What's Hot
- Travel News: આ મહેલ છે રાજપૂતોનું ગૌરવ, લો આ સુંદર સ્થળની મુલાકાત
- Tech News: Realmeનું નવું મોડેલ રોબોટિક ફોન થશે લોન્ચ, લોન્ચ થતા પહેલા જાણી લો તેની વિગત
- Offbeat News: આ ગરમી એ તો ભારે કરી હો ! ઉનાળામાં ડેમ સુકાઈ જતાં મળી આવી આટલી મોટી વસ્તુ, વૈજ્ઞાનિકો પણ ચોંકી ગયા
- Fashion Tips: ક્યાં સુધી રહેશે હેન્ડ પેઇન્ટેડ સાડીઓનો ટ્રેન્ડ રહેશે, આ અભિનેત્રીઓ પહેરે છે હેન્ડ પેઇન્ટેડ સાડી
- Food News: આજે જ બનાવો ડિનરમાં પનીર ટિક્કા શાક, અનુસરો આ ટિપ્સ શાક બનશે એકદમ સ્વાશિષ્ટ
- Fitness News: ઔષધીય ગુણોનું પાવરહાઉસ છે આ ફળ, શરીરને આપે છે ફાયદાઓ
- Astro News: આપણે સોમવારે ભગવાન શિવની પૂજા શું કામ કરીએ છીએ, જાણો મહત્વ અને ઉપાયો
- National News: સુપ્રીમ કોર્ટએ નાગરિકોને મહત્વપૂર્ણ સંદેશ આપ્યો
Author: Mukhya Samachar
India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
સૂકી દ્રાક્ષનું સેવનના ફાયદા અને ગેરફાયદા બંને છે સૂકી દ્રાક્ષનું સેવન વજન ઘટાડવામાં મદદરૂપ આંખો માટે સારી છે સૂકી દ્રાક્ષ સૂકી દ્રાક્ષ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. મોટાભાગના લોકો શિયાળામાં સૂકી દ્રાક્ષ ખાય છે. કારણ કે તેનો પ્રભાવ ગરમ હોય છે. જો તમે ઇચ્છો તો, તમે તેને ઉનાળામાં પણ ખાઈ શકો છો. પરંતુ આ માટે તમારે સૂકી દ્રાક્ષને આખી રાત પાણીમાં પલાળી રાખવી જોઈએ અને સવારે ખાલી પેટ તેનું સેવન કરવું જોઈએ. પલાળેલી સૂકી દ્રાક્ષ ખાવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે. આજે અમે તમને પલાળેલી સૂકી દ્રાક્ષ ના ફાયદા અને વધુ ખાવાના નુકસાન વિશે જણાવી રહ્યા છીએ. ચાલો જાણીએ.…
સ્માર્ટ ફોનના વપરાશ પહેલા બ્રાઇટનેશનું સેટિંગ કરો દરેક પ્રવૃતિઓ વખત અલગ અલગ પ્રકાશ રાખો બ્રાઈટનેસ પર ધ્યાન આપવું જરૂરી છે, નહીં તો થઈ શકે છે આંખોને નુકસાન સ્માર્ટફોનનો ઘણો ઉપયોગ થવા લાગ્યો છે. તમને દરેક વ્યક્તિ મોટાભાગે મોબાઈલમાં વ્યસ્ત જોવા મળશે. સ્માર્ટફોનએ લોકો માટે સમય પસાર કરવાનો એક માર્ગ બની ગયો છે, પરંતુ વધુ મોબાઇલ સ્ક્રીન જોવી તમારા માટે નુકસાનકારક બની શકે છે. આ સ્ક્રીન પરની ડીસપ્લેના પ્રકાશના કારણે છે. ફોનની ઊંચી બ્રાઇટનેસ તમારી આંખોને અસર કરે છે. તેથી જરૂરિયાત અને બેકગ્રાઉન્ડ પ્રમાણે બ્રાઈટનેસ એડજસ્ટ કરતા રહો. જો તમે આઉટડોરમાં ફોનનો ઉપયોગ કરો છો તો તમારે તમારા ફોનમાં સંપૂર્ણ બ્રાઈટનેસ…
સપ્તાહની શરૂઆત માજ શેરબજારમાં કડાકો રોકાણકારોને 8.29 લાખ કરોડનું નુકસાન મોટા ઘટાડા સાથે કારોબાર શરૂ થયો હતો રશિયા યુક્રેન તણાવ અને દેશના સૌથી મોટા કૌભાંડથી હચમચેલ બેન્કિંગ શેરના કારણે આજે સપ્તાહના પહેલા દિવસે રોકાણકારોને માથે હાથ દેવાનો વારો આવ્યો હતો. આજે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 1,747 પોઈન્ટ તૂટીને 56,405 પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 531 પોઈન્ટ ઘટીને 16,842 પર બંધ થયો હતો. કારોબાર દરમ્યાન Paytmનો શેર 4.7% ઘટીને રૂ. 863 પર, નાયકાનો શેર 7.78% ઘટીને રૂ. 1,515 પર અને Zomataનો શેર 6.82% ઘટીને રૂ. 82.70 પર બંધ થયો. આ તાજેતરમાં બજારમાં પ્રવેશેલી કંપનીઓનું આ સૌથી નીચું સ્તર છે. આજના…
અનસોલ્ડ રહ્યા બાદ ચેન્નઈ ટીમે સુરેશ રૈનાને આપ્યું ટ્રિબ્યુટ એક પણ ટીમે સુરેશ રૈનાને ખરીદવા માટે રસ દાખવ્યો નહીં ચેન્નઈ સુપર કિંગ્સે સુરેશ રૈનાને ખાસ અંદાજમાં ટ્રિબ્યુટ આપ્યું આઈપીએલના દિગ્ગજ ખેલાડી સુરેશ રૈનાને આઈપીએલ 2022ની હરાજીમાં એક પણ ટીમે સુરેશ રૈનાને ખરીદવા માટે રસ દાખવ્યો ન હતો. આમ તે આ મેગા હરાજીમાં અનસોલ્ડ રહ્યો હતો. આવુ પહેલીવાર બન્યું જ્યારે સુરેશ રૈનાને એક પણ ટીમે ખરીદ્યો નહીં. અનસોલ્ડ રહ્યા બાદ ચેન્નઈ સુપર કિંગ્સ ટીમે સુરેશ રૈનાને ખાસ ટ્રિબ્યુટ આપ્યું હતું. સુરેશ રૈનાની બેઝ પ્રાઈઝ આઈપીએલ ઓક્શનમાં 2 કરોડની હતી. જોકે 10માંથી એક પણ ફ્રેન્ચાઈઝીએ તેને ખરીદવા માટે રસ દાખવ્યો નહીં. ત્યાર…
યુપી વિધાનસભા ચૂંટણીનું બીજા તબક્કાનું મતદાન 9 જિલ્લાની 55 બેઠકો પર આજે મતદાન થઈ રહ્યું છે ઉત્તરાખંડ અને ગોવામાં પણ આજે મતદાન ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022નો આજે બીજો તબક્કો છે. 9 જિલ્લાની 55 બેઠકો પર આજે મતદાન થઈ રહ્યું છે. 586 ઉમેદવારો મેદાનમાં છે. આજે 2 કરોડ લોકો મતદાન કરશે.આઝમ ખાન, તેના પુત્ર અબ્દુલ્લા આઝમ અને ભાજપના સુરેન્દ્ર ખન્ના મેદાનમાં છે. બીજા તબક્કામાં જાટ, મુસ્લિમ અને ખેડૂત મતદારો મોટા પ્રમાણે છે. 2017માં આ 55 બેઠકોમાંથી ભાજપે 38, સપાએ 15 અને કોંગ્રેસે 2 બેઠક જીતી હતી. આ વખતે મોદી અહીંની રેલીમાં હાજર રહ્યા હતા. અખિલેશ યાદવ ઉન્નની લાલ પોટલી લઈને ફરી…
વિદેશ મોકલવાના નામે ગુજરાતીઓને બંધક બનાવ્યા ગુજરાતીઓને બંધક બનાવી ખંડણી વસૂલી કોલકાતા-દિલ્હીમાં બંધક 15 ગુજરાતીઓને છોડાવ્યા ગાંધીનગર પોલીસ દ્વારા કબૂતરબાજ અને ખંડણીના મસમોટા નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. વિદેશ મોકલવાની લાલચ આપી કોલકાતા-દિલ્હીમાં 15 પેસેન્જરને ગોંધી રાખી બંદૂકની અણીએ કેનેડા પહોંચી ગયાનો ફોન કરાવી સાત લોકો પાસેથી 3 કરોડ 5 લાખ 74 હજારની ખંડણી ઉઘરાવનારા કબૂતરબાજ ગેંગનો પર્દાફાશ કરીને લોકલ ક્રાઇમ બ્રાંચ દ્વારા તમામ બંધકોનો હેમખેમ છુટકારો કરાવ્યો છે. ગાંધીનગર કલોલનાં દંપતીને અમેરિકા મોકલવાની લાલચ આપી દિલ્હી લઈ જઈ 10 લાખની ઉઘરાણી અને ફાયરિંગની ઘટનાની શાહી હજી સુકાઈ નથી. એવામાં ગાંધીનગર લોકલ ક્રાઇમ દ્વારા કબૂતર બાજના મસમોટા નેટવર્કનો પર્દાફાશ કરી…
અણ્ણા હજારેએ અનશન કર્યું રદ્દ ગ્રામ સભાનો આદેશ માથે ચડાવી અનસન કર્યું રદ્દ મને હવે આ રાજ્યમાં જીવવા જેવું લાગતું નથી: અણ્ણા હજારે સામાજિક કાર્યકર્તા અણ્ણા હજારેએ રાળેગણસિદ્ધિ ગ્રામ સભાનો આદેશ માથે ચડાવતાં સોમવારથી શરૂ થનારા પોતાના અનશનને રદ કરી નાખ્યા છે અને હવે અણ્ણા અનશન પર નહીં બેસે, પરંતુ આ પહેલાં તેમણે એક વાક્ય એવું કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં લોકશાહી નહીં, હુકમશાહી ચાલે છે અને અહીં હવે જીવવાની કોઈ ઈચ્છા જ રહી નથી એવો સંદેશો તમારા મુખ્ય પ્રધાન સુધી પહોંચાડી દેજો. જેને કારણે રાજ્યની સરકારને નીચાજોણું થાય એવી શક્યતા છે. રવિવારે રાળેગણસિદ્ધિમાં ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ…
એબીજી શિપયાર્ડના ડિરેક્ટરો પર સીબીઆઇમાં ફરિયાદ એબીજી શિપયાર્ડના ડિરેક્ટરો પર 28 બેંકો સાથે ઠગાઈની ફરિયાદ 28 બેંકો સાથે 22,842 કરોડ રૂપિયાની છેતરપિંડીના આરોપ સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઈન્વેસ્ટીગેશનએ એબીજી શિપયાર્ડ અને તેના ડિરેક્ટરો પર 28 બેંકો સાથે 22,842 કરોડ રૂપિયાની ઠગાઈના કેસમાં ફરિયાદ નોંધી છે. CBIએ ABG શિપયાર્ડ અને તેના તત્કાલિન અધ્યક્ષ તથા નિર્દેશક ઋષિ કમલેશ અગ્રવાલ સહિત અન્ય વિરુદ્ધ 28 બેંકો સાથે 22,842 કરોડ રૂપિયાની છેતરપિંડીના આરોપમાં FIR નોંધવામાં આવી છે. જણાવી દઇએ કે, આ કંપની જહાજ નિર્માણ અને જહાજ રિપેરીંગનું કામ કરે છે. તેનું શિપયાર્ડ ગુજરાતના દહેજ અને સૂરતમાં આવેલા છે. આ કંપનીની કુલ 8 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં…
IPL–2022ની હરાજીમાં દીપક ચહરની લાગી સૌથી મોટી બોલી ચેન્નઈ સુપર કિંગ્સની ટીમે ચહરને ખરીદ્યો હરાજીમાં તે અત્યાર સુધીનો સૌથી મોંઘો ભારતીય બોલર IPL–2022ની હરાજીમાં ફાસ્ટ બોલર દીપક ચહરને ચેન્નઈ સુપર કિંગ્સની ટીમે 14 કરોડ રૂપિયામાં ખરીદ્યો. IPL ની હરાજીમાં તે અત્યાર સુધીનો સૌથી મોંઘો ભારતીય બોલર બની ગયો છે. આ સાથે જ તે CSK ટીમનો સૌથી મોંઘો ખેલાડી પણ બની ગયો છે. IPL-2022 માટે તેને CSK માં મહેન્દ્ર સિંહ ધોની કરતા વધારે પૈસા મળશે. ધોનીને CSK એ 12 કરોડમાં રિટેન કર્યો હતો. આ પહેલા દીપક ચહરને આઈપીએલ 2018માં CSK એ 80 લાખ રૂપિયામાં લીધો હતો. દીપક ચહરને આઈપીએલ 2022 મેગા…
દેશના અગ્રણી ઉદ્યોગપતિનું 83 વર્ષની ઉંમરે નિધન રાહુલ બજાજને પદ્મભૂષણથી નવાજવામાં આવ્યાં હતાં છેલ્લાં ઘણાં સમયથી કેન્સરથી પીડાતા હતા દેશના ટોચના ઉદ્યોગપતિ અને બજાજ સમૂહના મોભી રાહુલ બજાજનું લાંબી માંદગી બાદ નિધન થયું છે. છેલ્લા કેટલાક વર્ષોથી તેઓ કેન્સર સામે લડી રહ્યાં હતાં. 50 વર્ષથી વધુ સમય સુધી તેઓ બજાજ સમૂહના ચેરપર્સન રહી ચૂક્યાં છે. ઉદ્યોગજગતની સાથે તેઓ રાજ્યસભાના સાંસદ પણ રહી ચૂક્યાં છે. 2001માં તેમને પદ્મભૂષણથી નવાજવામાં આવ્યાં હતાં. ભારતના અગ્રણી ઉદ્યોગપતિ રાહુલ બજાજનું આજે નિધન થયું હતું. તેઓ 83 વર્ષના હતા. બજાજ મોટરસાઈકલના કારણે ઘરોઘરમાં તેમનું નામ જાણીતું છે. એ ઉપરાંત તેઓ પોતાના બેખોફ નિવેદનો અને સરકાર વિરોધી…