What's Hot
- આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો
- આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ
- આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
- રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે
- યોગી સરકારના મંત્રી ગુલાબો દેવી બન્યા માર્ગ અકસ્માતનો ભોગ, ટોલ પ્લાઝા પાસે કાફલાના અનેક વાહનો એકબીજા સાથે અથડાયા
- આ ખતરનાક મિસાઈલ ફાઈટર જેટ તેજસ Mk-1A માં પણ લગાવવામાં આવશે, પાકિસ્તાનની સાથે ચીન પણ ધ્રૂજશે
- લૂંટ દરમિયાન ઝવેરીની ગોળી મારી હત્યા, લોકોએ એક આરોપીને પકડીને માર માર્યો; ત્રણ ફરાર
- વેરાવળ જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પરિસર ખાલી કરાવાયું, પોલીસ વિભાગમાં ગભરાટ
Author: Mukhya Samachar
India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
સુપ્રીમ કોર્ટનો સરકારને આદેશ ગ્રામીણ અને ગરીબ વિદ્યાર્થીઓ માટે પરીક્ષા કેન્દ્રો 10 કિમીની અંદર જ રાખો જેથી કરીને ગ્રામીણ અને ગરીબ વિદ્યાર્થીઓને કોઈ અગવડ ન પડે ગામડાઓના ગરીબ વિદ્યાર્થીઓ દૂર દૂરના વિસ્તારોમાં પરીક્ષા આપવા માટે જતા હોય છે અને આવી સ્થિતિમાં તેમને ખૂબ તકલીફોનો સામનો કરવો પડતો હોય છે અને પરીક્ષા કેન્દ્રો દૂર હોવાને કારણે તેઓ ક્યારેય સમયસર પરીક્ષામાં હાજર પણ થઈ શકતા નથી અને તેમનું પેપર છૂટી જતું હોય છે અથવા તેઓ પરીક્ષામાં મોડા પડતા હોય છે. આવી સ્થિતિમાં ટાળવા માટે એક સ્કૂલ દ્વારા સુપ્રીમમાં સુનાવણી કરવામાં આવી હતી જેની પર મંગળવારે સુનાવણી ચાલી હતી. એક શાળા દ્વારા દાખલ…
રાજયમાં અરાજક તત્વો પાસેથી નુકસાનની ભરપાઈનો કાયદો લાવશે ગુજરાતમાં પણ લાગૂ થશે યોગી મોડલ અરાજક તત્વોને કંટ્રોલ કરવા માટે લેવાશે નિર્ણય ગુજરાતમાં ભાજપ સરકાર તોફાની તત્વો તરફથી સરકારી અથવા પ્રાઈવેટ પ્રોપર્ટીને નુકસાન પહોંચાડનારા લોકો પાસેથી રિકવરી કરવા માટેનો કાયદો ટૂંક સમયમાં લાવી શકે છે. તેનાથી સંબંધિત કાયદાને ઓર્ડિનેંસ દ્વારા રજૂ કરવાની તૈયારી છે. ત્યાર બાદ ભવિષ્યમાં સરકાર તેને વિધાનસભામાં બિલ તરીકે પાસ કરાવશે. ભાજપ શાસિત ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ પહેલાથી જ આ પ્રકારના કાયદાને લાગૂ કરી ચુક્યા છે, જે અંતર્ગત સરકારી અથવા પ્રાઈવેટ સંપત્તિને નુકસાનની ભરપાઈ કરવામાં આવે છે. આ પ્રસ્તાવિત કાયદો ગુજરાત રિકવરી ઓફ ડેમેઝ્સ ઓફ પબ્લિક એન્ડ…
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)નું ધ્યાન હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પર છે દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ મેચ દિલ્હીમાં રમાશે T20 આંતરરાષ્ટ્રીય શ્રેણી માટે પસંદ કરાયેલા ભારતીય ખેલાડીઓને 5 જૂન સુધીમાં નવી દિલ્હી પહોંચી જશે IPL 2022 ના સફળ આયોજન પછી, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)નું ધ્યાન હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પર છે. બોર્ડે પાંચ મેચોની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણી માટે પસંદ કરાયેલા ભારતીય ખેલાડીઓને 5 જૂન સુધીમાં નવી દિલ્હી પહોંચી જવા કહ્યું છે કારણ કે દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ મેચ દિલ્હીમાં રમાશે. બીસીસીઆઈએ સોમવારે (30 મે) ના રોજ તમામ ખેલાડીઓને સંદેશ મોકલ્યો છે કે 9 જૂનથી શરૂ થનારી પ્રથમ મેચ પહેલા કેટલાક પ્રેક્ટિસ…
