Mukhya Samachar
Gujarat

સુપ્રીમકોર્ટે કોરોના સહાય મુદ્દે ગુજરાત સરકારને ઝાટકી

Supreme Court slams Gujarat govt

સુપ્રીમ કોર્ટે કોરોના સહાય મુદ્દે ગુજરાત સરકારને ઝાટકી

મૃત્યુ સહાય ચૂકવીને તમે કોઈના પર ઉપકાર નથી કરતી: કોર્ટ

10 દિવસમાં જ વળતર ચૂકવવું જોઈએ: કોર્ટ

Supreme Court slams Gujarat govt
Supreme Court slams Gujarat govt over Koro aid

કોરોનાકાળમાં મૃત્યુ પામેલા દર્દીઓની મૃત્યુ સહાય અંગે ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં કબૂલાત કરી છે કે, સરકારી ચોપડે અત્યારસુધીમાં 10,579 મોત થયા છે. પરંતુ આની સામે કોરોનાની મૃત્યુ સહાય માટે એક લાખથી વધુ અરજીઓ આવી છે. જેમાં સરકારે 87 હજાર જેટલી અરજી મંજૂર કરી છે. આ મુદ્દે સુપ્રીમ કોર્ટે અવલોકન કર્યું છે કે, ઘણા રાજ્યોમાં કોરોના મૃત્યુ અંગે સરકારી આંકડા અને કોરોના સહાય માટે મંજૂર કરેલી અરજીના આંકડાઓમાં મોટો તફાવત છે. આટલા બધા ક્લેમ ખોટા ન હોઈ શકે, માટે હવે સરકારે સહાય માટે જેટલી અરજીઓ મંજૂર કરી છે તેના આંકને જ ઓફિશિયલ કોરોના ડેથ ગણવાની જરૂર છે. રાજ્ય સરકારોએ ઓફિશિયલ આંકડામાં સુધારો કરવાની જરૂર છે. બીજું કે, કોરોના માટેની સહાયના આપીને રાજ્ય સરકારો એવું બિલકુલ ના માને કે તે પ્રજા કે કોઈની

રાજ્યની લીગલ સર્વિસ ઓથોરિટી (SLSA) સાથે સંકલન કરીને કોવિડ-19ના મૃતકોના પરિવારને મૃત્યુ સહાયની ચૂકવણીમાં સહાયતા કરશે. આ સિવાય મૃતકોની વિગતો છૂપાવવા બાબતે બદનામ થયેલી રાજ્ય સરકારોને નિર્દેશ કર્યો છે કે, તેઓ SLSAને નામ, સરનામાં ઉપર ઉપકાર કરી રહી છે.

Supreme Court slams Gujarat govt
Supreme Court slams Gujarat govt over Koro aid

 

જસ્ટિસ એમ આર શાહ તથા જસ્ટિસ બી વી નાગરત્નની બેન્ચે તમામ રાજ્ય સરકારો તથા કેન્દ્રશાસિત પ્રદેશોને એક સમર્પિત નોડલ ઓફિસરની નિમણૂંકનો પણ આદેશ આપ્યો છે. આ નોડલ ઓફિસર જે-તે રાજ્યના મુખ્યમંત્રી સચિવાલયમાં ડેપ્યૂટી સેક્રેટરી સ્તરના હોવા જોઈએ. નોડલ ઓફિસરો અને મરણના પ્રમાણપત્ર ઉપરાંત અનાથ થયેલા બાળકોની સંપૂર્ણ વિગતો પણ આજથી (શુક્રવાર) એક સપ્તાહમાં જ આપે. જો આમ નહીં થાય તો આના ગંભીર પરિણામો આવશે.

કોર્ટે નોંધ્યું કે વેલ્ફેર સ્ટેટ તરીકે સરકારની વળતર આપવાની જવાબદારી છે, કારણ કે રાજ્ય સરકાર વળતર ચૂકવીને કોઈની પર ઉપકાર નથી કરતી. તે ઉપરાંત કોઈ કારણોસર સહાય અરજીઓ નામંજૂર ન થવી જોઈએ, તેમ પણ સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યોને આદેશ કર્યો છે. આ માટે સરકારોએ બજેટમાં પ્રોવિઝન કરવાની જરૂર નથી, પણ ચીફ મિનિસ્ટર કોવિડ રિલીફ ફન્ડ કે સ્ટેટ ડિઝાસ્ટર મેનજમેન્ટ ફન્ડમાંથી મૃતકોના પરિજનોના વળતર ચૂકવાય તેમ કહ્યું છે.

Related posts

રાજ્યનું પ્રથમ ATM જેવું એજ્યુકેશન કિઓસ્ક મશીન કચ્છમાં થયું કાર્યરત: જાણો શું છે તેની વિશેષતા

Mukhya Samachar

તમારા કામનું! રાજકોટમાં વડાપ્રધાનના કાર્યક્ર્મ અને રોડ શોને લઈ આ રસ્તાઓ, કરાયા બંધ!

Mukhya Samachar

હરામીનાળામાંથી BSFએ 9 પાકિસ્તાની બોટ પકડી

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy