What's Hot
- આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો
- આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ
- આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
- રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે
- યોગી સરકારના મંત્રી ગુલાબો દેવી બન્યા માર્ગ અકસ્માતનો ભોગ, ટોલ પ્લાઝા પાસે કાફલાના અનેક વાહનો એકબીજા સાથે અથડાયા
- આ ખતરનાક મિસાઈલ ફાઈટર જેટ તેજસ Mk-1A માં પણ લગાવવામાં આવશે, પાકિસ્તાનની સાથે ચીન પણ ધ્રૂજશે
- લૂંટ દરમિયાન ઝવેરીની ગોળી મારી હત્યા, લોકોએ એક આરોપીને પકડીને માર માર્યો; ત્રણ ફરાર
- વેરાવળ જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પરિસર ખાલી કરાવાયું, પોલીસ વિભાગમાં ગભરાટ
Author: Mukhya Samachar
India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
કોર્ટે 4 વર્ષ પહેલા આપેલા પોતાના ચુકાદાને બદલ્યો છે 34 વર્ષ જૂના રોડરેજના કેસમાં નવજોત સિંહ સિદ્ધુને સુપ્રીમ કોર્ટે 1 વર્ષની સખત સજા કરી છે સિદ્ધુ વિરુદ્ધ રોડરેજનો મામલો વર્ષ 1988નો છે 34 વર્ષ જૂના રોડરેજના કેસમાં પંજાબ કોંગ્રેસના પૂર્વ પ્રેસિડન્ટ નવજોત સિંહ સિદ્ધુને સુપ્રીમ કોર્ટે 1 વર્ષની સખત સજા કરી છે. સિદ્ધુએ કરેલા હુમલામાં એક વૃદ્ધનું મૃત્યુ થયું હતું. કોર્ટે 4 વર્ષ પહેલા આપેલા પોતાના ચુકાદાને બદલ્યો છે. તે સમયે સિદ્ધુને 1 હજાર રૂપિયાનો દંડ કરીને છોડી મુકવામાં આવ્યો હતો. સિદ્ધુની હવે ક્યાં તો ધરપકડ કરવામાં આવશે અથવા તો પછી તે સરન્ડર કરશે. પંજાબ પોલીસે આ મામલામાં કાયદાનું પાલન…
પાલિકા પ્રમુખના પતિ હર્ષદ પટેલે તેમને લાફો માર્યો હોવાનું જણાવ્યું હતું. ઉપપ્રમુખ રૂપલ પટેલ આવતાં તેમની વચ્ચે બોલાચાલી થઇ હતી ઉપપ્રમુખ રૂપલ પટેલ ગત સા.સભામાં સભ્યો જોડે નીચે બેઠેલા જોવા મળ્યા હતા. વિસનગર નગરપાલિકામાં બુધવારે પ્રમુખ વર્ષાબેન પટેલની ચેમ્બરમાં બેઠેલા પ્રમુખના પતિ હર્ષદ પટેલ અને પાલિકાના ઉપપ્રમુખ રૂપલ પટેલ વચ્ચે બોલાચાલી થતાં ઉપપ્રમુખે લાફો ઝીંકી દીધાની ઘટનાથી પાલિકામાં ભાજપમાં ચાલી રહેલા ખટરાગખૂલીને બહાર આવી ગયો છે. પાલિકા પ્રમુખના પતિ હર્ષદ પટેલે તેમને લાફો માર્યો હોવાનું જણાવ્યું હતું. જોકે, ઉપપ્રમુખ રૂપલપટેલે તેમને પ્રમુખની ખુરશીમાં બેઠેલા હોઇ ના પાડતાં તેમણે ચેમ્બરમાંથી બહાર નીકળી જવાનું કહેતાં મામલો ઉગ્ર બન્યો હોવાનું જણાવ્યું હતું. ઉલ્લેખનીય…
કોઈ તમારો છૂપી રીતે કૉલ રેકોર્ડ તો કરતુ નથી ને? અહીં અમે તમને સરળ ટ્રીક જણાવીશુ સરળતાથી જાણી શકશો કે કોલ રેકોર્ડ થાય છે કે નહીં લોકોની પ્રાઈવસી અને સિક્યોરિટીને ધ્યાનમાં રાખીને ગૂગલે થર્ડ પાર્ટી એપ દ્વારા કૉલ રેકોર્ડિગ પર પ્રતિબંધ લગાવી દીધો છે. જો કે, એન્ડ્રોઈડના જે ફોનમાં ડિફૉલ્ટ કૉલ રેકોર્ડિગ ફીચર છે, તેમાં હજી પણ કૉલને રેકોર્ડ કરી શકે છે, પરંતુ સવાલ એવો ઉઠે છે કે તમે કેવીરીતે જાણકારી મેળવશો કે સામેવાળો તમારી કૉલ રેકોર્ડ કરી રહ્યો છે કે નહીં. અહીં અમે તમને જણાવીશુ અમુક ટ્રીક જેની મદદથી તમે સરળતાથી જાણી શકો છો કે તમારી કૉલ રેકોર્ડ થઇ રહી છે કે નહીં.…
