What's Hot
- Gujrat News: ગુજરાતમાં ફરી બન્યો એક મોટો અકસ્માત, નર્મદા નદીમાં આટલા લોકો ડૂબી ગયા
- National News: ગોવામાં સ્ટુડન્ટ વિઝા પર ભારત આવી નાઈજીરિયન યુવતી ગોવા પોલીસે ડ્રગ્સ સાથે ઝડપાઈ
- Tech News: Vivo કર્યું નવો મોબાઈલ લોન્ચ,જાણો તેના ફીચર અને કિંમત
- Entertainment News: ‘બનરકાસ’ના નવા પગલાથી થશે લડાઈ, પંચાયત 3નું ટ્રેલર થયું રિલીઝ
- Fashion News: ઉનાળામાં સુંદર દેખવા માટે પેહેરો ફ્લોરલ અનારકલી સૂટ
- T20 News: બાબર આઝમે પહેલીવાર મચાવી ધૂમ, એક ઓવરમાં ફટકારી 4 સિક્સ
- Fitness News: વધારે પડતું બારનું ખાવા થી બાળકોને માનસિક સ્વાસ્થ્ય પર મોટી અસર પડી શકે છે
- Business News: ટાટા પાવરના શેરો ફરી આસમાને, જાણો કેટલા દિવસમાં કેટલો ભાવ વધ્યો
Author: Mukhya Samachar
India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
મંગળવારનો દિવસ હનુમાનજીને સમર્પિત છે. હનુમાનજીની ખાસ પૂજા-અર્ચના કરવાંથી વ્યક્તિનાં તમામ કષ્ટ પણ દૂર થાય છે. જેઠ મહિનામાં આવતાં મંગળવાર ઘણાં શુભ માનવામાં આવે છે મંગળવારનો દિવસ હનુમાનજીને સમર્પિત છે. આમ તો દર મંગળવારનું ખાસ મહત્વ હોય છે પણ જેઠ મહિનામાં આવતાં મંગળવાર ઘણાં શુભ માનવામાં આવે છે. આજે જેઠ મહિનાનો બીજો મંગળવાર છે. 24 મે 2022નાં રોજ વૃદ્ધ મંગળ (બુઢવા મંગળ) પણ કહેવાય છે. આ દિવસે હનુમાનજીની ખાસ પૂજા-અર્ચના કરવાંથી વ્યક્તિનાં તમામ કષ્ટ પણ દૂર થાય છે. આજનાં દિવસે હનુમાનજીની આરતી અને હનુમાન ચાલિસાનું પઠન કરવું. જો સમય મળે તો સુંદરકાંડનું પઠન કરવું અથવા તો આપ દિવસ દરમિયાન તેને સાંભળી…
હેચબેક દેશમાં વેચાણ માટે સૌથી વધુ માઇલેજ આપનારી કાર બની ગઈ છે હોન્ડાએ તાજેતરમાં તેની નવી CITY e:HEV લોન્ચ કરી છે Maruti Suzuki Wagon R બે પેટ્રોલ એન્જિન સાથે રજૂ કરવામાં આવી છે પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતો જોતાં વાહન નિર્માતાઓએ દેશમાં વૈકલ્પિક ફ્યુલ જેમ કે ઇલેક્ટ્રિક અને સીએનજી વ્હીકલ બનાવવાનું શરુ કરી દીધું છે. આ ઉપરાંત કંપનીઓએ ફ્યુલ એફિશિયન્સી વધારવા માટે વર્તમાન પેટ્રોલ એન્જિનમાં પણ ફેરફાર કર્યા છે.અહીં તમને 2022માં દેશમાં ઉપલબ્ધ 5 એવી કાર વિશે જણાવી રહ્યા છીએ, જેમાં પેટ્રોલ એન્જિન સાથે સૌથી વધુ માઇલેજ મળે છે. બધી કારના માઇલેજના આંકડા ARAI પ્રમાણિત છે. જો કે, તેની રિયલ માઇલેજ થોડી…
ટોક્યોમાં ભારતીય સમુદાયના લોકોને પીએમ મોદીનું સંબોધન આવતી કાલે ક્વાડ સંમેલનમાં ભાગ લેશે પીએમ મોદી ભારતીય સમુદાયને લઈને કહી આ વાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જપાનની રાજધાની ટોક્યોમાં એનઆરઆઈને સંબોધિત કર્યા હતા. તેમણે કહ્યું કે, તમારામાંથી ઘણા એવા મિત્રો છે જેઓ વર્ષોથી અહીં સ્થાયી થયા છે. જપાનની ભાષા, પોશાક, સંસ્કૃતિ તમારા જીવનનો એક ભાગ બની ગઈ છે. તેનું એક કારણ એ પણ છે કે, ભારતીય સમુદાયના મૂલ્યો સર્વસમાવેશક રહ્યા છે. તે જ સમયે, જપાન તેની પરંપરા, તેના મૂલ્યો, તેની જીવનશૈલી પ્રત્યે જે પ્રતિબદ્ધતા ધરાવે છે તે ખૂબ જ ઊંડી છે. આ બંનેના મિલનને કારણે સ્વભાવની લાગણી થવી સ્વાભાવિક છે. સ્વામી વિવેકાનંદનો…
દર વર્ષની જેમ આ વર્ષે પણ અનેક ફેમિલી ટ્રીપ પ્લાન બનાવવામાં આવી રહ્યા છે કેટલાકને ભારતના કૂલ હિલ સ્ટેશનો પરના સુંદર નજારા ગમે છે તો કેટલાકને બીચ પર મસ્તી કરવી ગમે છે તમે બાળકોને વોટર પાર્ક અને એડવેન્ચર પ્લેસ જેવી ઘણી પ્રવૃત્તિઓમાં લઈ જઈ શકો છો ઉનાળુ વેકેશન મોટાભાગે શાળાઓમાં હોય છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ અનેક ફેમિલી ટ્રીપ પ્લાન બનાવવામાં આવી રહ્યા છે. કેટલાકને બીચ પર મસ્તી કરવી ગમે છે તો કેટલાકને ભારતના કૂલ હિલ સ્ટેશનો પરના સુંદર નજારા ગમે છે. બાય ધ વે, ફેમિલી ટ્રીપમાં બાળકોની ખુશીનું ધ્યાન રાખવું પણ ખૂબ જ જરૂરી છે, કારણ…
કેદારનાથ ધામ તીર્થયાત્રીઓ ફસાયા ભારે વરસાદના કારણે રુદ્રપ્રયાગમાં લોકો ફસાયા હવામાન સાફ થયા બાદ મુસાફરોને રવાના કરાશે હવામાન વિભાગની ભવિષ્યવાણી બાદ કેદારનાથ ધામ સહિત સંપૂર્ણ રુદ્રપ્રયાગમાં સવારેથી જ વરસાદ ચાલુ છે. જ્યાં કેદારનાથ ધામમાં વરસાદની વચ્ચે તીર્થયાત્રી ભગવાન ભોલેના દર્શન માટે રાહ જોઈ રહ્યા છે. તો વળી જિલ્લા પ્રશાસને રુદ્રપ્રયાગથી ગૌરીકુંડ સુધી મુસાફરોની રોકી રાખ્યા છે.ગૌરીકુંડમાં મુસાફરો પર બ્રેક લગાવી દેવામાં આવી છે. ત્યારે આવા સમયે તીર્થયાત્રીઓ ઠેકઠેકાણે ફસાયેલા છે. હવામાન સાફ ન થાય ત્યાં સુધી તીર્થયાત્રીઓને કેદારનાથ ધામ સુધી મોકલવામાં આવશે નહીં. આપને જણાવી દઈએ કે, હવામાન વિભાગે બે દિવસ સુધી ભારે વરસાદની એલર્ટ આપ્યું છે. હવામાન વિભાગે ભવિષ્યવાણી…
જામનગર અને દ્વારકામાં ગાય સહિતના પશુઓના આરોગ્ય સામે જોખમ ખેડાયું વધી રહેલા લમ્પી કેસે સમગ્ર રાજ્યની ચિંતા વધારી 90 જેટલી ગાયના મોત નિપજ્યાં છે જામનગર અને દ્વારકામાં ગાય સહિતના પશુઓના આરોગ્ય સામે જોખમ ખેડાયું છે, વધી રહેલા લમ્પી કેસે સમગ્ર રાજ્યની ચિંતા વધારી છે. છેલ્લા બે સપ્તાહથી દ્વારકામાં આ જીવલેણ વાયરસના કેસ નોંધાઈ રહ્યા છે. ઉપરાંત જો તકેદારી ના લેવામાં આવે વધુ વાયરસ વધુ ઝડપથી ફેલાઈ રહ્યો છે. હાલ સમગ્ર રાજ્ય માટે કોરોના (Corona) બાદ લમ્પીનો ખતરો તોળાઈ રહ્યો હોય તેવુ લાગી રહ્યું છે. નવાઈની વાત એ છે કે 90 જેટલી ગાયના મોત થયા છતાં જાણે તંત્ર ખો-ખોની રમત રમી…
મીડિયાટેક ડાયમેન્સિટી 1300 પ્રોસેસર સાથે આવનાર આ પહેલો સ્માર્ટફોન છે OnePlus Nord 2Tમાં 6.43-ઇંચની AMOLED ડિસ્પ્લે છે ફોનના ફ્રન્ટમાં 32 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે. OnePlus Nord 2T 5G સ્માર્ટફોનના ફીચર્સ વિશે વાત કરીએ તો, ફોનમાં 8GB રેમ સપોર્ટ, 80W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ અને પાવર બેકઅપ માટે 4,500mAh ક્ષમતાની બેટરી છે. એવું કહેવાય છે કે મીડિયાટેક ડાયમેન્સિટી 1300 પ્રોસેસર સાથે આવનાર આ પહેલો સ્માર્ટફોન છે.OnePlus Nord 2Tમાં 6.43-ઇંચની AMOLED ડિસ્પ્લે છે. સ્ક્રીનનો રિફ્રેશ રેટ 90Hz છે. ડિસ્પ્લે HDR10, HDR10+ સાથે Widevine L1 સપોર્ટ આપવામાં આવ્યો છે. ફ્રન્ટમાં સેફ્ટી માટે કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 5 આપવામાં આવ્યો છે.OnePlusનો નવો ફોન મીડિયાટેક ડાયમેન્શન…
ગુજરાત સરકારે CO2 માર્કેટ શરૂ કરવા MOU કર્યા ગ્લોબલ કલાયમેટ પોલિસીમાં ગુજરાતનો વાગશે ડંકો આવું કરનારું દેશભરમાં પ્રથમ રાજ્ય ગુજરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરણાદાયી ઉપસ્થિતીમાં ગુજરાત સરકાર અને એનર્જી પોલિસી ઇન્સ્ટીટયૂટ યુનિવર્સિટી ઓફ શિકાગો તેમજ સાઉથ એશિયાની જે-પાલ વચ્ચે આ અંગેના MOU ગાંધીનગરમાં સંપન્ન થયા હતા. આના પરિણામે કાર્બન માર્કેટ સેટ અપ કરનારૂં દેશભરમાં પ્રથમ રાજ્ય ગુજરાત બનશે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ નવેમ્બર-ર૦ર૧ ગ્લાસગોમાં યોજાયેલી યુ.એન. કલાયમેટ ચેન્જ કોન્ફરન્સ કોપ-ર૬ માં ભારતને ર૦૭૦ સુધીમાં નેટ ઝિરો ઇમીશન્સ તરફ લઇ જવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. આ સંદર્ભમાં ભારતે ર૦૩૦ સુધીમાં પ૦૦ ગીગાવોટ નોન-ફોસિલ ફયુઅલ ઇલેકટ્રીસિટી કેપેસિટી સુધી પહોચવા પાંચ લક્ષ્યાંકો નિર્ધારીત કરેલા છે.…
સાઉથ આફ્રિકા સામે ટી-20 સિરિઝ અને ઈંગ્લેન્ડ સામે એક ટેસ્ટ માટે ટીમ ઈન્ડીયાનું એલાન સાઉથ આફ્રિકા સિરિઝમાં કેએલ રાહુલ કરશે કપ્તાની રોહિત અને કોહલીને અપાયો આરામ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ સાઉથ આફ્રિકા સામેની ટી-20 અને ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ માટે ટીમ ઈન્ડીયાની જાહેરાત કરી છે. બીસીસીઆઈની પસંદગી સમિતીએ ટીમ ઈન્ડિયાની જાહેરાત કરતા કેએલ રાહુલને કેપ્ટન જાહેર કર્યો છે. પસંદગી સમિતીએ રોહિત શર્મા-વિરાટ કોહલી જેવા સીનિયર ખેલાડીઓને આરામ આપવાનું પસંદ કર્યું છે. હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, કુલદીપ યાદવ, યુજવેન્દ્ર ચહલ સહિત ઘણા મોટા નામો ટી-20 ટીમમાં પરત ફર્યા છે. આ સિવાય આઈપીએલ 2022માં શાનદાર પ્રદર્શન કરનારા ખેલાડીઓને પણ તક મળી છે,…
શૈલેષ લોઢાએ પોતાને શોથી દૂર કરી લીધો છે. મુનમુન દત્તા પણ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શોને અલવિદા કહી શકે છે. સૌથી વધુ લોકપ્રિયતા ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના બબીતા જીના રોલથી મળી હતી ટીવી સિરીયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના દરેક કલાકાર સાથે દર્શકોને ખાસ લગાવ છે. જ્યારે પણ કોઇ કલાકારના શો છોડવાના સમાચાર આવે છે, ત્યારે ચાહકો નિરાશ થઈ જાય છે. દયા ભાભી અને શૈલેષ લોઢા નો શો છોડવાથી ચાહકો પહેલેથી જ નિરાશ હતા. હવે સમાચાર આવી રહ્યા છે કે મુનમુન દત્તા પણ શો છોડી રહી છે. જોકે, આ સમાચારો અંગે કોઇ ઓફિશ્યલ નિવેદનો બહાર આવ્યા નથી.પરંતુ અમુક…