What's Hot
- આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો
- આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ
- આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
- રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે
- યોગી સરકારના મંત્રી ગુલાબો દેવી બન્યા માર્ગ અકસ્માતનો ભોગ, ટોલ પ્લાઝા પાસે કાફલાના અનેક વાહનો એકબીજા સાથે અથડાયા
- આ ખતરનાક મિસાઈલ ફાઈટર જેટ તેજસ Mk-1A માં પણ લગાવવામાં આવશે, પાકિસ્તાનની સાથે ચીન પણ ધ્રૂજશે
- લૂંટ દરમિયાન ઝવેરીની ગોળી મારી હત્યા, લોકોએ એક આરોપીને પકડીને માર માર્યો; ત્રણ ફરાર
- વેરાવળ જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પરિસર ખાલી કરાવાયું, પોલીસ વિભાગમાં ગભરાટ
Author: Mukhya Samachar
India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
સંગીત-નિર્દેશક બપ્પી લહેરીનું 69 વર્ષની વયે નિધન મુંબઈની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ લહેરીની સારવાર છેલ્લા એક મહિનાથી ચાલી રહી હતી બોલિવૂડના સંગીત-નિર્દેશક બપ્પી લહેરીનું આજે રાત્રે 69 વર્ષની વયે નિધન થયું છે. તેમણે મુંબઈના જુહુની ક્રિટી કેર હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે. બપ્પી લહેરીને સંગીત ઈન્ડસ્ટ્રીમાં ડિસ્કોકિંગ કહેવામાં આવે છે. તેમનું સાચું નામ આલોકેશ લાહિડી હતું. બપ્પી લહેરી તેમના સંગીતની સાથે-સાથે સોનું પહેરવાની તેમની શૈલી માટે પણ જાણીતા હતા. બપ્પી લહેરી ઇન્ડસ્ટ્રીમાં તેમના અલગ અવાજ અને સંગીત માટે જાણીતા હતા. 1975માં આવેલી ફિલ્મ ‘જખ્મી’થી તેમને ઓળખ મળી હતી. ભારતમાં પોપ સંગીત લાવવાનું શ્રેય બપ્પી લહેરીને જ અપાય છે. ગઈકાલે રાત્રે…
ICC એ ઈનામની રકમોમાં કર્યો વધારો આગામી મહિલા વર્લ્ડ કપ માટે ઇનામી રકમની જાહેરાત કરી વિજેતા ટીમને 13 લાખ 20 હજાર ડોલર અપાશે ICC એ આગામી મહિલા વર્લ્ડ કપ માટે ઇનામી રકમની જાહેરાત કરી છે. આ મુજબ વિજેતા ટીમને 13 લાખ 20 હજાર ડોલર એટ્લે કે 9.93 કરોડ રૂપિયા ની ઈનામી રકમ મળશે. વર્ષ 2017માં ઈંગ્લેન્ડમાં વર્લ્ડ કપની ચેમ્પિયન ટીમને મળેલી રકમ કરતાં આ રકમ બમણી છે. ICCએ પ્રેસ રિલીઝ જાહેર કરીને આ અંગેની માહિતી આપી છે. આ મુજબ ટૂર્નામેન્ટની કુલ ઈનામી રકમમાં 75 ટકાનો વધારો થયો છે. $3.5 મિલિયનની ઈનામી રકમ ટુર્નામેન્ટમાં ભાગ લેનારી આઠ ટીમોમાં વહેંચવામાં આવશે, જે…
ચહેરા પર ચમક લાવવા ઘરગથ્થુ ઉપાય કરો ચમક એવી કે તમે પણ નહીં કરો વિશ્વાસ કેળાં અને પપૈયાંનો ઉપયોગ કરી ચહેરા પર લાવો ચમક ગોરો રંગ કોને નથી જોઈતો? આજે પણ લોકો ગોરા રંગને સુંદરતાનું પ્રતિક માને છે. આવી સ્થિતિમાં, દરેક વ્યક્તિ સુંદર રહે તેવી ઇચ્છા રાખે છે. ભારતમાં, ખાસ કરીને ગોરો રંગ સુંદર તરીકે જોવામાં આવે છે. આવી સ્થિતિમાં, દરેક છોકરી પોતાને સુંદર બનાવવાની કોશિશ કરતી રહે છે. જો તમે પણ ગોરો રંગ મેળવવા માંગો છો તો તમે આ ઘરેલું ઉપાયો અપનાવી શકો છો. ગોરો રંગ મેળવવા માટે તમારે શું કરવું પડશે તે જાણો. ચહેરાને ગોરો બનાવવા માટે તમે…
જર્મનીમાં સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજવામાં આવશે આલિયા ભટ્ટ પણ સ્ક્રીનિંગમાં સામેલ થશે ગંગુબાઈ કાઠિયાવાડી 25 ફેબ્રુઆરીએ થિયેટરોમાં રિલીઝ થશે આલિયા ભટ્ટ તેની આગામી ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીના પ્રીમિયર માટે બર્લિન ગઈ છે. સંજય લીલા ભણસાલીના ડાયરેક્શનમાં બનેલી તેનું સ્પેશિયલ સ્ક્રીનિંગ પ્રેસ્ટિજિયસ બર્લિન ફિલ્મ ફેસ્ટિવલમાં થશે. આલિયા તેમાં સામેલ થવા માટે ગઈ છે. ગંગુબાઈ કાઠિયાવાડી 25 ફેબ્રુઆરીએ થિયેટરોમાં રિલીઝ થશે. આલિયા ભટ્ટ સ્ટારર ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશને યુએ(UA) સર્ટિફિકેટ આપ્યું છે. બોર્ડે ફિલ્મમાં 4 મોડિફિકેશન કર્યાં છે અને બે સીન ડિલીટ કરાવ્યા છે. ફિલ્મના બે ડાયલોગ્સના શબ્દો પણ રિપ્લેસ કર્યા છે.ફિલ્મમાં આલિયા ઉપરાંત અજય દેવગણ પણ લીડ રોલમાં છે. સંજય…
ઇલેક્ટ્રીક વાહન ચાર્જ કરવાના પોઈન્ટની અછત ઇલેક્ટ્રિક વ્હીકલનું વેંચાણ રોકેટ ગતિએ વધી રહ્યું છે ભારતમાં EV માટે 1215 જેટલા પબ્લિક ચાર્જિંગ સ્ટેશન છે ભારતમાં એક તરફ ઇલેક્ટ્રિક વ્હીકલ્સનું વેંચાણ રોકેટ ગતિએ વધી રહ્યું છે ત્યારે તેનાથી વિપરીત ચાર્જિંગ સ્ટેશનના નેટવર્ક મામલે દેશ ઘણો જ પાછળ છે. લોકસભામાં 10 ફેબ્રુઆરી પૂછાયેલા એક સવાલના જવાબમાં પાવર મિનિસ્ટર આર.કે. સિંઘે જણાવ્યું હતું કે ભારતમાં EV માટે 1215 જેટલા પબ્લિક ચાર્જિંગ સ્ટેશન છે. પરિવહન વિભાગના આંકડા મુજબ દેશભરમાં 10 લાખથી વધુ ઇલેક્ટ્રિક વ્હીકલ્સ નોંધાયેલા છે. આ હિસાબે જોઈએ તો 723 EV વચ્ચે 1 પબ્લિક ચાર્જિંગ સ્ટેશન છે. દેશના કુલ ચાર્જિંગ સ્ટેશનમાંથી 56% જેટલા સ્ટેશન…
મઢડા મંદિરનાં બનુઆઇ માતાજીએ નશ્વર દેહ છોડ્યો બનુઆઇ માતાજીને આજે અપાશે સમાધી ગુજરાત અને વિશ્વમાં વસતો ચારણ સમાજ શોક સંતપ્ત ચારણ કુળના મઢડા ગામમાં સોનલધામ મઢડા મંદિરના બનુઆઈ માતાજીએ દેહ છોડ્યાનાં સમાચારે માત્ર સૌરાષ્ટ્ર જ નહિ સમગ્ર ગુજરાત અને વિશ્વમાં વસતો ચારણ સમાજ શોક સંતપ્ત થયો છે. 93 વર્ષની વયે બનુઆઈ માતાજીએ લીધા અંતિમ શ્વાસ લીધા હતા. સોનલ માતાજીના બહેન બનુઆઈ ઘણા સમયથી બિમાર હતા. બનુઆઇ માતાજીને મંગળવારે મઢડા મંદિરમાં માતાજીને સમાધી અપાશે જૂનાગઢના મઢડા ખાતે આવેલ છે આ ધામ – મઢડાવાળી સોનલ માતાજીનું મઢડા ગામ જૂનાગઢથી માત્ર 30 કિલો મીટર દુર આવેલ છે. આ ગામમાં આઈ સોનલ માતાજીનું મંદિર…
ગ્રીષ્માની અંતિમયાત્રામાં માનવમેદની ઊમટી માતા-પિતાનું હૈયાફાટ રુદન, સુરત ગમગીન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત, DCB, PCB સહિતનો સ્ટાફ ગોઠવાયો સુરતના કામરેજ તાલુકામાં પાસોદરા પાટિયા નજીક 12 ફેબ્રુઆરીના રોજ એકતરફી પ્રેમમાં યુવકે જાહેરમાં ગ્રીષ્મા વેકરિયા નામની યુવતીનું ગળું કાપી મોતને ઘાટ ઉતારી દીધી હતી. યુવતીની આવી ઘાતકી હત્યાને લઈને આખું ગુજરાત હચમચી ઊઠ્યું છે. ગ્રીષ્માના પિતા આફ્રિકામાં હોવાથી ગ્રીષ્માના અંતિમસંસ્કાર બે દિવસ સુધી કરવામાં આવ્યા નહોતા. દીકરીની નિર્મમ હત્યા અંગે સાંભળી પિતાનું તો હૃદય કપાઈ ગયું હતું. આફ્રિકાથી સુરત આવેલા પિતાને દીકરીની હત્યાની જાણ થતાં જ જમીન પર ઢળી પડ્યા હતા. આખી સોસાયટી શોકમગ્ન થઈ ગઈ છે. બીજી તરફ અંતિમ યાત્રાને લઈને સોસાયટીને…
ભારતે ફરી એકવાર ચીની એપ પર બેન માર્યું 54 ચીની એપ ભારતે બેન કરી યુઝર્સની પ્રાઇવસી માટે જોખમી હતી ચીન પર ભારતે ફરી એકવાર મોટી સાઇબર સર્જિકલ સ્ટ્રાઈક કરી છે. કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય સુરક્ષાને જોખમ ઊભું કરે એવી 54 ચીની એપ્સ પર પ્રતિબંધ લગાવી દીધો છે. એમાં બ્યૂટી કેમેરા અને સ્વીટ સેલ્ફી HD જેવી પોપ્યુલર એપ પણ સામેલ છે. બેન કરવામાં આવેલી એપ્સના લિસ્ટમાં સેલ્ફી કેમેરા, ઈક્વલાઈઝર એન્ડ બાસ બૂસ્ટર, સેલ્ફફોર્સ એન્ટ માટે કેમ કાર્ડ, આઈસોલેન્ડ 2: એશેજ ઓફ ટાઈમ લાઈટ, વાઈવા વીડિયો એડિટર, ટેનસેન્ટ એક્સરિવર, ઓનમોજી ચેસ, ઓનમોજી એરિના, એપ લોક અને ડ્યુઅલ સ્પેસ લાઈટ સામેલ છે. સૂત્રોના જણાવ્યા…
સૂકી દ્રાક્ષનું સેવનના ફાયદા અને ગેરફાયદા બંને છે સૂકી દ્રાક્ષનું સેવન વજન ઘટાડવામાં મદદરૂપ આંખો માટે સારી છે સૂકી દ્રાક્ષ સૂકી દ્રાક્ષ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. મોટાભાગના લોકો શિયાળામાં સૂકી દ્રાક્ષ ખાય છે. કારણ કે તેનો પ્રભાવ ગરમ હોય છે. જો તમે ઇચ્છો તો, તમે તેને ઉનાળામાં પણ ખાઈ શકો છો. પરંતુ આ માટે તમારે સૂકી દ્રાક્ષને આખી રાત પાણીમાં પલાળી રાખવી જોઈએ અને સવારે ખાલી પેટ તેનું સેવન કરવું જોઈએ. પલાળેલી સૂકી દ્રાક્ષ ખાવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે. આજે અમે તમને પલાળેલી સૂકી દ્રાક્ષ ના ફાયદા અને વધુ ખાવાના નુકસાન વિશે જણાવી રહ્યા છીએ. ચાલો જાણીએ.…
સ્માર્ટ ફોનના વપરાશ પહેલા બ્રાઇટનેશનું સેટિંગ કરો દરેક પ્રવૃતિઓ વખત અલગ અલગ પ્રકાશ રાખો બ્રાઈટનેસ પર ધ્યાન આપવું જરૂરી છે, નહીં તો થઈ શકે છે આંખોને નુકસાન સ્માર્ટફોનનો ઘણો ઉપયોગ થવા લાગ્યો છે. તમને દરેક વ્યક્તિ મોટાભાગે મોબાઈલમાં વ્યસ્ત જોવા મળશે. સ્માર્ટફોનએ લોકો માટે સમય પસાર કરવાનો એક માર્ગ બની ગયો છે, પરંતુ વધુ મોબાઇલ સ્ક્રીન જોવી તમારા માટે નુકસાનકારક બની શકે છે. આ સ્ક્રીન પરની ડીસપ્લેના પ્રકાશના કારણે છે. ફોનની ઊંચી બ્રાઇટનેસ તમારી આંખોને અસર કરે છે. તેથી જરૂરિયાત અને બેકગ્રાઉન્ડ પ્રમાણે બ્રાઈટનેસ એડજસ્ટ કરતા રહો. જો તમે આઉટડોરમાં ફોનનો ઉપયોગ કરો છો તો તમારે તમારા ફોનમાં સંપૂર્ણ બ્રાઈટનેસ…