PM મોદી સરકારના 8 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી કરવા શિમલા પહોંચ્યા PM મોદીનું સ્વાગત ફૂલોની વર્ષાથી કરાયું સીટીઓથી ઐતિહાસિક રિજ મેદાન સુધી રોડ શો યોજાયો PM મોદી તેમની સરકારના 8 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી કરવા શિમલા પહોંચ્યા છે.આ દરમિયાન PM મોદીનો કાફલો સીટીઓ થઈને રિજ મેદાન પહોંચ્યો હતો. જ્યાં PM મોદી પહેલા કારમાંથી બહાર નીકળ્યા અને ચાલતાં ચાલતાં લોકો સાથે હાથ હલાવીને લોકોનું અભિવાદન સ્વીકાર્યું. બીજી તરફ રોડની બંને સાઈડથી PM મોદીનું સ્વાગત કરવા ઉભેલા લોકોએ PM મોદી પર ફૂલોની વર્ષા કરીને તેમનું સ્વાગત કર્યું હતું. મહત્વનું છે કે, આ પહેલા PM મોદી અન્નાડેલ ગ્રાઉન્ડ પર હિમાચલના રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ…
લીચીમાં વિટામીન સી, પોટેશિયમ અને કાર્બોહાઈડ્રેટ ભરપૂર માત્રામાં જોવા મળે છે ત્વચાને ઓક્સિડેટીવ નુકસાનથી પણ બચાવે છે. ખીલ કે ખીલની સમસ્યાને દૂર કરવામાં લીચી ફાયદાકારક સાબિત થઈ શકે છે લીચીમાં વિટામીન સી, પોટેશિયમ અને કાર્બોહાઈડ્રેટ ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે ત્વચાને ડાઘ રહિત, સ્વસ્થ અને ચમકદાર બનાવવામાં મદદ કરે છે.લીચીમાં હાજર એન્ટીઓક્સીડેન્ટ તત્વ ત્વચાને મુક્ત રેડિકલની નકારાત્મક અસરોથી બચાવવાનું કામ કરે છે અને ત્વચાને ઓક્સિડેટીવ નુકસાનથી પણ બચાવે છે. ફાયદા અને ઉપયોગો: વૃદ્ધત્વના સંકેતોને ધીમું કરવા માટે, તમારા આહારમાં અને ત્વચાની સંભાળની નિયમિતતામાં લીચીનો સમાવેશ કરો. ખરેખર, લીચી બ્લડ સર્ક્યુલેશન વધારે છે અને ત્વચાને યુવી કિરણોના નુકસાનથી પણ બચાવે…
સાઉથ સિનેમાની ફિલ્મ ‘મેજર’ ઘણાં સમયથી ચર્ચામાં આ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું દર્શકો ‘મેજર સંદીપ ઉન્નીકૃષ્ણન અમર રહે’ના નારા લગાવતા જોવા મળે છે સાઉથ સિનેમાની ફિલ્મ ‘મેજર’ ઘણાં સમયથી ચર્ચામાં છે. આ ફિલ્મ ટૂંક સમયમાં જ થિયેટરમાં રિલીઝ થવાની છે. ફિલ્મની સ્ટોરી મુંબઈ સ્થિત હોટેલ ‘તાજ’માં જે આતંકવાદી હુમલો થયો હતો તેમાં શહીદ થયેલા બાહોશ મેજર સંદીપ ઉન્નીકૃષ્ણનનાં જીવન ઉપર આધારીત છે. ફિલ્મ મેકર્સ આ ફિલ્મનું જોરદાર પ્રમોશન કરી રહ્યાં છે. જયપુર ખાતે આ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું જેમાં દર્શકો ફિલ્મ જોઈને ખૂબ જ ભાવુક થઈ ગયેલા અને રડતાં જોવા મળ્યા હતા. ‘મેજર’ના અભિનેતા આદિવી શેષે…
આજે છે વિશ્વ તમાકૂ નિષેધ દિવસ તમાકૂથી થતા નુકસાન વિષે જાગરૂકતા ફેલાવવાનો છે ઉદ્દેશ્ય આ વર્ષે પર્યાવરણને લગતી થીમ દુનિયાભરમાં દર વર્ષે 31 મેંનાં રોજ તમાકુ નિષેધ દિવસ મનાવવામાં આવે છે. આ દિવસને મનાવવાનો ઉદ્દેશ્ય તમાકુનાં ખતરા વિષે જાગરૂકતા ફેલાવવાનો છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર 2022માં વિશ્વ તમાકુ નિષેધ દિવસની થીમ ‘પર્યાવરણ માટે ખતરનાક છે તમાકુ’ છે. તમાકુનાં સેવનથી સ્વાસ્થ્યને ખૂબ જ નુકસાન પહોંચે છે. આ ખાસ દિવસ પર આ વિષે જાણકારી આપવામાં આવે છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર, દર વર્ષે લગભગ 80 લાખ લોકોનું મૃત્યુ તમાકુનાં સેવનથી થનાર બીમારીઓને કારણે થાય છે. તમાકુનાં સેવનથી હૃદય રોગ, સ્ટ્રોક, કેન્સર અને…
ગુજરાતના રાજકારણને લઇને સૌથી મોટા સમાચાર આગામી 2જી જૂને હાર્દિક પટેલ જોડાશે ભાજપમાં C.R પાટીલની હાજરીમાં હાર્દિક પટેલ કરશે કેસરિયા છેલ્લાં કેટલાંય સમયથી હાર્દિક પટેલને લઇને ગુજરાતના રાજકારણમાં ચાલતી અટકળોને હવે અંત આવશે. કારણ કે હાર્દિક પટેલનો ભાજપમાં પ્રવેશ હવે નક્કી થઇ ગયો છે. 2 જૂનના રોજ હાર્દિક પટેલ કમલમમાં CM ભૂપેન્દ્ર પટેલ અને C.R પાટીલની હાજરીમાં કેસરિયો ખેસ ધારણ કરશે. તેઓ કઈ પાર્ટીમાં જોડાવવાના છે તે નક્કી થઈ જ ગયું છે અને તેમનો આગળનો આખો પ્લાન પણ તૈયાર જ છે, બસ યોગ્ય સમય આવે એટલે સંપૂર્ણ માહિતી સાથે કઈ પાર્ટીમાં શા માટે જોડાઈ રહ્યો છું તેની સંપૂર્ણ માહિતી સાથે…
ગરમીમાં શિકંજીનુ સેવન ફાયદાકારક શરીરમાં નહીં થાય પાણીની કમી ગરમીમાં પાણીની તરસ બુઝાવશે મોટાભાગના લોકો શિકંજી બનાવવા માટે માર્કેટમાં મળતા જલજીરા પાઉડરનો ઉપયોગ કરે છે. પરંતુ તમે ઈચ્છો તો ઘરમાં શુદ્ધ જલજીરા પાઉડર બનાવી શકો છો. માર્કેટમાં મળતા જલજીરા પાઉડરમાં પ્રિજર્વેટિવ હોય છે, જે તમારા આરોગ્યને નુકસાન પહોંચાડી શકે છે. ઘરમાં ફ્રેશ ચીજ વસ્તુઓથી જલજીરા પાઉડર બનાવો. જેનાથી તમે ઝટપટ શિકંજી બનાવીને પી શકો છો અને લાંબા સમય સુધી તેને સ્ટોર કરીને પણ રાખી શકો છો. ઘરમાં ઈન્સ્ટન્ટ જલજીરા પાઉડર બનાવવાની સરળ રીત સામગ્રી ફૂદીનાના સૂકા પાંદડા- 1 કપ શેકેલુ જીરૂ- 4 નાની ચમચી સુકો આદુ પાઉડર- 1 નાની ચમચી…
મકાન બનાવવું હજુ વધુ મોંઘું થશે? સિમેન્ટ કંપનીઓ ગૂણી દીઠ સરેરાશ રૂ.55 વધારે તેવી સંભાવના સ્ટીલ, લોખંડ, સિમેન્ટ કંપનીઓના ઇનપુટ કોસ્ટ વધતા કિંમતોમાં વધારો યથાવત્ રશિયા-યુક્રેન યુધ્ધ ફેક્ટર સિમેન્ટ, સ્ટીલ તથા લોખંડ-કોલસા પર મોટા પાયે પડી છે. કિંમતોમાં થઇ રહેલા સતત વધારાના કારણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મોટા પાયે ફટકો પડ્યો છે. દેશમાં રિયલ એસ્ટેટ, ઇન્ફ્રા પ્રોજેક્ટની કામગીરી અટકી છે. છેલ્લા છ માસથી કિંમતો સતત વધી રહી છે. આગામી સમયમાં ઈન્ડિયા સિમેન્ટ લિમિટેડે સિમેન્ટના ભાવમાં પ્રતિ થેલી 55 રૂપિયાનો વધારો કરવાની યોજના બનાવી છે. આ ઉપરાંત અન્ય કંપનીઓ પણ ભાવ વધારાની તૈયારીમાં છે.કંપની 26,000 ચોરસ ફૂટ જમીનનો એક ભાગ વેચીને મિલકતનું ડિમોનેટાઇઝેશનની યોજના…

