દિલ્હીના આઝાદ માર્કેટમાં મોટી દુર્ઘટના ઘટી છે. આઝાદ માર્કેટમાં એક નિર્માણધીન ઈમારત ધરાશાયી થઈ છે. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે. અનેક મજૂરો કાટમાળ નીચે દટાયેલા હોવાની આશંકા છે. અનેક ઘાયલ પણ થયા છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. એવી આશંકા છે કે 6થી 7 મજૂરો દટાયેલા હોઈ શકે છે. કેટલાક બાળકો પણ કાટમાળમાં દટાયેલા હોવાની આશંકા છે. ઘટનાસ્થળે રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે.
નિર્માણધીન ઈમારત ધરાશાયી થવાના સમાચાર ફાયર વિભાગને સવારે લગભગ સાડા આઠ વાગે મળ્યા હતા. ત્યારબાદ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને રાહત તથા બચાવ કાર્ય શરૂ કર્યું. સ્થાનિક લોકો પણ ઘટનાસ્થળે હાજર છે અને રેસ્ક્યૂ ઓપરેશનમાં મદદ કરી રહ્યા છે.
અત્રે જણાવવાનું કે દિલ્હીના આઝાદ માર્કેટમાં એક જૂની બિલ્ડિંગનું રિપેરિંગ કામ ચાલુ હતું. જે આજે તૂટી પડી. આ બધા વચ્ચે સવાલ ઉઠે છે કે શું કન્સ્ટ્રક્શનનું કામ શરૂ કરતા પહેલા એનઓસી લેવાઈ હતી?
Friday, 10 May 2024
Trending
- National News : હવે ટ્રેનોમાં આટલા પ્રકારના AC Coach લગાવાશે, બદલી રહ્યું છે ભારતીય રેલવે
- National News : ના હોય! પેસેંજર વગર દોડી રહી છે વંદે ભારત….રેલવે મંત્રીએ જણાવ્યું સત્ય
- National News : ચારધામ યાત્રા શરુ થાય તે પહેલા જ જોવા મળી તબાહી, વરસાદથી હાઈવે બંધ
- Tech News : ટૂંક સમયમાં ભારતમાં લોન્ચ થશે iQOO Z9X 5G, મળશે 6000mAh બેટરી અને 50MP કેમેરા
- Offbeat News : કબર ખોદકામમાં નીકળ્યું 2500 વર્ષ જૂનું હેલ્મેટ, વૈજ્ઞાનિકો ચોંકી ગયા, જાણો વિગત
- Travel News : હિલ સ્ટેશનથી ટાપુ સુધી, મુસાફરીનો દરેક વિકલ્પ ઉપલબ્ધ છે આસામમાં
- Fashion News : શું તમારે તમારા શરીર ને પરફેક્ટ શેપ આપવો છે, તો ઝરીન ખાનની આ ફેન્સી સલવાર-કમીઝ ટ્રાય કરો
- Food : ઘરે શાકભાજી નથી તો બનાવો આ ટેસ્ટી વાનગી, જાણો તેની રેસિપી