દિલ્હીના આઝાદ માર્કેટમાં મોટી દુર્ઘટના ઘટી છે. આઝાદ માર્કેટમાં એક નિર્માણધીન ઈમારત ધરાશાયી થઈ છે. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે. અનેક મજૂરો કાટમાળ નીચે દટાયેલા હોવાની આશંકા છે. અનેક ઘાયલ પણ થયા છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. એવી આશંકા છે કે 6થી 7 મજૂરો દટાયેલા હોઈ શકે છે. કેટલાક બાળકો પણ કાટમાળમાં દટાયેલા હોવાની આશંકા છે. ઘટનાસ્થળે રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે.
નિર્માણધીન ઈમારત ધરાશાયી થવાના સમાચાર ફાયર વિભાગને સવારે લગભગ સાડા આઠ વાગે મળ્યા હતા. ત્યારબાદ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને રાહત તથા બચાવ કાર્ય શરૂ કર્યું. સ્થાનિક લોકો પણ ઘટનાસ્થળે હાજર છે અને રેસ્ક્યૂ ઓપરેશનમાં મદદ કરી રહ્યા છે.
અત્રે જણાવવાનું કે દિલ્હીના આઝાદ માર્કેટમાં એક જૂની બિલ્ડિંગનું રિપેરિંગ કામ ચાલુ હતું. જે આજે તૂટી પડી. આ બધા વચ્ચે સવાલ ઉઠે છે કે શું કન્સ્ટ્રક્શનનું કામ શરૂ કરતા પહેલા એનઓસી લેવાઈ હતી?
Monday, 16 June 2025
Trending
- ભારે પવન અને વરસાદથી દિલ્હીનું વાતાવરણ બદલાયું, ગરમીથી રાહત, IMD એ ઘરની બહાર ન નીકળવાની સલાહ આપી
- Kedarnath Helicopter Crash: આર્યન કંપની સામે કેસ દાખલ, હવે ‘કમાન્ડ એન્ડ કોઓર્ડિનેશન સેન્ટર’ સ્થાપિત થશે
- એર ઇન્ડિયાના વિમાનમાં ફરી સમસ્યા, હોંગકોંગથી દિલ્હી આવતી ફ્લાઇટ પાછી ફરી
- ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને આજે અંતિમ વિદાય, પિતાના નિધન પર પુત્ર ઋષભની પહેલી પ્રતિક્રિયા
- અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ ફિલ્મ નિર્માતા ગુમ, છેલ્લું સ્થાન સ્થળથી 700 મીટર દૂર, પરિવારે DNA નમૂના આપ્યા
- SBI Amrit Vrishti FD: SBI એ આ ખાસ FD પર વ્યાજ ઘટાડ્યું છે, જાણો હવે તમને કેટલું મળશે?
- સરકારી હોય કે ખાનગી બેંક, તમને સૌથી સસ્તી લોન ક્યાં મળશે?
- પૈસાથી પૈસા કમાવવા માંગો છો! આ IPO આજથી ખુલવા જઈ રહ્યો છે, બોલી લગાવતા પહેલા બધું જાણી લો