What's Hot
- Vivo 6000mAh બેટરી સાથે સસ્તો 5G સ્માર્ટફોન લાવી રહ્યું છે, કંપનીએ લોન્ચની પુષ્ટિ કરી
- વર્લ્ડ કપમાં એક સદીએ ભારતમાં ક્રિકેટનો ચહેરો બદલી નાખ્યો, આ રેકોર્ડ આજ સુધી તૂટી શકાયો નથી
- દેશના 6 રાજ્યોમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ, આ વિસ્તારોમાં પડશે ભારે વરસાદ, જાણો દિલ્હીમાં હવામાન કેવું રહેશે
- મહારાષ્ટ્રની શાળાઓમાં હિન્દી ત્રીજી ફરજિયાત ભાષા હશે, વિવાદ વચ્ચે સરકારે નવો આદેશ જારી કર્યો, પરિસ્થિતિ સ્પષ્ટ કરી
- ગુજરાતમાં ભારે વરસાદને કારણે પરિસ્થિતિ વધુ વણસી, પાણીના જોરદાર પ્રવાહમાં 1 વ્યક્તિ તણાયો
- ગુજરાતના 7 જિલ્લામાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ, IMD એ 19 અને 20 જૂન માટે અપડેટ આપ્યું
- PM Kisan Yojana: તમારા ખાતામાં 20મા હપ્તાના પૈસા ક્યારે આવશે, તમારું નામ કેવી રીતે ચેક કરવું
- તમારો CIBIL સ્કોર શું છે? શું તે તમને લોન મેળવવામાં મદદ કરશે? ચાલો જાણીએ અલગ અલગ રેન્જમોં અર્થ
Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા જ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ચૂંટણી પહેલા મોટું ભંગાણ સામે આવ્યું છે. કોંગ્રેસના સેક્રેટરી હિમાંશુ વ્યાસે રાજીનામું આપ્યું છે. ઓવર્સિસ કોંગ્રેસના ઇન્ચાર્જ પદેથી હિમાંશુ વ્યાસના રાજીનામા બાદ રાજકીય ખેમે ભારે ચર્ચા જોવા મળી રહી છે. હિમાંશુ વ્યાસ સામ પિત્રોડાના નજીકના મનાય છે. જ્યારે અગાઉ તેઓ બે વખત સુરેન્દ્રનગરની વઢવાણ બેઠક પરથી ચૂંટણી મેદાને ઝંપલાવી ચૂક્યા છે. બન્ને વખત તેમને ભાજપ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભારે રાજકીય હલચલ જોવા મળી રહી છે. હિમાંશુ વ્યાસ પહેલા ગુજરાત ભાજપના અગ્રણી નેતા જયનારાયણ વ્યાસના ભાજપમાંથી રાજીનામાએ રાજકીય ખળભળાટ મચાવ્યો હતો. જયનારાયણ…
ગુજરાત વિધાનસભાની ચૂંટણી તારીખો જાહેર થઇ ગઇ છે. તમામ રાજકીય પક્ષો પોતાપોતાના ઉમેદવારોની જાહેરાત કરી રહ્યાં છે. ત્યારે ભાજપમાં આજે ઉમેદવારોની પસંદગી માટેનો આજે અંતિમ દિવસ છે. એ પહેલાં CR પાટીલે ઉમેદવારોની પસંદગીને લઇને મોટું નિવેદન આપ્યું છે. CR પાટીલે નિવેદન આપતા જણાવ્યું કે, ‘ભાજપના નેતાઓના કોઈ પણ સગાંને ટિકિટ નહીં મળે, ધારાસભ્ય, સાંસદ કે પૂર્વમંત્રી હશે તો તેમના સગાંને ટિકિટ નહીં મળે.’ તમને જણાવી દઇએ કે, કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. જે બાદ હવે તમામ પક્ષો ઉમેદવારોની પસંદગી કરવામાં લાગી ગયા છે. આજે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની પસંદગીનો અંતિમ દિવસ છે.…
એક મ્યુઝિક કંપનીએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી, સુપ્રિયા શ્રીનેત અને જયરામ રમેશ વિરુદ્ધ કોપીરાઈટ ઉલ્લંઘનની ફરિયાદ નોંધાવી છે. તેમના પર ‘ભારત જોડો યાત્રા’ના વીડિયોમાં ફિલ્મ ‘KGF ચેપ્ટર 2’ના સાઉન્ડટ્રેકનો પરવાનગી વગર ઉપયોગ કરવાનો આરોપ છે. આ ફરિયાદ MRT મ્યુઝિક કંપની દ્વારા કોંગ્રેસના નેતાઓ વિરુદ્ધ દાખલ કરવામાં આવી છે, જેની પાસે ‘KGF ચેપ્ટર 2’ હિન્દી વર્ઝનનાં રાઈટ્સ છે. બેંગલુરુ સ્થિત કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેણે હિન્દીમાં ‘KGF ચેપ્ટર 2’ના સાઉન્ડટ્રેકના અધિકારો મેળવવા માટે મોટી રકમનું રોકાણ કર્યું હતું અને કોંગ્રેસે ‘પોતાના રાજકીય એજન્ડાને આગળ ધપાવવા’ માટે આ સાઉન્ડટ્રેકનો ઉપયોગ ‘અમારી પરવાનગી/લાયસન્સ વિના’ કર્યો હતો. MRT મ્યુઝિકના પાર્ટનર એમ નવીન…
ધરતી પર મુશ્કેલીઓનું કારણ બની રહેલા ચીન સ્પેસમાં પણ મુશ્કેલીઓ આવી રહી છે. સ્પેસમાં પણ સૌથી આગળ નિકળી જવાની હોડમાં ચીન સતત સૌને મુશ્કેલીઓમાં ધકેલી રહ્યું છે. સ્પેસમાં ચીની રોકેટ બૂસ્ટર બેકાબૂ થઈ ગયું છે. આ રોકેટ બૂસ્ટર ઝડપથી ધરતી પર આવી રહ્યું છે, જેના કારણે કેટલાય દેશો પર ખતરો મંડરાઈ રહ્યો છે. આગામી અમુક કલાકોમાં બેકાબૂ થઈને ચીની રોકેટ કોઈ પણ જગ્યાએ ખાબકશે. નાસાએ ચીન પર આ બિનજવાબદાર વલણને લઈને જવાબદાર ઠેરવ્યું છે. સ્પેસ એજન્સીએ કહ્યું કે, ચીનના કારણે મોટો ખતરો અને મોટા નુકસાનની આશંકા ઉત્પન્ન થઈ છે. ચીની અધિકારીઓના અનુભવનહીનતાથી દુનિયાના કેટલાય વિસ્તારો ચિંતામાં મુકાયા છે. દુનિયાના સ્પેસ…
ચૂંટણી પંચ તરફથી મોટી જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત યૂપી, ઓડિશા, રાજસ્થાન, બિહાર અને છત્તીસગઢમાં 5 વિધાનસભા સીટો અને એક લોકસભા સીટ પર પેટાચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, આ તમામ સીટો પર 5 ડિસેમ્બરે મતદાન થશે અને 8 ડિસેમ્બરે પરિણામ ઘોષિત થશે. ઓડિશાની પદમપુર, રાજસ્થાનની ચુરુની સરદારશહર સીટ, બિહારની કુરહની, છત્તીસગઢની ભાનુપ્રતાપપુર અને ઉત્તર પ્રદેશની રામપુર વિધાનસભા સીટ પર ચૂંટણી થશે, આ ઉપરાંત યૂપીની મૈનપુરી લોકસભા સીટ પર પણ મતદાન થશે. સપાના સંસ્થાપક મુલાયમ સિંહ યાદવના નિધનના કારણે આ સીટ ખાલી પડી છે અને તેના કારણે અહીં પણ પેટાચૂંટણી યોજાશે. આ સીટો માટે 10…
જમ્મુ-કાશ્મીરમાં પોલીસે ઘાટીમાં એક મોટા આતંકવાદી ષડયંત્ર નાકામ કરી દીધું. જમ્મુ અને કાશ્મીર પોલીસે કહ્યું કે સોપોર પોલીસે બારામુલા પોલીસ સાથે સંયુક્ત ઓપરેશનમાં લશ્કર-એ-તૈયબાના 2 ખતરનાક આતંકવાદીઓને પકડ્યા છે. તેમની પાસેથી હથિયારોનો જથ્થો મળી આવ્યો છે. હાલમાં પોલીસે કેસ નોંધીને આતંકીઓના કનેક્શનની તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, પકડાયેલા લશ્કરના બંને આતંકવાદીઓ પાસેથી એક પિસ્તોલ, એક પિસ્તોલ મેગેઝિન, પિસ્તોલના રાઉન્ડ, વિસ્ફોટક ઉપકરણો, ગ્રેનેડ, હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે. હાલમાં પોલીસ બંને આતંકવાદીઓના ખતરનાક પ્લાન જાણવા માટે તેમની સતત પૂછપરછ કરી રહી છે. બંને આતંકવાદીઓની ઓળખ હજુ જાહેર કરવામાં આવી નથી. વાસ્તવમાં, આ બંને આતંકવાદીઓ એવા સમયે પકડાયા છે…
ગુજરાતમાં ચૂંટણીનું રણશીંગુ ફુંકાઇ ચૂક્યું છે. તારીખ જાહેર થયા બાદ વિવિધ પાર્ટીઓએ તૈયારી શરૂ કરી દીધી છે, જો કે સરકારી તંત્રએ પણ શાંતિપૂર્ણ મતદાન થાય તે માટેની તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે. લોકો મતદાન કરે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. ત્યારે જૂનાગઢમાં મતદાન દરમિયાન અનોખો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર રચિત રાજે જૂનાગઢ જિલ્લામાં પાંચ વિધાનસભા મત ક્ષેત્રોમાં એક-એક હેલ્થ અને એનિમલ હેલ્થ મતદાન મથક ઉભા કરવાનો નિર્ણય કર્યો છે. આ પ્રકારની પહેલ કરનાર સમગ્ર દેશમાં જૂનાગઢ જિલ્લો પ્રથમ બની રહેશે. હેલ્થ અને એનિમલ હેલ્થ મતદાન મથક વિશે જાણકારી આપતા કલેક્ટર રચિત…
સ્વતંત્ર ભારતના પ્રથમ મતદાર શ્યામ સરન નેગીનું આજે સવારે નિધન થયું છે. હિમાચલ પ્રદેશના કિન્નૌરના રહેવાસી નેગીની ઉંમર 106 વર્ષની હતી. હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે તેમણે 2 નવેમ્બરના રોજ પોસ્ટલ બેલેટ દ્વારા પોતાનો મત આપ્યો હતો. DC કિન્નર આબિદ હુસૈનનું કહેવું છે કેમજિલ્લા વહીવટીતંત્ર સૌથી વૃદ્ધ મતદાતાના અંતિમ સંસ્કાર માટે વ્યવસ્થા કરી રહ્યું છે, તેમને સન્માનપૂર્વક વિદાય આપવાની તમામ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. દેશના સૌથી વૃદ્ધ મતદાર શ્યામ સરન નેગી તાજેતરમાં રિટર્નિંગ ઓફિસરને 12-ડી ફોર્મ પરત કરીને ચર્ચામાં આવ્યા હતા. વાસ્તવમાં જૂના મતદારે ચૂંટણી પંચનું ફોર્મ એમ કહીને પરત કર્યું હતું કે, તેઓ મતદાન મથક પર જઈને મતદાન કરશે. જોકે આ દરમિયાન અચાનક તેમની તબિયત બગડતાં…
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત ભાજપના અગ્રણી નેતા જયનારાયણ વ્યાસે ભાજપમાંથી રાજીનામું આપ્યું છે. તેમણે કહ્યુ કે, હું ચૂંટણી લડીશ, મારી પાસે કોંગ્રેસ અને આપ બે માર્ગ છે. કાર્યકરો સાથે ચર્ચા કરી નક્કી કરીશ. જયનારાયણ વ્યાસે ભાજપમાંથી રાજીનામું આપતાં ફરી એક વખત ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. હવે જોવાનું રહ્યું કે, આગામી સમયમાં તેઓ કઇ પાર્ટી સાથે જોડાશે. જયનારાયણ વ્યાસ ભાજપના દિગ્ગજ નેતા હતા તેઓ ભાજપ સરકારમાંમોટી જવાબદારી નિભાવી ચૂક્યા છે નર્મદા નિગમના ચેરમેનથી માંડીને 2007થી 2012 સુધી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગનો હવાલો સંભાળતા હતા. તેઓ સિદ્ધપુરના ધારાસભ્ય રહી ચૂક્યા…
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ કોંગ્રેસ પાર્ટીએ 43 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. જેમાં અર્જુન મોઢવાડિયાને પોરબંદર, જસદણથી ભોલાભાઇ ગોહિલને રિપિટ કરાયા છે. કુંતિયાણાથી નાથાભાઇ ઓડોદરાને ટિકિટ મળી છે. ગાંધીનગર દક્ષિણથી ડો. હિમાંશું પટેલને ટિકિટ ફાળવાઇ છે. કોંગ્રેસે તેની પ્રથમ યાદીમાં 10 પાટીદાર, 7 મહિલા અને 5 SC ઉમેદવારોને ટિકિટ ફાળવી છે. જ્યારે 11 આદીવાસી ઉમેદવારો, 7 અન્ય સવર્ણ ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે. ઝાલોદથી ભાવેશ કટારાની ટિકિટ કપાઈ છે, જ્યારે કુતિયાણાથી નાથા ઓડેદરાને ટિકિટ આપી છે. અત્યાર સુધી કુતિયાણામાં કોંગ્રેસ-NCP ગઠબંધનનું હતું. હાલ કુતિયાણામાં NCPના ધારાસભ્ય કાંધલ જાડેજા છે. ડીસાથી પૂર્વ MLA ગોવા રબારીના પુત્ર સંજયને ટિકિટ મળી છે.…