What's Hot
- ટ્રાવેલ ઇન્શ્યોરન્સ કેવી રીતે કામ કરે છે અને તેના ફાયદા શું છે? જો તમે ટ્રિપ પર જઈ રહ્યા છો તો સમાચાર વાંચો
- બેંક ઓફ મહારાષ્ટ્રે પણ લોન સસ્તી કરી, વ્યાજ દરમાં આટલો ઘટાડો કર્યો, જાણો વિગતો
- દૂધમાં પલાળેલા આ ડ્રાયફ્રૂટને રોજ ખાઓ, તેનાથી તમને અદ્ભુત સ્વાસ્થ્ય લાભ થશે
- જો તમે વિટામિન ડીની ઉણપને દૂર કરવા માંગતા હો, તો ઔષધીય ગુણોથી ભરપૂર આ જ્યુસ પીવો
- કબજિયાતની સમસ્યા રાતોરાત દૂર થઈ જશે, સવારે ઉઠતાની સાથે જ પેટ સાફ થઈ જશે, સૂતા પહેલા કરો આ ઉપાયો
- આજનું પંચાંગ 13 જૂન 2025: આજે છે અષાઢ કૃષ્ણ દ્વિતિયા તિથિ, જાણો ક્યારે છે શુભ સમય
- દંડ આપનાર શનિદેવે બનાવ્યો છે ખાસ યોગ, આ રાશિના લોકોને મળશે ભાગ્યનો સાથ, જાણો આજનું રાશિફળ
- અમદાવાદથી લંડન જઈ રહેલ એર ઈન્ડિયાનું વિમાન આ રીતે ક્રેશ થયું
Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
AAPના મહેશ સવાણીની તબિયત લથડી ડોક્ટરે આહાર લેવા કહ્યું પણ ઉપવાસ ચાલુ હેડ ક્લાર્ક પેપર લીક મામલે 6 દિવસથી ઉપવાસ ચાલુ હેડ ક્લાર્ક ભરતી કૌભાંડમાં ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાને પદ પરથી હટાવી તેમની સામે કાયદેસરનાં પગલાં ભરવા, યુવાનોને વળતર ચૂકવવાની માગ સાથે આમ આદમી પાર્ટી (AAP) દ્વારા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, જેમાં પ્રદેશ કાર્યાલય ખાતે પ્રભારી ગુલાબસિંઘ યાદવ અને મહેશ સવાણી છેલ્લા 6 દિવસથી આમરણાંત ઉપવાસ પર બેઠા હતા. એ દરમિયાન ગઈકાલે મહેશ સવાણીની તબિયત લથડતાં તેમને હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યારે આજે મહેશ સવાણીના નબળા સ્વાસ્થ્યથી ચિંતિતિ હોસ્પિટલના ડોકટર અને સ્ટાફે ઉપવાસ તોડી આહાર અથવા થોડું…
તોલમાપ અને ગ્રાહક સુરક્ષા તંત્ર દ્વારા દરોડા કરાયા 60 કંપનીને 25 લાખનો દંડ ફટકારાવામાં આવ્યો એમેઝોન, ફ્લિપકાર્ટ, મિન્ત્રા, સ્નેપડીલ જેવી 60 કંપનીને દંડ રાજ્યમાં છેલ્લા થોડા સમયથી ઇ-કોમર્સ કંપનીઓ દ્વારા ગ્રાહકો સાથે થતી છેતરપિંડીની ફરિયાદોના વધી છે. જે મામલે સરકાર પણ સક્રિય બની છે. જેને પગલે તોલમાપ અને ગ્રાહક સુરક્ષા તંત્ર દ્વારા ઇ-કોમર્સ કંપનીઓ પર દરોડા પાડવામાં આવ્યા છે. સાથે જ ઇ કોમર્સ સાથે સંકળાયેલ એમેઝોન, ફ્લિપકાર્ટ, મિન્ત્રા, સ્નેપડીલ, સ્વિગી, ઝોમેટો, જિયો માર્ટ સહિત 60 કંપનીને 25 લાખનો દંડ ફટકારાવામાં આવ્યો છે. ઇ-કોમર્સ કંપનીઓ સામે દેશમાં પ્રથમવાર તોલમાપ અને ગ્રાહક સુરક્ષા ખાતા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. ઓનલાઇન વેચાણ કરતી…
પરિવારને જોઈ વૈજ્ઞાનિકો પણ સ્તબ્ધ રહી ગયા આ પરિવારને યુનર ટૈન સિડ્રોમ છે વૈજ્ઞાનિકોના માટે તુર્કી પરિવારને જેનેટિક સમસ્યા બે પગે ચાલતા મનુષ્યો અને ચાર પગે ચાલતા પશુઓ એક સામાન્ય બાબત છે પરંતુ જયારે કોઈ મનુષ્ય ચાર પગો ચાલે તો નવાઈ સામે તુર્કીનાં એક નાનકડા ગામમાં રેસિટ અને હૈહિસ ઉલ્લાસનો પરિવાર બે પગ ઉપર નહી પગ સાથે હાથનો ઉપયોગ કરી જાનવરોની જેમ ચાલતો હોવાની વૈજ્ઞાનિકોને જાણકારી મળતા ચોકી ઉઠતા હતા. તુર્કીના વૈજ્ઞાનિકોએ આ પરિવારને નિહાળી હજારો વર્ષોની માનવ સભ્યતાની આ પરિવાર પર કોઈ અસર નથી આ પરિવાર યુનર ટૈન સિડ્રોમ છે આ રોગમાં આ લોકોને પગની સાથોસાથ હાથનો પણ ઉપયોગ…
સ્પાઇડરમેન અને પુષ્પા ફિલ્મ બીજા સપ્તાહમાં પણ ચાલી 83 ફિલ્મ આવ્યા પછી પણ કોઈ અસર આવી નહીં 175 કરોડની કમાણીને પર થવાનો અનુમાન હોલીવુડ ફિલ્મ સ્પાઈડ૨ મેનનો વે હોમ અને તેલુગુ સુપ૨સ્ટા૨ અલ્લુ અર્જુનની પુષ્પાનું હિન્દી વર્ઝન છેલ્લા એક સપ્તાહથી બોક્સ ઓફીસ પ૨ ધમાલ મચાવી ૨હ્યુ છે. આ બન્ને ફિલ્મોએ ક્રિસમસના દિવસે પણ બોક્સ ઓફિસ પ૨ સા૨ી કમાણી ક૨ી છે. જો કે 83 ૨ીલિઝ થયા બાદ એવુ માનવામાં આવતુ હતુ કે તેનો બિઝનેસ ઘણો ઓછો થશે. પ૨ંતુ બીજા શનિવા૨ે તેની કમાણી જોતા એવુ લાગતુ નથી. સ્પાઈડ૨ મેન નો વે હોમ જે છેલ્લા એક અઠવાડિયાથી ઘણી કમાણી ક૨ી ૨હી છે.…
લગેજ અને ચેક-ઇનમાં પણ હવે ચાર્જ લાગશે કોરોના બાદ શરૂ થયેલ વિમાન સેવામાં મહત્વની જાહેરાત નાગરિક ઉડ્ડયન મંત્રાલય સમક્ષ દરખાસ્ત કરાઇ દેશમાં કોવિડ કાળ બાદ વિમાની પ્રવાસીઓમાં વધારો થવાથી એરલાઈન્સને જીવતદાન તો મળી જ ગયું છે અને હવે એર ઈન્ડીયા જે ટાટાના હાથમાં જતા હવે પુરી રીતે વ્યવહારીક ધોરણે જ ચાલનાર છે તે પણ સ્પર્ધામાં આવશે તો થોડા સમયમાં રાકેશ ઝુનઝુનવાળાની અકસા- એરલાઈન પણ આવી રહી છે તેથી હવે એરલાઈન્સ નવી સ્પર્ધામાં આવતા તેની સીધી અસર મુસાફરોને થશે. એક તરફ સ્પર્ધાત્મક ભાડાનો લાભ મળશે પણ આગામી દિવસોમાં તમામ એરલાઈન્સ મુસાફરોના જે ચેક-ઈન-લગેજની છૂટ છે તે પણ ચાર્જ વસુલાય તેવી ધારણા…
અનિલ કપૂરે પોતાનો ૬૫મો જન્મદિવસ મનાવ્યો ઋતિક રોશને સોશ્યલ મીડિયા પર શુભકામના મોકલી બન્ને આગામી ફિલ્મમાં સાથે કામ કરશે તેવી ઘોષણા કરાઇ એક સદીન બેસ્ટ એક્ટર એવા અનિલ કપૂરે પોતાનો ૬૫મો જન્મદિવસ મનાવ્યો હતો. આ પ્રેસંગે ઋતિક રોશને સોશ્યલ મીડિયા પર તેમના માટે એક સુંદર સંદેશો શેર કર્યો છે. સાથેસાથે બન્ને જણા આગામી ફિલ્મમાં સાથે કામ કરવાના છે તેની પણ ઘોષણા કરી છે. સિદ્ધાર્થ આનંદના દિગ્દર્શનમાં બની રહેલી ફિલ્મ ફાઇટરમાં ઋતિક રોશન, દીપિકા પદુકોણની સાથે અનિલ કપૂરને પણ સાઇન કરવામાં આવ્યા છે. ઋતિકે પોતાના સંદેશામાં લખ્યું છે કે, હેપ્પીએસ્ટ બર્થ ડે ટુ ધ મેન,કે જેમનો આત્મા દર વરસે યુવાન થતો…
અનિલ કપૂર, નાના પાટેકર અને પરેશ રાવલ સાથે જોવા મળશે લાંબા સમય બાદ ત્રણ દિગ્ગજ કલાકાર સાથે આવશે વેલકમથ્રીમાં ત્રણેય સાથે જોવા મળશે બોલીવૂડની ઘણી ફિલ્મો અને તેની સિકવલોને દર્શકોએ પસંદ કરી છે. આવી જ એક ફિલ્મ વેલકમને પણ દર્શકોનો બહોળો પ્રતિસાદ મળ્યો છે. વેલકમ પછી વેલકમ ટુનું નિર્માણ થયું હતું અને હવે વેલકમ થ્રીની તૈયારી ચાલી રહી છે. આ ફિલ્મમાં અનિલ કપૂર, નાના પાટેકર અને પરેશ રાવળની ત્રિપુટી ફરી જોવા મળવાની છે. સોશ્યલ મીડિયાના પોર્ટલના અનુસાર, વેલકમ થ્રી માટે પરેશ રાવળ, નાના પાટેકર અને અનિલ કુપાર ફરી ભેગા થયા છે. આ ફિલ્મનું શૂટિંગ જલદી જ પુરુ કરવામાં આવશે.…
restaurant આપણે એવા દેશમાં રહીએ છીએ જેનો લાંબો ઈતિહાસ છે. આપણા દેશના ઈતિહાસ વિશે આપણે જેટલું જાણીએ તેટલું ઓછું છે. દરેક જગ્યાનો એક ઈતિહાસ હોય છે, જેના વિશે જાણવું પણ ખાસ છે. એ જ રીતે, આપણે જે રેસ્ટોરન્ટમાં જઈએ છીએ તેની સાથે જોડાયેલી ઘણી વસ્તુઓ છે, જે ફૂડ લવર્સને અહીં આવવા માટે મજબૂર કરે છે. જો તમે કોઈ ખાસ જગ્યા પર જમવા જઈ રહ્યા છો, તો ત્યાં સાથે જોડાયેલી વાતો જાણવાનું દરેકના મનમાં હોય છે. રેસ્ટોરન્ટનું સારું ફૂડ, કોઈ ખાસ આઈટમ, ઈન્ટીરીયરને કારણે પ્રવાસીઓ રેસ્ટોરન્ટમાં આવે છે. પરંતુ અમે તમને જણાવી દઈએ કે ભારતમાં કેટલીક એવી રેસ્ટોરન્ટ્સ છે, જે…
પનવેલના ફાર્મ હાઉસમાં સલમાન ખાનને સર્પદંશ રાત્રે ત્રણ વાગે હોસ્પિટલમાં એડમિટ થયો સલમાન હોસ્પિટલમાં સારવાર બાદ રજા પણ આપી દેવામાં આવી સલમાન ખાનનો 27 ડિસેમ્બરે 56મો જન્મદિવસ છે. સલમાન ખાનને જન્મદિવસ પહેલાં એટલે કે 25 ડિસેમ્બરની રાત્રે સાપે ડંખ માર્યો હતો. સલમાન ખાન પનવેલ ફાર્મહાઉસમાં બર્થડે સેલિબ્રેશન માટે ગયો હતો. ઉલ્લેખનીય છે કે પનવેલ ફાર્મ હાઉસ પર્વતીય વિસ્તારમાં આવેલું છે અને અહીંયા જંગલ વિસ્તાર છે. સાપ-અજગર અવારનવાર અહીંયા જોવા મળે છે. સલમાન ખાન દર વર્ષની જેમ આ વર્ષે પણ બર્થડે સેલિબ્રેશન માટે પનવેલ ફાર્મહાઉસ આવ્યો હતો. અહીંયા સલમાનને સાપે ડંખ માર્યો હતો. સલમાનને કામોઠે વિસ્તારમાં આવેલી મહાત્મા ગાંધી મિશન (MGM)…
ભારતમાં બાળકોને કોરોના વેક્સિન અપાશે ભારતમાં 15થી 18 વર્ષના ટીનેજર્સને નવા વર્ષથી વેક્સિન અપાશે બાળકોની કોવિડ-19 વેક્સિનને ઈમરજન્સી યૂઝ કરાશે હાલ જ્યારે સમગ્ર વિશ્વમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોને કહેર વર્તાવવાનું શરૂ કર્યું છે, ત્યારે તમામ દેશો તેનું સંક્રમણ થતુ અટકે તે માટેના પ્રયત્નો કરી રહ્યાં છે. આવા સંજોગોમાં વિવિધ દેશોમાં રહેતા નાગરિકોનું સંપૂર્ણ વેક્સિનેશન થાય તે જરૂરી છે. ઓમિક્રોન પર થયેલા રિસર્ચ અનુસાર આ વેરિયન્ટ ઘાતક ન હોવા છતાં તેનું સંક્રમણ ઝડપથી ફેલાય છે, એવા સંજોગોમાં તેના સંક્રમણને બાળકોમાં ફેલાતુ રોકવા માટે બાળકોનું વેક્સિનેશન અત્યંત જરૂરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે રાતે દેશને સંબોધતા 15થી 18 વર્ષની ઉંમરના લોકોને 3…