અમદાવાદની એક ઈમારતમાં લિફ્ટ તૂટવાની ઘટના તાજી જ છે, 8 શ્રમિકોના મોતની ગુંજ હજી સંભળાઈ રહી છે. ત્યારે સુરતમાં સુરતમાં નિર્માણાધીન બિલ્ડિંગમાં દુર્ઘટના સર્જાઈ છે. સુરતમાં નિર્માણાધીન બિલ્ડિંગમાં દુર્ઘટનામાં 2 લોકોના મૃત્યુ થયા છે.
અમદાવાદ બાદ સુરતમાં નિર્માણાધીન બિલ્ડિંગમાં દુર્ઘટના સર્જાઈ છે. સુરતના પાંડેસરાના પેરેલિયમ એપાર્ટમેન્ટમાં આ ઘટના બીન હતી. એપાર્ટમેન્ટના 14 માં માળે બિલ્ડિંગમાં લિફ્ટનું કામ ચાલી રહ્યું હતું. ત્યારે અચાનક લિફટનુ કામ કરતા એક શ્રમિક નીચે પટકાયો હતો. આટલે ઉંચેથી નીચે પટકાતા જ શ્રમિક મોતને ભેટ્યો હતો. પરંતું એટલી વારમાં બીજો શ્રમિક તેને બચાવવા ગયો હતો. જેથી તેનું પણ મૃત્યુ થયું. ઘટના બાદ પાંડેસરા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.
ગુજરાતમાં બે દિવસના ગાળામાં જ લિફ્ટ તૂટવાની આ બીજી ઘટના છે. ત્યારે સતત બની રહેલી આ ઘટનાઓ અનેક સવાલો ઉભા કરે છે. ફરી એકવાર બેદરકારી સામે આવી છે. આવી રીતે કામ કરતા શ્રમિકોને કેમ સેફ્ટીના સાધનો આપવામાં આવતા નથી. પેરેલિયમ એપાર્ટમેન્ટમાં દુર્ઘટના માટે કોણ જવાબદાર? લિફ્ટ તૂટતાં 2 શ્રમિકો મોતને ભેટ્યા તો જવાબદારી કોની? શ્રમિકોની સલામતીની કેમ દરકાર ન લેવાઈ? સલામતીની સ્થિતિને કેમ નજર અંદાજ કરવામાં આવી? શું શ્રમિકોને સેફ્ટીની વ્યવસ્થા આપવામાં આવી હતી? નિર્માણાધીન બિલ્ડિંગમાં મજૂરોના મોત ક્યારે અટકશે? લિફ્ટ કેમ બની રહી છે મજૂરોના મોતનું કારણ? શું ઘટના પછી ફાયર બ્રિગેડને જાણ કરાઈ હતી? શ્રમિકોના મોત મામલે બિલ્ડર સામે કાર્યવાહી કરાશે? નિર્માણાધીન બિલ્ડિંગમાં કેમ તૂટી રહી છે લિફ્ટ?
Saturday, 18 May 2024
Trending
- Gujarat News: પિતા-પુત્રને ખેતરમાં ગોળી મારી હત્યા કરનારા આ ગુનેગારોની કરાઈ ધરપકડ
- National News: બેકાબૂ કાર ટ્રક સાથે અથડાતા 4 લોકોની મોત,જાણો પુરી હકીકત
- National News: ઉદ્ધવ ઠાકરેનો મોટો દાવો, INDIA એલાયન્સે PM ઉમેદવારનું નામ નક્કી કર્યું
- Business News: હવે મ્યુચ્યુઅલ ફંડમાં KYC કરાવવાનું સરળ બન્યું, SEBI એ ખાસ નિયમમાં ફેરફાર કર્યા
- Business News: આ કંપનીના શેરોએ મચાવી તુફાની, જાણો કેટલી કિંમતને પાર કરશે આ શેરો
- Sports News: RCB અને CSK વચ્ચે રમાશે મોટો મેચ
- Entertainment News: ‘દેવરા’ના ફેન્સ તૈયાર થઈ જાવ પહેલા સોન્ગ માટે, મેકર્સે સમય પણ જાહેર કર્યો.
- National News: ચારધામ યાત્રા પર ભીડ નિયંત્રણ માટે સરકારે કાર્યવાહી કરી, કેટલા લોકો થયા પરત