કોલકાતા નાઇટ રાઇડર્સ હવે આઇપીએલ માંથી બહાર રોમાંચક મેચમાં લખનઉનએ 2 રનથી હરાવ્યું છેલ્લી 3 ઓવરમાં પલટી ગઈ આખી બાજી કોલકાતા આની સાથે આઈપીએલ 2022થી બહાર થઇ ગયું છે. 211 રનનો પીછો કરવા ઉતરેલી કોલકાતા નાઇટ રાઇડર્સ આ મેચને લગભગ જીતી ચૂકી હતી, પરંતુ છેલ્લી ઓવરમાં રિંકૂ સિંહની વિકેટ પડતા જ સપનું તૂટી ગયું છેલ્લા બોલ પર કોલકાતાને 3 રનની જરૂરિયાત હતી, પરંતુ અહીં વિકેટ પડી અને લખનઉં જીતી ગયું. જણાવી દઇએ કે લખનઉંએ પહેલા બેટિંગ કરતા વગર કોઈ વિકેટ ગુમાવ્યે 210 રન બનાવ્યા હતા, જેના જવાબમાં કોલકાતાની ટીમ 8 વિકેટ ગુમાવીને 208 રન બનાવી શકી. કોલકાતા નાઇટ રાઇડર્સ આ હારની સાથે આઈપીએલ…
પંચાયત 2′ 18મેના રોજ ઓટીટી પર થઈ રીલીઝ નિર્માતાઓએ મજબૂરીને કારણે બે દિવસ પહેલા કરી રીલીઝ બે દિવસ પહેલા રીલીઝ થતાં ચાહકો ચોંકી ઉઠ્યા જીતેન્દ્ર કુમાર અભિનીત વેબસીરીઝ પંચાયતે લોકોનું ખૂબ દિલ જીત્યુ હતુ અને હવે એક વખત ફરીથી તેઓ પંચાયતની બીજી સિઝન લઇને આવી રહ્યાં છે. જો કે, આ વેબ સીરીઝને કાલે એટલેકે 20મેના રોજ રીલીઝ કરવાની હતી. પરંતુ નિર્માતાઓની મજબૂરીને પગલે કાલે એટલેકે 18મેના રોજ પંચાયત 2 ઓટીટી પર રીલીઝ કરી દીધી. ‘પંચાયત 2’ને નક્કી કરેલા સમયના બે દિવસ પહેલા રીલીઝ કરાતા લોકો ખૂબ ચોંકી ગયા છે. જેની પાછળ નિર્માતાઓની એક મજબૂરીને કારણ જણાવવામાં આવી રહ્યું છે. સીરીઝના…
વિવિધ પ્રસંગો માટે જૂતાની વિવિધ શૈલીઓ છે એથ્લેટિક શૂઝ, જેને સ્નીકર તરીકે પણ ઓળખવામાં આવે છે બેલે ડાન્સર્સ જ્યારે ડાન્સ કરે છે ત્યારે લેસ-અપ બેલે શૂઝ પહેરવામાં આવે છે વિવિધ પ્રસંગો માટે જૂતાની વિવિધ શૈલીઓ છે, જેમ કે એથ્લેટિક શૂઝ, ડ્રેસ શૂઝ, સેન્ડલ અને બૂટ,સરંજામ અથવા ઇવેન્ટ માટે જૂતાની યોગ્ય જોડી શોધવાનું પડકારરૂપ હોઈ શકે છે. એથ્લેટિક શૂઝ: એથ્લેટિક શૂઝ, જેને સ્નીકર તરીકે પણ ઓળખવામાં આવે છે, તેમાં રબરનો સોલ અને કેનવાસ ઉપરનો ભાગ હોય છે અને શારીરિક પ્રવૃત્તિ કરતી વખતે પહેરવા માટે ડિઝાઇન કરવામાં આવે છે. વિવિધ કાર્યો માટે વિવિધ પ્રકારના એથલેટિક જૂતા છે. રનિંગ શૂઝમાં પગને જમીનની અસરથી…
