Case of death of three lions :ગુજરાત હાઈકોર્ટે સિંહોના અકાળે મોતની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે. હાઈકોર્ટે વન વિભાગ અને રેલવેને ફટકાર લગાવતા કહ્યું કે તેઓ અધૂરી માહિતી આપવાનું ટાળે. તેમના કામની ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું.
તમને જણાવી દઈએ કે જાન્યુઆરી 2024માં માલગાડીની ટક્કરથી ત્રણ સિંહોના મોત થયા હતા. ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલે કહ્યું કે, અમે રેલ્વે મંત્રાલયના સચિવ અને વન અને પર્યાવરણ વિભાગ, ગુજરાતના સચિવને અકસ્માતના કારણોની તપાસ કરવા અને અધિકારીઓની જવાબદારી નક્કી કરવા માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવા સૂચના આપી રહ્યા છીએ.
સિંહોના મોત મામલે હાઈકોર્ટે રેલવે અને વિભાગને ફટકાર લગાવી
ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરુદ્ધ માયીની ડિવિઝન બેંચ એશિયાઈ સિંહોના અકાળે મૃત્યુ અને ટ્રેનની અડફેટે આવીને ત્રણ સિંહોના તાજેતરના મૃત્યુ અંગે સ્વ-મોટુ સંજ્ઞાન લેતી PILની સુનાવણી કરી રહી છે. એશિયાટીક સિંહો માત્ર ગુજરાતમાં જ જોવા મળે છે.
મુખ્ય ન્યાયાધીશ સુનીતા અગ્રવાલે રેલવે વિભાગના જવાબને ફગાવી દીધો અને પૂછ્યું કે આ તપાસનો આદેશ કોણે આપ્યો અને કોણે તપાસ કરી. તેમણે વનવિભાગને પણ ઠપકો આપતા કહ્યું હતું કે ગંભીરતાથી કોઈ તપાસ કરવામાં આવી નથી. રેલવે વિભાગના અધિકારીઓ સાથે કોઈ બેઠક યોજાઈ ન હતી.
ગુજરાત હાઈકોર્ટે ઉચ્ચ સ્તરીય તપાસનો આદેશ આપ્યો હતો
હાઈકોર્ટે કહ્યું કે, ત્રણ સિંહોના મોત બાદ બંને વિભાગ આંખ બંધ કરીને સૂઈ રહ્યાં છે. પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝનના મેનેજરને આ ઘટનાની જાણ નથી. કોર્ટે સંજ્ઞાન લીધા બાદ જ રેલવે વિભાગે તપાસ હાથ ધરી હતી. આ ઘટનાની ઉચ્ચસ્તરીય તપાસ રેલવે વિભાગના સચિવ અને વન વિભાગના સચિવની દેખરેખ હેઠળ થવી જોઈએ. તેનો રિપોર્ટ કોર્ટને આપવો જોઈએ.