કેન્દ્રીય મંત્રી અમિત શાહ બે દિવસના ગુજરાત પ્રવાસે આવશે
ગાંધીનગરના રૂપાલ તેમજ અમદાવાદના મોડાસરમાં જનસભા
રથયાત્રાના દિવસે ભગવાન જગન્નાથની મંગળા આરતી કરશે
કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ બે દિવસના ગુજરાત પ્રવાસે આવશે. અમિત શાહ આવતીકાલે સાંજે અમદાવાદ આવશે. તેઓ બે દિવસ ગુજરાતની મુલાકાતે આવશે. રથયાત્રાના દિવસે 1 જુલાઇએ સવારે 4 વાગે જગન્નાથ મંદિરમાં મંગળા આરતી કરશે. સવારે 9 વાગે કલોલમાં સ્વામિનારાયણ હોસ્પિટલનું અમિત શાહ લોકાર્પણ કરશે. ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામે વરદાયીની માતાના મંદિર ખાતે કેન્દ્રિય ગૃહ મંત્રીની રજત તુલા થશે.
• કેન્દ્રીય મંત્રી અમિત શાહ બે દિવસના ગુજરાત પ્રવાસે આવશે
• રથયાત્રાના દિવસે સવારે જગન્નાથ મંદિરમાં મંગળા આરતી કરશે
• ગાંધીનગરના રૂપાલ તેમજ અમદાવાદના મોડાસરમાં જનસભા
ત્યાં જ તેઓ જનસભાને સંબોધન કરશે. આ પ્રસંગે વાસણ ગામમાં તળાવનું ભૂમિપૂજન પણ અમિત શાહના હસ્તે થશે. સાંજે તેઓ અમદાવાદના મોડાસર ગામમાં વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાત મુહરત કરશે. અને ત્યાં પણ જનસભાને સંબોધન કરશે.