Mukhya Samachar
Gujarat

મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને આજે કેબિનેટ બેઠક મળશે: જાણો કયા મુદ્દા પર થશે ચર્ચા

The Chief Minister will have a cabinet meeting today. Find out which issues will be discussed
  • આજે રાજ્યની કેબિનેટ યોજાશે બેઠક
  • CMની અધ્યક્ષતામાં યોજાશે બેઠક
  • જનતાના વિવિધ મુદ્દે થશે ચર્ચા

The Chief Minister will have a cabinet meeting today. Find out which issues will be discussed

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યમાં પાણી સ્થિતી સહિત વિવિધ વિષયો પર ચર્ચા કરાશે. આ બેઠકમાં રાજ્યમાં પાણીની સ્થિતિ અંગે કરાશે સમીક્ષા તેમજ રાજ્યમાં જળાશયમાં પાણીની સ્થિતિ તેમજ ચણાના ટેકાના ભાવે થયેલી ખરીદી બાબતે ચર્ચા કરવામાં આવી શકે છે. આ સાથે આગામી સમયમાં સરકારના વિવિધ જનતાલક્ષી કાર્યક્રમ બાબતે પણ ચર્ચા થશે.મહત્વનું છે કે, રાજ્યમાં ઉનાળાની શરૂઆત થતા જ ડેમ તળિયા ઝાટક થયા છે. પરિણામે રાજ્યમાં આગામી સમયમાં પીવાના પાણીની અછત સર્જાય તેવી શક્યતાઓ વર્તાઇ છે. રાજ્યના જળાશયોમાં માત્ર 53 ટકા જ પાણીનો જથ્થો નોંધાયો છે. જ્યારે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 50 ટકા કરતા પણ ઓછું પાણી રહેવા પામ્યુ છે. એટલે કે હજી તો ઉનાળો આખો લેવાનો બાકી છે ત્યાં જ અત્યારથી ડેમના તળિયા દેખાવા લાગ્યા છે.

The Chief Minister will have a cabinet meeting today. Find out which issues will be discussed

ત્યારે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આજે યોજાનારી કેબિનેટની બેઠકમાં રાજ્યના પાણીની સ્થિતી અંગે સમીક્ષા કરાશે. તેમજ બેઠકમાં પીવાના પાણી બાબતે જિલ્લા પ્રમાણે ચર્ચા થશેઉલ્લેખનીય છે કે, રાજ્યના કુલ 207 ડેમમાં 39 ટકા જેટલું પાણી બચ્યું છે. જ્યારે અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા સહિત 13 જિલ્લાના ડેમ ખાલી છે. વાત કરીએ કચ્છના 20 ડેમની તો તેમાં વાપરવા માટે 14 ટકાથી ઓછું છે. તેમજ ઉત્તર ગુજરાતના 15 ડેમોમાં 9 ટકા, મધ્ય ગુજરાતના 17 ડેમોમાં 43 ટકા તેમજ દક્ષિણ ગુજરાતના 13 ડેમોમાં 59 ટકા અને સૌરાષ્ટ્રના 141 ડેમોમાં વાપરવાનું 37 ટકાથી ઓછું પાણી બચ્યું છે.
મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આજે યોજાનારી કેબિનેટની બેઠકમાં રાજ્યના પાણીની સ્થિતી સાથે ચણાની ટેકાના ભાવે ખરીદી બાબતે ચર્ચા કરવામાં આવશે. તેમજ બજેટ બાદ વિવિધ યોજનાની નાણાકીય મંજૂરી બાબતે ચર્ચા કરવામાં આવશે. તેમજ આગામી સમયમાં સરકારના વિવિધ જનતાલક્ષી કાર્યક્રમ બાબતે પણ ચર્ચા થશે

Related posts

2008ના અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ: બોમ્બ બ્લાસ્ટના દોષિતો ફાંસીની સજા સામે હાઈકોર્ટમાં પહોંચ્યા, ચુકાદાને પડકાર્યો

Mukhya Samachar

PM મોદી અચાનક મોડી રાત્રે પાર્ટી ઓફિસ પહોંચ્યા, કાર્યકરો થયા ભાવુક, રણનીતિ પર કરી ચર્ચા

Mukhya Samachar

રાજકોટમાં ભારત અને દ.આફ્રિકાની મેચ પહેલા ટીમની કંઈક આવી રહી નેટ પ્રેક્ટીસ

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy