What's Hot
- BSNL એ આ શહેરમાં 5G સેવા શરૂ કરી, વપરાશકર્તાઓને સુપરફાસ્ટ સ્પીડ મળશે
- ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પહેલી ટેસ્ટ મેચ કેટલા વાગ્યે શરૂ થશે, અહીં લંચ અને ચાના વિરામનો સમય છે
- ઇન્ડિગો બાદ સ્પાઇસજેટના વિમાનમાં પણ ટેકનિકલ ખામી સર્જાઈ, પાઇલટને પરત ફરવાની ફરજ પડી
- રાહુલ ગાંધી 55 વર્ષના થયા, પીએમ મોદીએ તેમને અભિનંદન આપ્યા, જાણો તેમણે તેમના જન્મદિવસની શુભેચ્છામાં શું લખ્યું
- કારમાં અચાનક આગ લાગી અને હાઇવે પર લોક થઈ ગઈ, આ રીતે ડ્રાઇવરે પોતાનો જીવ બચાવ્યો
- ગુજરાતના અનેક જિલ્લાઓમાં મુશળધાર વરસાદ, ઘણા રસ્તા અને અંડરપાસ બંધ, રસ્તાઓ પર પાણી ભરાવાથી લોકોની મુશ્કેલીઓમાં વધારો
- વેદાંતે આ કંપનીમાં 1.6% હિસ્સો ₹3,028 કરોડમાં વેચ્યો, જાણો શું છે રણનીતિ
- UPS સાથે સંકળાયેલા તમામ કેન્દ્રીય કર્મચારીઓ નિવૃત્તિ અને મૃત્યુ ગ્રેચ્યુટી માટે હકદાર રહેશે, સંપૂર્ણ વિગતો જાણો
Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારથી 72 કલાકમાં આઠ રેલીઓને સંબોધિત કરશે. વડાપ્રધાન મોદી 19મી નવેમ્બરે સાંજે ગુજરાત પહોંચ્યા બાદ વલસાડમાં રેલીને સંબોધિત કરશે અને ત્યારબાદ 20 નવેમ્બરે તેઓ સોમનાથ મંદિરે ભગવાનના દર્શન કરવા જશે. ત્યારબાદ તેઓ સૌરાષ્ટ્ર વિસ્તારમાં વેરાવળ, ધોરાજી, અમરેલી અને બોટાદ ખાતે રેલીઓને સંબોધશે. છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં આ વિસ્તારમાંથી એક પણ બેઠક ભાજપના ખાતામાં આવી નથી. 21 નવેમ્બરે વડાપ્રધાન સુરેન્દ્રનગર, ભરૂચ અને નવસારીમાં રેલીઓને સંબોધશે. તે દિવસે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પણ નવસારી આવે તેવી શક્યતા છે. કાર્પેટ બોમ્બિંગ સ્ટાઈલમાં પ્રચાર ગુજરાતમાં પ્રથમ તબક્કાની બેઠકો માટે શુક્રવારે ભાજપના 46 રાષ્ટ્રીય અને 36 રાજ્યના નેતાઓએ કાર્પેટ બોમ્બિંગ સ્ટાઈલમાં પ્રચાર કર્યો…
કાશ્મીરમાં સક્રિય મીડિયા કર્મચારીઓને ધમકી આપનારા અને આ ષડયંત્રમાં સામેલ આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. જમ્મુ-કાશ્મીર પોલીસે કાશ્મીરના શ્રીનગર, અનંતનાગ અને કુલગામ જિલ્લામાં 10 સ્થળો પર દરોડા પાડવાનું શરૂ કર્યું છે. કાશ્મીર ઝોન પોલીસે તેની માહિતી ઈન્ટરનેટ મીડિયા સાથે શેર કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં તુર્કીમાં કાશ્મીરી પત્રકારોને ભારત તરફી ગણાવીને હિટ લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું હતું. આ હિટ લિસ્ટ આતંકી મુખ્તાર બાબાએ તૈયાર કર્યું હતું. આટલું જ નહીં, કાશ્મીરના કેટલાક પત્રકારો અને કાશ્મીર ફાઈટ બ્લોગ સાથે જોડાયેલા રાષ્ટ્ર વિરોધી દળોએ પણ આ હિટ લિસ્ટ બનાવવામાં મદદ કરી હતી. આ પછી સુરક્ષા એજન્સીઓએ મુખ્તાર બાબાના સતત…
યુપી કેડરના IAS અધિકારી અભિષેક સિંહ સામે ચૂંટણી પંચે આકરી કાર્યવાહી કરી છે. ચૂંટણી પંચ દ્વારા અભિષેક સિંહને ગુજરાત ચૂંટણીમાં જનરલ ઓબ્ઝર્વરના પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. ચૂંટણી પંચના સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, IAS અધિકારી વિરુદ્ધ આ કાર્યવાહી એટલા માટે કરવામાં આવી છે કારણ કે તેમણે સોશિયલ મીડિયા પર પોતાની પોસ્ટિંગની તસવીરો ‘પબ્લિસિટી સ્ટંટ’ તરીકે શેર કરી હતી. સૂત્રો મુજબ, 2011 બેચના અધિકારીએ જનરલ ઓબ્ઝર્વર તરીકે તેમની પોસ્ટ શેર કરવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કર્યો હતો અને તેમની પોઝિશનનો ઉપયોગ ‘પબ્લિસિટી સ્ટંટ’ તરીકે કર્યો હતો. આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લીધી અને ગુજરાત ચૂંટણીના જનરલ ઓબ્ઝર્વર…
વાઘોડિયાના અપક્ષના ઉમેદવાર અને દબંગ ધારાસભ્યની છાપ ધરાવતા મધુ શ્રીવાસ્તવ આજે ફરીથી વિવાદમાં આવ્યા છે. મધુ શ્રીવાસ્તવે અપક્ષ તરીકે અને ભાજપના નામે ઉમેદવારી ફોર્મ ભર્યું છે. વાઘોડિયા બેઠક પરથી મધુ શ્રીવાસ્તવે ઉમેદવારી કરી પરંતુ મેન્ડેટ ન મળ્યું હતુ તે છતાં તેમણે ભાજપના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું છે. ત્યારે આજે ફોર્મ ચકાસણીમાં અંતિમ નિર્ણય લેવામાં આવશે. આ સાથે વાઘોડિયાના અપક્ષના ઉમેદવાર અને દબંગ ધારાસભ્યની છાપ ધરાવતા મધુ શ્રીવાસ્તવએ ભડકાઉ નિવેદન આપ્યું હતું. તેમણે ગઇકાલે ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા મારા કાર્યકરનો કોઈ કોલર પકડશે તો ઘરમાં જઈ ગોળી મારી દઈશ તેવું નિવેદન આપ્યું હતું. જેને કારણે, મધુ શ્રીવાસ્તવના ધમકીભર્યા નિવેદનને લઇને ચૂંટણી…
શ્રીમદ્ રાજચંન્દ્ર મિશન (ધરમપુર) દ્વારા આ ગ્લોબલ યુથ ફેસ્ટિવલનું આયોજન થાય છે. આ વર્ષે ડિસેમ્બર મહિનામાં યોજાશે. દુનિયાભરમાંથી હજારો યુવાનો ધરમપુર આવશે અને આ ફેસ્ટિવલમાં ભાગ લેશે. શ્રીમદ્ રાજચંન્દ્ર મિશન (ધરમપુર) દ્વારા દર વર્ષે ગ્લોબલ યુથ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે અને દુનિયાભરમાંથી યુવાનો આ ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે આવે છે. ગ્લોબલ યુથ ફેસ્ટિવલની આ ત્રીજી આવૃતિ હશે. આ ફેસ્ટિવલ 24 ડિસેમ્બરથી 27 ડિસેમ્બર સુંધી ચાલશે.શ્રીમદ્ રાજચંન્દ્ર મીશન સાથે સંકાયેલા લોકોએ જણાવ્યુ કે, અત્યારથી આ ફેસ્ટિવલની પૂરજોશમાં તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. દુનિયાભરમાંથી આવનારા હજ્જારો યુવાનો આ ત્રણ દિવસ દરમિયાન વિવિધ સ્પર્ધાઓ અને કાર્યક્રમોમાં ભાગ લેશે અને ગુરુદેવ રાકેશજીની નિશ્રામાં…
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તમામ તૈયારીઓ પૂર્ણતાને આરે છે. તંત્ર દ્વારા મતદાન મથકની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. મતદાન કરવું એ આપણી નૈતિક ફરજ છે. કેટલાક સંગોજોમાં રિમોટ વિસ્તારમાં રહેતા લોકો પણ મતદાન કરી શકે તે માટે અલાયદી વ્યવસ્થા પણ કરવામાં આવતી હોય છે. આવો જ એક વિસ્તાર અમરેલીમાં આવેલો છે. અરબી સમુદ્રની અંદર આવેલું એક ટાપુ જ્યાં ચૂંટણી યોજવા માટેની તૈયારીઓ ચાલી રહી છે. અમરેલી જિલ્લાની ભાગોળે આવેલું છે સમુદ્ર તટ અને એ સમુદ્ર તટની વચ્ચે એક ટાપુ આવેલો છે જેનું નામ છે શિયાળબેટ ટાપુ. આ શિયાળબેટ ટાપુ ઉપર માનવ વસવાટ છે અને આ ટાપુ ઉપર 4757થી પણ વધુ લોકો વસવાટ…
મધ્યપ્રદેશમાં ભારત જોડો યાત્રાના આગમન પહેલા ઈન્દોરમાં રાહુલ ગાંધીના નામે ધમકીભર્યો પત્ર મળતાં ખળભળાટ મચી ગયો છે. આ પત્રમાં રાહુલ ગાંધીને મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. પોલીસે હવે આ મામલે તપાસ શરૂ કરી છે. ઈન્દોરમાં વાયનાડના કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીને બોમ્બ બ્લાસ્ટનો પત્ર મળ્યો છે. આ ધમકીભર્યો પત્ર શુક્રવારે સવારે મીઠાઈની દુકાનની બહાર કોઈ અજાણ્યા શખ્સે મુક્યો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે નજીકમાં લગાવેલા સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની શોધખોળ શરૂ કરી છે. નોંધનિય છે કે, પત્રમાં રાહુલ ગાંધીને ‘ભારત જોડો યાત્રા’ ઈન્દોર પહોંચવા પર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. આ તરફ પોલીસે કહ્યું છે કે, કલમ 507 હેઠળ અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ…
બ્રિટન હાલમાં મંદીની ઝપેટમાં છે અને તેની અર્થવ્યવસ્થા આગામી દિવસોમાં વધુ સંકોચાઈ શકે છે. જોકે હાલમાં બ્રિટિશ સરકારે તેનો સામનો કરવાનો પ્રયાસ શરૂ કર્યો છે. વડાપ્રધાન ઋષિ સુનકની સરકારે મંદીમાંથી બહાર આવવા માટે અનેક પગલાંની જાહેરાત કરી છે. સુનકની સરકારે 5500 કરોડ પાઉન્ડની રાજકોષીય યોજના રજૂ કરી છે. આ અગાઉ નાણામંત્રી જેરેમી હંટે સરકારના ઈમરજન્સી બજેટનો ખુલાસો કર્યો હતો, જેમાં ટેક્સના દરમાં મોટો વધારો કરવામાં આવ્યો છે. મંદીની ઝપેટમાં આવેલા બ્રિટનમાં હવે ઊર્જા કંપનીઓ પર વિન્ડફોલ ટેક્સ 25 ટકાથી વધારીને 35 ટકા કરવામાં આવ્યો છે. ઇલેક્ટ્રિક જનરેટર પર 45 ટકાનો ટેમ્પરરી ટેક્સ લાદવામાં આવ્યો છે. આ સિવાય હવે વાર્ષિક 1.25 લાખ…
ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામ જાહેર થયા બાદ રાજકીય પક્ષોએ જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે. દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ દરરોજ ગુજરાતમાં જોવા મળે છે. તો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ ભારત જોડો યાત્રા છોડીને થોડા દિવસ ગુજરાતમાં ચૂંટણી રેલીઓ કરશે. સત્તાધારી ભાજપે પણ વડાપ્રધા નરેન્દ્ર મોદી-કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને કેન્દ્રીય મંત્રી માટે ખાસ રણનીતિ તૈયાર કરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, સભા અને રોડ શો પૂર્ણ થયા બાદ પીએમ મોદી અને ગૃહમંત્રી શાહ પણ મોહલ્લા-શેરીઓમાં જઈને પાર્ટીના પેમ્ફલેટ વહેંચતા જોવા મળશે. જો કે, પીએમ કયા શહેરની મુલાકાત લેશે, તેનો પ્લાન આવતા સપ્તાહ…
આજે ભારતે અવકાશમાં એક નવા યુગની શરૂઆત કરી છે. 18 નવેમ્બરનો દિવસ ભારત માટે ઐતિહાસિક અવસર બન્યો છે. દેશમાં પહેલીવાર ખાનગી સ્પેસ કંપનીનું રોકેટ લોન્ચ કરવામાં આવ્યું છે. 3 પેલોડ સાથેનું આ વિશેષ વિક્રમ એસ ( Vikram-S ) રોકેટ ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO)ના શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી 11:30 વાગ્યે લોન્ચ કરવામાં આવ્યું છે. આ રોકેટનું નિર્માણ હૈદરાબાદ સ્થિત સ્કાયરૂટ એરોસ્પેસ કંપની દ્વારા કરવામાં આવ્યું છે. કંપનીના સીઈઓ અને સહ-સ્થાપક પવન કુમાર ચંદનાએ જણાવ્યું કે, રોકેટનું નામ વિક્રમ-એસ પ્રખ્યાત ભારતીય વૈજ્ઞાનિક અને ઈસરોના સ્થાપક ડૉ. વિક્રમ સારાભાઈના નામ પરથી રાખવામાં આવ્યું છે. આ પ્રક્ષેપણને મિશન પ્રારંભ નામ આપવામાં આવ્યું છે. સ્કાયરૂટ કંપનીના મિશન…