Read More

રાજકીય પક્ષો ચૂંટણી પહેલા મફતમાં સુવિધાઓ આપવાનું વચન આપતા રહે છે. મંગળવારે સુપ્રીમ કોર્ટે કહ્યું કે ત્રણ જજોની બેંચ આ પ્રથા વિરુદ્ધ સંપૂર્ણ સુનાવણી કરશે. મુખ્ય ન્યાયાધીશ ઉદય ઉમેશ લલિત અને ન્યાયમૂર્તિ બેલા એમ. ત્રિવેદીની ખંડપીઠે ચૂંટણી પ્રચાર દરમિયાન મફત પુરવઠાના વચન પર સ્ટે માંગતી ત્રણ ન્યાયાધીશોની બેન્ચ સમક્ષ અરજીની યાદી બનાવવાનો નિર્દેશ આપ્યો હતો. સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે વિવાદની પ્રકૃતિ અને અગાઉની સુનાવણીમાં પક્ષકારો દ્વારા કરાયેલી દલીલોને ધ્યાનમાં રાખીને આ બાબતને વહેલી તકે સૂચિબદ્ધ કરવામાં આવે.વાસ્તવમાં, વરિષ્ઠ વકીલ અને બીજેપી દિલ્હીના ભૂતપૂર્વ પ્રવક્તા અશ્વિની ઉપાધ્યાયે જાહેર હિતની અરજી દાખલ કરી હતી, જેમાં ચૂંટણી પંચને પ્રચાર દરમિયાન રાજકીય પક્ષોને…

Read More

મોરબી બ્રિજ દુર્ઘટનાના ત્રીજા દિવસએ આજે PM મોદીની અધ્યક્ષતામાં મોરબી SP કચેરી ખાતે હાઈલેવલ મીટિંગ યોજાઇ રહી છે. આ દરમિયાન પુલ દુર્ઘટનાની સમીક્ષા કરવામાં આવી રહી છે. આ બેઠકમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી, મુખ્યસચીવ, કલેકટર સહીત ટોચના મંત્રીઑ અને અધિકારીઓ પણ હાજર રહ્યા છે. મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે બ્રિજ ધરાશાયી થવાની દુર્ઘટનામાં ઘવાયેલા પીડિતોની મુલાકાત લીધા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોરબીમાં એસપી ઓફિસ ખાતે પહોંચ્યા હતા. જ્યાં હાઈલેવલ બેઠક યોજી દુર્ઘટનાની સમીક્ષા કરી સબંધિત વિભાગને જરૂરી નિર્દેશ આપશે. વડાપ્રધાન મોદી મોરબી સિવિલ ખાતે પહોંચ્યા હતા. ત્યારબાદ મોરબી સિવિલ હોસ્પિટલમાં મૃતકોના પરિજનો અને અસરગ્રસ્તોના હાલચાલ પૂછી રહ્યા છે. તેમણે  ઘટનાની…

Read More

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ‘SCO કાઉન્સિલ ઑફ હેડ્સ ઑફ ગવર્નમેન્ટ મીટિંગ’માં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ પછી, તેમણે તેમના ટ્વિટમાં કહ્યું કે અમને મધ્ય એશિયાઈ દેશોના હિતોને ધ્યાનમાં રાખીને SCO ક્ષેત્રમાં વધુ સારી કનેક્ટિવિટી જોઈએ છે. વિદેશ મંત્રીએ કહ્યું કે ચાબહાર પોર્ટ અને ઈન્ટરનેશનલ નોર્થ સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોર આ ક્ષેત્રમાં આર્થિક ક્ષમતાની શક્યતાઓ ખોલશે. આ કનેક્ટિવિટી પ્રોજેક્ટ્સે સભ્ય દેશોની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનું સન્માન કરવું જોઈએ અને આંતરરાષ્ટ્રીય કાયદાનો આદર કરવો જોઈએ.ડૉ. જયશંકરે કહ્યું, SCO સભ્યો સાથે અમારો કુલ વેપાર $141 બિલિયન છે, જે અનેકગણો વધવાની સંભાવના છે. વાજબી બજારની પહોંચ એ આપણા પરસ્પર લાભ માટે છે અને આગળ…

Read More

ગાયત્રી શક્તિપીઠ, ગાંધીનગરના રજત જયંતિ મહોત્સવ નિમિત્તે “શ્રીમદ્ પ્રજ્ઞાપુરાણ કથામૃતમ્” નું આયોજન કરવામાં આવ્યું છે. અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર અને યુગનિર્માણ યોજના પંડિત રામ શર્મા આચાર્ય દ્વારા સ્થાપિત નૈતિક, બૌધિક, સામાજિક અને સાંસ્કૃતિક પુનરુત્થાન માટે કાર્ય કરવું એક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય અભિયાન છે. ગાયત્રી શક્તિપીઠ સમાજમાં યોગ્ય, દિવ્ય અને સાત્વિક વાતાવરણની ભૂમિકા ઊભી કરવા માટે કાર્ય કરવાના મિશન સાથે આ સંસ્થા કાર્ય કરે છે. અત્યારનો યુગ અભુતપૂર્વ તથા અસાધારણ સમસ્યાઓનો યુગ છે. જે માનવનાં અસ્તિત્વને પડકાર ફેંકી રહ્યો છે. એનું નિદાન તથા સમાધાન ભૌતિક ક્ષેત્રમાં નથી, પણ આધ્યાત્મિક ક્ષેત્રમાં છે. લોકમાનસને શ્રેષ્ઠતા તરફ લઈ જવા, પતન તરફ જઈ રહેલા પ્રવાહને…

Read More

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ગ્રીન એડમિનિસ્ટ્રેટિવ બ્લોક ધરાવતી ગુજરાત રાજ્યની પ્રથમ સ્ટેટ યુનિવર્સિટી , શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટી બિલ્ડીંગના નવા એડમિનિસ્ટ્રેટીવ ભવનનું ઈ-લોકાર્પણ કર્યુ હતું. ઈ લોકાર્પણ થતાજ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી રાજ્યનીપ્રથમ ગ્રીન એડમિનિસ્ટ્રેટિવ બિલ્ડિંગ ધરાવતી કોલેજનું બહુમાન મેળવી લીધુ હતું.આનાથી આવનારા સમયમાં વિદ્યાર્થીઓેને ઘણો ફાયદો થશે. પંચમહાલ જિલ્લાની આંન બાન અને શાન માનવામાં આવતી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી ત્યારે યુનિવર્સિટી પાસે પોતાનું બિલ્ડિંગ પણ નહતું . ત્યારે પોલીટેકનિક કોલેજના બિલ્ડિંગમાં ટેમ્પરવરી ધોરણે યુનિવર્સિટીના કામ કાજ શરૂ કરી દેવામાં આવ્યા હતા. માત્ર ગણતરીની કોલેજો અને ખૂબ ઓછા કોર્સિસ સાથે શરૂ થયેલ યુનિવર્સિટી આજે પંચમહાલ , દાહોદ ,મહીસાગર , વડોદરા જિલ્લાના લાખો…

Read More

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોરબી પહોંચ્યા છે અને હવે તેઓ મૃતકોના પરિવારજનોને મળશે. ઉલ્લેખનીય છે કે, શહેરની ઐતિહાસિક વિરાસત સમાન ઝૂલતો પુલ મચ્છુ નદીમાં સમાયો છે. મણિમંદિર પાસે મચ્છુ નદી પર આવેલો ઝૂલતા પુલના વચ્ચેથી કટકાં થઈ ગયા છે. રવિવારને કારણે અનેક લોકો અહીં ફરવા આવ્યા હતા. ત્યારે સમી સાંજે અચાનક પુલ તૂટ્યો હતો અને પ્રવાસીઓ પુલ સાથે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતા જ લોકો દોડી આવ્યા હતા અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં 135 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મોરબીમાં ઝૂલતો પૂલ તૂટવાની દુર્ઘટનાને લઇને રાજ્ય હચમચી ગયું છે. આ હોનારતમાં 135 લોકોના મોત…

Read More