Mukhya Samachar
Gujarat

રાજયમાં આગામી 3 દિવસ વરસાદની સંભાવના! જાણો શું કહ્યું છે હવામાન વિભાગે

Chance of rain in the state for the next 3 days! Know what the Meteorological Department has said

હાલ રાજ્યમાં વરસાદી માહોલ નથી. પરંતુ બફારા અને તાપથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. ત્યારે હવામાન વિભાગે વરસાદ અંગે આગાહી કરી છે. જેમાં 3 દિવસ રાજ્યમાં સામાન્ય વરસાદ રહેવાની આગાહી છે. રાજ્યમાં 9 અને 10 સપ્ટેમ્બરના રોજ વરસાદનું જોર વધવાની સંભાવના છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 15 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમા સૌથી વધુ નવસારીના જલાલપોરમાં 3.76 ઇંચ વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગના ડાયટેક્ટર, ડો. મનોરમાં મોહંતીના જણાવ્યા પ્રમાણે, વેસ્ટ બંગાળમાં લો પ્રેસર સિસ્ટમ બની રહી હોવાને લઈને વરસાદનું જોર વધશે. આગામી 3 દિવસ રાજયમાં સામાન્ય વરસાદ રહેશે. જ્યારે 9 અને 10 સપ્ટેમ્બરના રોજ વરસાદનું જોર વધવાની શકયતા છે. 9 અને 10 સપ્ટેમ્બરના રોજ દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, ડાંગ અને તાપીમાં વરસાદ વધુ પડી શકે છે. સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર આસપાસના વિસ્તારમાં ભારે વરસાદ રહેશે. 2થી 3 દિવસ બે ડિગ્રી જેટલું તાપમાન વધવાની આગાહી પણ કરવામાં આવી છે. હાલમાં અમદાવાદમમાં 35 ડિગ્રી આસપાસ તાપમાન થશે. જે વધીને 37 ડિગ્રી સુધી વધી શકે છે. વાદળછાયું વાતાવરણ દૂર થવાના કારણે તડકો સીધો પડતા તાપમાનમાં વધારો થયો છે.

Chance of rain in the state for the next 3 days! Know what the Meteorological Department has said

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, રાજ્યમાં હાલ વાવાઝોડાની કોઈ આગાહી નથી. રાજ્યમાં અત્યાર સુધીમાં 778 એમએમ વરસાદ પડ્યો છે. 7 સપ્ટેમ્બર બાદ લો પ્રેસર એરિયા બનશે તો વરસાદનું જોર વધી શકે છે. અમદાવાદ ગાંધીનગરમાં છુટોછવાયો વરસાદ વરસી શકે છે.દક્ષિણ અમદાવાદમાં વરસાદ રહી શકે છે.

છેલ્લા 24 કલાકમાંકુલ 15 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમા સૌથી વધુ નવસારીના જલાલપોરમાં 3.76 ઇંચ વરસાદ નોંધાયો છે. વલસાડમાં બે ઇંચ વરસાદ નોંધાયો છે. નવસારીમાં એક ઇંચ વરસાદ નોંધાયો છે. આ સાથે વલસાડના વાપી, ખેરગામ, પારડીમાં એક ઇંચથી ઓછો વરસાદ નોંધાયો છે. વલસાડના ઉમરગામ, કપરાડા, નિઝર, ધરમપુર, પલસાણા, જાંબુધોડ, સાંવરકુંડલા, સુરત અને સાગબારામાં પણ વરસાદ નોંધાયો છે.

Related posts

બનાસકાંઠામાં સ્ત્રી એ પોતાનું પાપ છુપાવવા માટે નવજાત શિશુને કેનાલ માં ફેંકી દીધું!

Mukhya Samachar

મોરબી બ્રિજ દુર્ઘટના અંગે ગુજરાત હાઇકોર્ટ નગરપાલિકા સામે લાલઘૂમ! કહ્યું: “ બ્રિજ ખોલવાની મંજૂરી કેમ આપવામાં આવી?”

Mukhya Samachar

ભરુચ પોલીસ બનશે નાયક! શહેરના 5 સ્થળોએ પોલીસે મૂક્યા સજેશન બોક્સ

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy