What's Hot
- Food News: નાસ્તામાં બનાવો મગ દાળના પુડલા, જાણો અહીં રેસિપી
- Health News: ડાયાબિટીસના દર્દીઓ તરબૂચ ખાઈ શકે છે કે નહીં? જાણો શું કહે છે નિષ્ણાતો
- Business News: વિદેશી હૂંડિયામણના અનામતમાં આવ્યો ફરી ઘટાડો, જે ઘટીને થયો આટલો
- Vastu Tips: ઘરમાં મંદિર સ્થાપિત કરતા પહેલા જાણી લો વાસ્તુ નિયમ, નહી લાગે ખરાબ નજર
- Entertainment News: કરોડો ખર્ચ્યા નવો સેટ બનાવા તો પણ કેમ બંધ થઈ રહ્યો છે કપિલ શર્મા શો
- Food News: સ્વાદિષ્ટ મરચાંના બટાકા ઘરે જ બનાવો ને માણો રેસ્ટોરન્ટ જેવો સ્વાદ,જાણો તેની પદ્ધતિ
- National News: સુપ્રીમ કોર્ટે આપ્યો કેજરીવાલની અરજીનો જવાબ
- Business News : આ પાવર કંપનીએ નોંધાવ્યો જંગી નફો,ફરી રોકેટ બન્યા શેર
Author: Mukhya Samachar
India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
માર્ચમાં ખૂલશે એલઆઈસીનો આઈપીઓ એલઆઈસી માટે એફડીઆઈ નીતિમાં ફેરફાર કરાશે ઈશ્યૂ સાઈઝના 10 ટકા રકમ પોલિસી હોલ્ડર્સ માટે અનામત દેશનો સૌથી મોટો એલઆઈસીનો આઈપીઓ આગામી મહિને માર્ચમાં યોજાઈ શકે છે. કેન્દ્ર સરકાર આગામી સપ્તાહે સેબી સમક્ષ આઈપીઓ માટે ડ્રાફ્ટ ફાઈલ કરશે. ઈશ્યૂનો અમુક હિસ્સો એન્કર ઈન્વેસ્ટર્સ માટે અનામત રાખશે. દિપમના સચિવ તુહિન કાંતા પાંડેએ આ અંગે માહિતી આપતાં જણાવ્યુ હતું કે, ઈન્સ્યોરન્સ રેગ્યુલેટર દ્વારા ડ્રાફ્ટ પ્રોસ્પેક્ટ્સને મંજૂરીની રાહ જોઈ રહ્યાં છીએ. બાદમાં સેબીની મંજૂરી સાથે માર્ચમાં આઈપીઓ આવી શકે છે. નાણા મંત્રીએ બજેટ 2022-23 સ્પીચમાં એલઆઈસીનો આઈપીઓ ટૂંકસમયમાં યોજાવાની જાહેરાત કરી હતી. સરકાર ઈન્સ્યોરન્સ સેક્ટરની ટોચની કંપનીના ડિસઈન્વેસ્ટમેન્ટ અંતર્ગત આઈપીઓ…
ટૂંક સમયમાં એન્ડ્રોઈડ ફોન યુઝર્સ માટે કરાશે તૈયાર Delete for Everyone ફીચરની સમય મર્યાદામાં કરાશે ફેરફાર અત્યારે વધારેમાં વધારે 8 કલાક જ છે જે વધી જશે વોટ્સએપ યુઝર્સ માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. હવે ડિલીટ ઓફ એવરીવન સિસ્ટમની સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે. સામે આવેલી રિપોર્ટ મુજબ, કંપની Delete for Everyone ફીચરની સમય મર્યાદામાં ફેરફાર કરવાની છે. પરંતુ અત્યારે આ ફીચરને એક કલાક, આઠ મિનિટ અથવા 16 સેકન્ડ માટે સેટ કરી શકો છો. પરંતુ અપડેટ બાદ આ સમય મર્યાદા વધારીને બે દિવસથી વધુ કરવામાં આવશે. Delete for Everyone ફીચરની વાત કરીએ તો તેમાં તમે કોઈ પણ મેસેજને ઓટોમેટિકલી…
ચૂંટણી પ્રચારમાં અમિત શાહે આપ્યું કઈક આવું નિવેદન કમળનુ બટન જોરથી દબાવવા કર્યો અનુરોધ આજમખાનું નામ ભાષણમાં લેતા શાહ ઉતર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022ના ચૂંટણી પ્રચારમાં ભાજપે સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે. ગૃહમંત્રી અમિત શાહ ગુરુવારે BJPના ચૂંટણી પ્રચાર માટે યુપીના પ્રવાસે છે. અમિત શાહ ગુરુવારે અનુપશહર વિધાનસભામાં જાહેર સભા કરવા પહોંચ્યા છે. અહીં જનસભાને સંબોધતા અમિત શાહે અનુપશહેરના લોકોને કહ્યું કે ભારત માતાની જયના નારા એટલા જોરથી બોલાવો કે અહીંથી કાશી સુધી તેનો અવાજ સંભળાવો જોઈએ, અમિત શાહે કહ્યું કે અનુપશહરને છોટી કાશી તરીકે ઓળખવામાં આવે છે. અમિત શાહે કહ્યું કે યોગી આદિત્યનાથ બે તૃતિયાંશ બહુમતી સાથે યુપીમાં ફરીથી…
હેડ ક્લાર્કની પરીક્ષાની તારીખ જાહેર કરાઈ અગાઉ પેપરલીકના કારણે કરાઈ હતી રદ 20 માર્ચના રોજ હેડ ક્લાર્કની પરીક્ષા યોજવામાં આવશે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા હેડ ક્લાર્ક વર્ગ 3ની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. 20 માર્ચના રોજ હેડ ક્લાર્કની પરીક્ષા યોજવામાં આવશે. આગાઉ પેપરલીક થવાના કારણે હેડ ક્લાર્કની પરીક્ષા રદ કરવામાં આવી હતી. જોકે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નવી તારીખની જાહેરાત કરવામાં આવી છે. જેના પછી ઉમેદવારો ફરીથી તૈયારીમાં લાગી ગયા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ હેડ ક્લાર્ક વર્ગ-3ની જાહેરાત ગયા વર્ષે 20 જાન્યુઆરીએ આવી હતી. લાંબા સમયની તૈયારી પછી ઉમેદવારો ગયા ડિસેમ્બર મહિનાની 9મી…
રાજ્યમાં રાત્રિ કર્ફ્યૂ સહિતના નિયંત્રણોમાં છૂટછાટ મળી શકે છે ગુજરાતમાં કોરોના કેસમાં ઘટાડો આવતા લેવાઈ શકે છે નિર્ણય મુખ્યમંત્રીના નિવાસ સ્થાને મળશે આજે બેઠક ગુજરાત રાજ્યમાં જીવલેણ કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયા સરકાર રાત્રિ કર્ફ્યૂ સહિતના નિયંત્રણોમાં હળવાશ આપી શકે છે. આજે સાંજે સીએમ ભૂપેન્દ્ર પટેલના નિવાસ સ્થાને કોર કમિટીની બેઠક મળશે. જેમા નવી ગાઈડલાઈન મુદ્દે ચર્ચા કરવામાં આવશે. કેમ કે, રાત્રિ કર્ફ્યૂની સમયમર્યાદા આવતીકાલે પૂર્ણ થઈ રહી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે બેઠકમાં ધોરણ 1થી 9ના વર્ગખડ ઓફલાઈન શરૂ કરવા મુદ્દે પણ સરકાર મહત્વનો નિર્ણય લઈ શકે છે. સરકાર રાત્રિ કર્ફ્યૂમાં એક કલાકની રાહત આપી શકે છે. તો વળી લગ્ન પ્રસંગમાં…
ઓવૈસીના કાફલા પર પાંચ રાઉન્ડ ફાયરિંગ ડાસના ટોલ પ્લાઝા નજીક થયો હુમલો અસદુદ્દીન મુજબ 3-4 લોકોએ ફાયરિંગ કર્યું ઉત્તર પ્રદેશના મેરઠમાં AIMIMના પ્રમુખ અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઔવેસીના કાફલા પર મેરઠમાં ફાયરિંગ કરવામાં આવી છે. અસદુદ્દીન ઔવેસીએ આ અંગે જાણકારી આપી છે. તેમના વાહન પર 4 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવી આવી હતી. તેના પછી ફાયરિંગ કરનારા ફરાર થઈ ગયા હતા. અસદુદ્દીન મુજબ 3-4 લોકોએ ફાયરિંગ કરી હતી. અસદુદ્દીન ઔવેસીએ જણાવ્યું કે છિજારસી ટોલ ગેટ પર મારી ગાડી પર ફાયરિંગ કરવામાં આવી હતી. 4 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવી છે. 3-4 લોકો હતા, તમામ ફરાર થઈ ગયા અને હથિયારો ત્યા જ છોડી…
ગરમ કપડાં પહેરીને સુવાની ટેવથી થઈ શકે છે નુકસાન ઊનના કપડાં પહેરીને સુવાથી થઈ શકે છે સમસ્યા બેક્ટેરિયા સહિતની બીમારીઓ લાગી શકે છે શિયાયાની રૂતુ ચાલી રહી છે. અને રોજે કડકડતી ઠંડી પણ પડી રહી છે. શિયાળામાં ગરમ કપડાં પહેરવાથી ઊંઘવામાં ઘણી રાહત મળે છે કારણકે, તેનાથી શરીરને હૂંફ મળે છે પરંતુ, શું તમને ખ્યાલ છે ઊનના કપડાં પહેરીને રાતે સૂવાથી તમારે અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આ વાત સાંભળીને તમને થોડું અજુગતું અવશ્ય લાગશે પણ આ વાત એકદમ સાચી છે. ચાલો જાણીએ આ આદતના કારણે તમારે કેવી-કેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. સૌથી પહેલા વાત…
ટીમ ઈન્ડિયાના 9 ખેલાડીઓ થયા કોરોના સંક્રમિત બોર્ડ ખેલાડીઓના રિપ્લેસમેન્ટ અંગેની જાહેરાત કરી શકે છે BCCIની મેડિકલ ટીમ સ્થિતિ પર નજર રાખી રહી છે વેસ્ટઈન્ડિઝ સામે 6 ફેબ્રુઆરીથી શરૂ થનારી વનડે સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. સ્પોર્ટસ્ટારના સમાચાર મુજબ ભારતીય ક્રિકેટ ટીમના 8 ખેલાડી કોરોના પોઝિટિવ થયા છે. આ ખેલાડીઓમાંથી શિખર ધવન, રુતુરાજ ગાયકવાડ અને શ્રેયસ અય્યરના નામ સામે આવ્યા છે. આ ખેલાડીઓ કોરોના સંક્રમિત થતા મયંક અગ્રવાલનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તાજેતરમાં મળતી જાણકારી અનુસાર અક્ષર પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જોકે હજી તે અમદાવાદમાં ટીમ સાથે જોડાયો નથી. તેનું સિલેક્શન વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ T-20…
વડોદરા કોંગ્રેસમાં જૂથવાદ આવ્યો સામે ભાવિક અમીન અને મૌલિન વૈષ્ણવ વચ્ચે સર્જાયો વિવાદ નેતાઓની જૂથબંધીનો વિવાદ સોશિયલ મીડિયા પર પહોચ્યો ગુજરાત વિધાનસભાની ચૂંટણી વર્ષના અંત સુધીમાં યોજાનાર છે. ત્યારે ગુજરાતની સત્તામાં વર્ષોથી દૂર રહેલી કોંગ્રેસ પાર્ટીમાં વારેવારે જૂથબંધીના સમાચારો સામે આવતા રહે છે. ત્યારે ફરી વડોદરામાં જૂથબંધીનો મામલો સામે આવ્યો છે. કોંગ્રેસ નેતા ભાવિક અમીને ફેસબુક પર એક સાથે ત્રણ પોસ્ટ કરીને ધડાકો કર્યો છે. વડોદરામાં કોંગ્રેસના બે નેતાઓ વચ્ચે જૂથબંધીનો વિવાદ સોશિયલ મીડિયા પર પહોંચી ગયો છે. ભાવિક અમીને ફેસબુક પર પોસ્ટ કરીને મૌલિન વૈષ્ણવ પર ગંભીર આરોપ લગાવ્યા છે. અમીને ફેસબુક પર આરોપ લગાવ્યો કે, વડોદરામાં જ્યાં સુધી…
કોરોનાના નવ 1.72 લાખ કેસ નોંધાયા નવા કેસમાં 6.8 ટકાનો ઉછાળો નોંધાયો દેશમાં ડેઈલી પોઝિટિવિટી રેટ 10.99% થયો દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1.72 લાખ નવા કેસ નોંધાયા છે. આ સાથે જ કોરોનાના નવા કેસમાં 6.8 ટકાનો ઉછાળો નોંધાયો છે. કોરોનાનો ડેઈલી પોઝિટિવિટી રેટ પણ વધ્યો છે. રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કોરોના રસીના 167.87 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સવારે જાહેર કરેલા લેટેસ્ટ આંકડામાં કોરોનાના નવા 1,72,433 દર્દીઓ નોંધાયા છે. જેમાં અગાઉ કરતા 6.8 ટકાનો વધારો નોંધાયો છે. હાલ દેશમાં કોરોનાના 15,33,921 દર્દીઓ સારવાર હેઠળ છે. એક દિવસમાં 2,59,107 દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ રહ્યા…