રથયાત્રાનું ડેશબોર્ડના માધ્યમથી સીએમે કર્યું નિરીક્ષણ
હેલિકોપ્ટર અને ડ્રોનથી રથયાત્રાની થઇ રહેલી સુરક્ષાની સરાહના કરી
પહિંદ વિધિ કરી રથને પ્રસ્થાન કરાવ્યા બાદ સીએમ ડેશબોર્ડથી કર્યું નિરીક્ષણ
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યભરમાં નીકળેલી તમામ રથયાત્રાનું નિરીક્ષણ કર્યું હતું. આષાઢી બીજે નીકળેલી ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું સી.એમ. ડેશબોર્ડના માધ્યમથી નિરીક્ષણ કર્યું હતું. CM ભૂપેન્દ્ર પટેલે હેલિકોપ્ટર અને ડ્રોનથી રથયાત્રાની થઇ રહેલી સુરક્ષાની સરાહના કરી.
રાજ્યના ગૃહ વિભાગે પ્રથમવાર ડ્રોન ટેકનોલોજી દ્વારા ૬૫ મિટર જેટલી ઉંચાઇએથી યાત્રા પર બાજ નજર રાખવાનો કર્યો સફળ પ્રયોગ, અમદાવાદ ઉપરાંત ડાકોર, મહેમદાવાદમાં જે રથયાત્રા યોજાઇ છે તેનું પણ જીવંત પ્રસારણ અને કંટ્રોલરૂમ મોનિટરિંગ સી.એમ. ડેશબોર્ડ પરથી નિહાળ્યું. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન, મુખ્ય સચિવ પંકજ કુમાર, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજકુમાર તેમજ પોલિસ મહાનિદેશક આશિષ ભાટિયા પણ આ નિરિક્ષણમાં જોડાયા.
• મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યભરમાં નીકળેલી રથયાત્રાનું કર્યું તલસ્પર્શી નિરીક્ષણ
• આષાઢી બીજે નીકળેલી ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું સી.એમ. ડેશબોર્ડના માધ્યમથી કર્યું નિરીક્ષણ
• અમદાવાદમાં ૧૪૫મી રથયાત્રામાં પહિંદ વિધિ કરી રથને પ્રસ્થાન કરાવ્યા બાદ સીએમ ડેશબોર્ડથી કર્યું નિરીક્ષણ
• મુખ્યમંત્રી એ હેલિકોપ્ટર અને ડ્રોનથી રથયાત્રાની થઇ રહેલી સુરક્ષાની સરાહના કરી
• રથયાત્રામાં સામેલ વાહનોનું રિયલ ટાઇમ મોનિટરિંગ જી.પી.એસ. સિસ્ટમથી થઇ રહ્યું છે તે પણ ડેશબોર્ડની વીડિયો વોલ પર નિહાળ્યું