કોરોનાકાળમાં યોગ શીખી ઈન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું સતત 11 મિનિટ સુધી પિન્ડાસનયુક્તા સર્વાંગાસન કરીને રેકોર્ડ કર્યો લાઈવ વીડિયોથી વર્લ્ડ રેકોર્ડ ઓફ એક્સલન્સના સભ્યોએ નિદર્શન કર્યું હતું યોગ ક્ષેત્રમાં ભારત વિશ્વ ગુરુ બનવા તરફ આગળ વધી રહ્યું છે. તેમાં પણ કોરોના બાદ યોગનું મહત્વ સમજી લોકો યોગ તરફ આકર્ષાયા છે. ત્યારે નડિયાદની 26 વર્ષીય ટ્વિકલ યોગાશનોમાં કઠોર એવું ‘પિન્ડાસનયુક્તા સર્વાંગાશન’ સતત 11 મિનિટ સુધી કરીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. ગત તા.27 માર્ચના રોજ તેણીએ લાઈવ વિડીયોના માધ્યમથી પોતાની પ્રતિભા પ્રદર્શીત કરી વૈશ્વિક કક્ષાએ બેસેલા વર્લ્ડ રેકોર્ડ ઓફ એક્સલન્સની ટીમને આશ્ચર્યમાં મૂકી દીધી હતી. નડિયાદ શહેરના કપડવંજ રોડ પર આવેલ…
કાચી કેરીના આગમન સાથે અથાણાંની સીઝન શરૂ થઈ ગઈ છે ઘરનું અથાણું બજાર ભાવ કરતા 35 ટકા સસ્તુ બને છે. ગૃણીઓ સમગ્ર વર્ષ માટે અથાણું તેમજ છૂંદો બનાવવાની તૈયારીઓ કરતી હોય છે સ્વાદિષ્ટ અને ભરોસાપાત્ર ઘરનું અથાણું એક કિ લો અથાણાં માટે કેરી, મસાલો, તેલ, ગોળ, મીઠુ, હળદર ફક્ત રૂ.195માં પડે દેશમાં વધતી મોંઘવારી સાથે ખાદ્યચીજોનો ભાવમાં પણ ધરખમ વધારો થયો છે. બજારમાંથી તૈયાર ચીજ વસ્તુઓ લાવવા કરતા ઘરમાં સસ્તી, સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ચીજવસ્તુઓ બનાવવા તરફ ગૃહીણીઓ ભાર મુકી રહી છે. હાલ કાચી કેરીના આગમન સાથે અથાણાંની સીઝન શરૂ થઈ હોઈ ગૃહિણીઓ દ્વારા ઘરે જ અથાણું બનાવવાને પ્રાથમિકતા અપાઈ રહી…
વિશ્વના શ્રેષ્ઠ ભોજન ધરાવતા ટોચના દેશોનો સમાવેશ થયો છે કોરિયાનો હંમેશા તેના અનન્ય રાંધણકળા દ્વારા ઉલ્લેખ કરવામાં આવે છે. ભારતીય રાંધણકળા કદાચ વિશ્વની સૌથી લોકપ્રિય વાનગીઓમાંની એક છે આ લેખમાં, વિશ્વની સૌથી સ્વાદિષ્ટ ખાદ્ય સંસ્કૃતિ ધરાવતા દેશો પર સંશોધન કરવામાં આવ્યું છે . ઘણી સ્વાદિષ્ટ વાનગીઓ જોયા પછી આ વિશ્વના શ્રેષ્ઠ ભોજન ધરાવતા ટોચના દેશોનો સમાવેશ થયો છે. દેશના ખોરાક અને વિશ્વમાં ખ્યાતિની સંપૂર્ણ સમીક્ષા દ્વારા જે પરિણામો મળ્યા છે તે અહી રજુ કરવામાં આવ્યા છે . ચીન: ચાઇનીઝ ભોજન વિશે વિચારતી વખતે, ફક્ત ચોખા અને નૂડલ્સ વિશે વિચારીએ છીએ.પરંતુ ચોખા અને નૂડલ્સ ઉપરાંત, દેશ તમામ પ્રકારની માંસની વાનગીઓ માટે…
એનડીઆરએફને વડોદરામાં રાખી દેવાથી આપત્તિ સમયે વેળાસર મદદ પહોંચાડી શકાય એક જૂનથી કન્ટ્રોલ રૂમ શરુ કરી દેવામાં આવશે. તરવૈયાઓને એનડીઆરએફ પાસે તાલીમ અપાવવા માટે કલેક્ટરે સૂચન કર્યું ૧૮ આગામી ચોમાસની તુમાં સંભવિત અતિવૃષ્ટિને ધ્યાને રાખીને વડોદરા કલેક્ટરે વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે આજે આપદા વ્યવસ્થાપન અને પૂર્વ તૈયારીની સમીક્ષા કરી હતી. તેમણે પ્રાંત અધિકારીઓ, પોલીસ અધિકારીઓ અને મામલદારોને ભૂતકાળમાં પૂરમાં અસરગ્રસ્ત થયેલા ગામોની આગામી પખવાડિયા દરમિયાન મુલાકાત લઇ સ્થળ સ્થિતિનો તાગ મેળવવા સૂચના આપી હતી. આગામી એક જૂનથી કન્ટ્રોલ રૂમ શરુ કરી દેવામાં આવશે. ભૂતકાળમાં વિશ્વામિત્રી નદીમાં આવેલા પૂરના અનુભવને ધ્યાને રાખીને પૂર્વ તૈયારીઓ કરવી જોઇએ. આ પૂર વખતે એનડીઆરએફની ટીમને જરોદથી…

