Mukhya Samachar
Astro

વિઘ્નહરતા ગણશેજીને મોદક સાથે આ પ્રસાદ પણ ચડાવો: દરેક દુખોનું થશે નિવારણ

Offer this Prasad along with Modakan to Vighnaharta Ganasheji: Every sorrow will be alleviated
  • ભગવાન ગણેશને ચઢાવો આ ભોગ
  • દરેક મનોકામનાઓ થશે પુરી
  • સાથે જ દરેક દૂખોમાંથી મળશે છુટકારો

Offer this Prasad along with Modakan to Vighnaharta Ganasheji: Every sorrow will be alleviated

હિંદુ ધર્મમાં ગણેશજીની પૂજાનું ખાસ મહત્વ છે. કોઈપણ શુભ અને માંગલિક કાર્યની શરૂઆત ગણેશ પૂજાથી કરવામાં આવે છે. જેથી કામ સરળતાથી પૂર્ણ થઈ શકે. ભગવાન ગણેશના આશીર્વાદ મેળવવા માટે ગણેશજીની પૂજા નિયમાનુસાર કરવામાં આવે છે અને વ્રત રાખવામાં આવે છે. તેનાથી પ્રસન્ન થઈને તે ભક્તોની ઈચ્છા પૂરી કરે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ગણપતિ બાપ્પાની પૂજા કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે. ભગવાન ગણેશની કૃપાથી ઘરમાં રિદ્ધિ-સિદ્ધિનો વાસ થાય છે.
એવું માનવામાં આવે છે કે સાચા મનથી ભગવાન ગણેશની પૂજા-અર્ચના કરવાથી ઘરમાં સુખ-શાંતિ રહે છે. ભગવાન ગણેશના આશીર્વાદ મેળવવા માટે, તેમની પ્રિય વસ્તુઓ અર્પણ કરવામાં આવે છે. ભોગમાં ગણેશજીને મોદક અર્પણ કરો. તેમજ પૂજામાં ધરો ચઢાવો.ભગવાન ગણેશને મોદક ઉપરાંત લાડવા પણ વધુ પસંદ છે.

Offer this Prasad along with Modakan to Vighnaharta Ganasheji: Every sorrow will be alleviated

તેથી ગણપતિની પૂજા દરમિયાન તેમને લાડવા પણ અર્પણ કરી શકાય છે. ધાર્મિક દ્રષ્ટિકોણથી પણ ગણેશજીને લાડુ વધુ પ્રિય છે. લાડુમાં તેને ચણાના લોટના લાડુ વધુ પસંદ છે. તેથી પૂજાના સમયે ભગવાન ગણેશને ચણાના લોટના લાડુ પણ અર્પણ કરી શકાય છે.ભગવાન ગણેશને ખીર પણ વધુ પ્રિય છે. પૌરાણિક કથાઓ અનુસાર, જ્યારે માતા પાર્વતી ખીર બનાવતા હતા ત્યારે ગણેશજીને ખીર પ્રિય હોવાના કારણે તે ખીરથી ભરેલો પ્યાલો પુરો ખાલી કરી દેતા હતા. એવામાં તમે પણ ભગવાન ગણેશજીને ખીરનો ભોગ લગાવી શકો છો.હિન્દુ ધર્મમાં કેળાને પવિત્ર સ્થાન આપવામાં આવ્યું છે. બધા દેવી-દેવતાઓને કેળા અર્પણ કરવામાં આવે છે. ભગવાન શ્રી ગણેશજીને કેળા અર્પણ કરવાથી તેમની કૃપા પ્રાપ્ત કરી શકાય છે. ભગવાન ગણેશને પણ કેળા ખૂબ જ પસંદ છે. માટે ગણેશજીને પ્રસન્ન કરવા માટે કેળાનો પણ સમાવેશ કરી શકાય છે.

Related posts

કામધેનુ ગાયની મૂર્તિ ખોલી દેશે તમારી કિસ્મત, ઘરમાં આ દિશામાં કરો સ્થાપિત

Mukhya Samachar

ઓગસ્ટ માહિનામાં આ ગ્રહોના રાશિ પરીવર્તનથી ધાર્યું ન હોય તેવા લાભ થશે! જાણો કઈ રાશિ માટે છે શુભ

Mukhya Samachar

14 અને 15 જાન્યુઆરીમાથી ક્યાં દિવસે ઉતરાયણ પુજા કરવી તે જાણો

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy