સોનાના ભાવમાં સતત હલચલ જોવા મળી રહી છે. દરમિયાન હવે સરકાર દ્વારા સોનાના ઘરેણાને લઈને નવો આદેશ જારી કરવામાં આવ્યો છે. હકીકતમાં, સોનાના દાગીના માટે છ અંકની ‘આલ્ફાન્યુમેરિક HUID’ (હોલમાર્ક યુનિક આઇડેન્ટિફિકેશન) સિસ્ટમ લાગુ કરવાના એક દિવસ પહેલા, સરકારે જ્વેલર્સને મોટી રાહત આપી હતી. વાસ્તવમાં, બ્યુરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) એ 1 એપ્રિલથી હોલમાર્કવાળી સોનાની જ્વેલરી માટે છ અંકનો ‘આલ્ફાન્યૂમેરિક’ HUID ફરજિયાત બનાવ્યો છે.
સોનાના દાગીના
સરકારે શુક્રવારે લગભગ 16,000 જ્વેલર્સને જૂન સુધી ‘ઘોષિત’ સોનાની જૂની હોલમાર્કવાળી જ્વેલરી વેચવાની મંજૂરી આપી હતી. આ રીતે તેને વધુ ત્રણ મહિનાનો સમય મળી ગયો છે. જો કે, આ છૂટ માત્ર જુલાઈ 2021 પહેલા બનાવેલી જ્વેલરી પર જ લાગુ થશે. ઉપભોક્તા બાબતોના મંત્રાલયે જ્વેલરી ઉદ્યોગની સંસ્થાઓ સાથે તાજેતરની બેઠક બાદ આ સંદર્ભે એક સૂચના બહાર પાડી છે.
સૂચના અનુસાર, મંત્રાલયે ગોલ્ડ જ્વેલરી અને ગોલ્ડ આર્ટિફેક્ટ્સ ઓર્ડર, 2020ના હોલમાર્કિંગમાં સુધારો કર્યો છે. આ અંતર્ગત જે જ્વેલર્સે અગાઉ તેમની જૂની હોલમાર્કવાળી જ્વેલરીનો સ્ટોક જાહેર કર્યો હતો તેમને તેને વેચવા માટે 30 જૂન 2023 સુધીનો સમય આપવામાં આવ્યો છે. જો કે, આ પછી તેઓ તેને વેચી શકશે નહીં.
વધારે સમય
મંત્રાલયના અધિક સચિવ નિધિ ખરેએ જણાવ્યું હતું કે દેશમાં 1.56 લાખ રજિસ્ટર્ડ જ્વેલર્સ છે, જેમાંથી 16,243 જ્વેલર્સે આ વર્ષે 1 જુલાઈના રોજ તેમની જૂની હોલમાર્કવાળી જ્વેલરી જાહેર કરી હતી. તેમને ત્રણ મહિનાનો વધારાનો સમય આપવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે આ છેલ્લી સમયમર્યાદા છે અને જૂના સ્ટોકને સાફ કરવા માટે વધુ સમય આપવામાં આવશે નહીં.