ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં ગુરુવારે સવારે એક મોટી દુર્ઘટના બની. જિલ્લાના ઘોલથીરમાં એક આખી બસ અલકનંદા નદીમાં ડૂબી ગઈ. અકસ્માત બાદ ઘટનાસ્થળે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને 7 લોકો ઘાયલ થયા હતા. ઘાયલોમાં 9 વર્ષના બે બાળકો પણ સામેલ છે. બંને ઘાયલ બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. SDRF ટીમ ઘટનાસ્થળે હાજર છે અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
10 મુસાફરો ગુમ
હાલમાં 10 મુસાફરો ગુમ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે, તેમને શોધવા માટે શક્ય તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ અકસ્માત બદ્રીનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર થયો હતો. તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક દિવસોથી કેદારનાથ અને રુદ્રપ્રયાગના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદને કારણે અલકનંદા નંદીમાં પાણીનો પ્રવાહ પણ ઝડપી છે. આવી સ્થિતિમાં, એવું કહેવામાં આવી રહ્યું છે કે બસ તેમાં પડી જવાથી ઘણા મુસાફરો તેના જોરદાર પ્રવાહમાં તણાઈ ગયા છે.
પોલીસ મુખ્યાલયના પ્રવક્તા આઈજી નીલેશ આનંદ ભરણેએ જણાવ્યું હતું કે, “રુદ્રપ્રયાગ જિલ્લાના ઘોલાતીર વિસ્તારમાં એક બસ નિયંત્રણ બહાર ગઈ અને અલકનંદા નદીમાં પડી ગઈ. અત્યાર સુધી મળેલી માહિતી અનુસાર, બસમાં 18 લોકો સવાર હતા.”