Mukhya Samachar
Gujarat

ચૂંટણી પહેલા સરકારની ચિંતા વધી: રાજયમાં ત્રણ આંદોલનો થયા શરૂ: સરકારી કર્મચારીઓ પણ લડીલેવાના મૂડમાં

Government's concern increased before elections: Three agitations started in the state: Government employees are also in a fighting mood
  • રાજ્ય સરકાર સામે વિરોધનો વંટોળ
  • માલધારી સમાજે ઢોર નિયંત્રણ કાયદો પરત લેવા માંગ
  • 72 કર્મચારી સંગઠન મેદાને આવ્યા

Government's concern increased before elections: Three agitations started in the state: Government employees are also in a fighting mood

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં સરકાર સામે મહાઆંદોલન શરૂ થવાના એંઘાણ શરૂ થયાં છે. જેમાં સૌ પ્રથમ માલધારી સમાજે ગાંધીનગરના ઝાંક ગામે કોંગ્રેસના ધારાસભ્ય રઘુ દેસાઈ અને લાખા ભરવાડના આગેવાનો તથા માલઘારી મહાપંચાયત સમિતિના સભ્યો ઉપસ્થિતીમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઢોર નિયંત્રણ કાયદાના વિરુદ્ધમાં માલધારીઓ ભેગા થઈ સરકાર લડી લેવાની વાત કરી હતી. તો વળી બીજી તરફ સરકારના કર્મચારીઓ દ્વારા મહાઆંદોલનની જાહેરાત કરવામાં આવી છે. આ આંદોલન અંતર્ગત રાજ્યના 72 સરકારી કર્મચારી સંગઠન એકમંચ પર આવશે અને ઘરણાંનો કાર્યક્રમ કરશે. તેમજ વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં ખેડૂતોના સતત બીજા પ્રતીક ઉપવાસ પર ઉતર્યા છે.પાણીની માગ સાથે બીજા દિવસે પ્રતીક ઉપવાસ પર બેઠા છે.વિધાનસભા ચૂંટણી પહેલાં મહાઆંદોલન શરૂ થવાના એંધાણ શરૂ થયાં છે. રાજ્ય સરકારના કર્મચારીઓ દ્વારા મહાઆંદોલનની જાહેરાત કરવામાં આવી છે. આ આંદોલન અંતર્ગત રાજ્યના 72 સરકારી કર્મચારી સંગઠન એક મંચ પર આવશે અને ઘરણાંનો કાર્યક્રમ શરૂઆત કરી છે.

Government's concern increased before elections: Three agitations started in the state: Government employees are also in a fighting mood

આ માટે ગુજરાત રાજ્ય કર્મચારી સંયુક્ત મોરચાની રચના પણ કરાઈ છે. જેથી આજે તમામ કર્મચારીઓ ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે ઘરણાં પ્રદર્શન કરશે.જેમાં આરોગ્ય, શિક્ષણ, પંચાયત, ન્યાય સહિતના 72 વિભાગના કર્મચારીઓ સામેલ થશે અને પોતાની અલગ-અલગ માગો સાથે વિરોધ પ્રદર્શન કરશે. કર્મચારીઓ સાતમા પગાર પંચનો લાભ, ફિક્સ પગાર યોજના નાબૂદ કરવી, અન્ય કેડરની પણ સળંગ સર્વિસ કરવી, અન્ય કેડરને પણ ઉચ્ચતર પગાર ધોરણ આપવું, 4200 ગ્રેડ પે, જૂની પેંશન યોજના ચાલુ રાખવી અને ફિક્સ પગારના કેસ સુપ્રીકોર્ટમાંથી પરત ખેંચવાની માગ સાથે પ્રદર્શન કરશે. માલધારી સમાજે ગાંધીનગરના ઝાંક ગમે બેઠકનું આયોજન કર્યું. જેમાં કોંગ્રેસના ધારાસભ્ય રઘુ દેસાઈ અને લાખા ભરવાડ સહિતના આગેવાનો તથા માલઘારી મહાપંચાયત સમિતિના સભ્યો પણ હાજર રહ્યા. ઢોર નિયંત્રણ કાયદાના વિરુદ્ધમાં માલધારીઓએ બેઠક બોલાવી છે. જેમાં કાયદો પરત નહીં ખેંચાવા પર આંદોલનની રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવશે, અગાઉ મુખ્યમંત્રીએ કાયદો પરત ખેંચવાની ખાતરી આપી હતી. આમ છતાં કાચદો પરત નહીં ખેંચાતા માલઘારી સમાજે બેઠક બોલાવી છે.

Related posts

રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અર્બન નકશલને લઈ સ્ફોટક નિવેદન આપ્યું! જાણો શું કહ્યું

Mukhya Samachar

રાજધાની દિલ્હી બાદ હવે અમદાવાદની હવા પણ બની ઝેરી! AQI નોંધાયું 200ને પાર

Mukhya Samachar

રાજકોટ યાર્ડમાં 2 દિવસથી ચાલતી શ્રમિકોની હડતાળ સમેટાઇ

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy