જીતુ વાઘાણીએ રાજ્ય અધ્યાપક મંડળના આગેવાનો સાથે કરી બેઠક
CCC પરીક્ષામાં ફરજિયાત નિયમો દુર કરાશે
2016થી બંધ CAS સ્કીમ ફરીથી શરૂ કરવામાં આવશે
ગાંધીનગર ખાતે આજ રોજ શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ રાજ્ય અધ્યાપક મંડળના આગેવાનો સાથે બેઠક કરી તેમાં પડતર પ્રશ્નોને લઈને ચર્ચા કરી હતી. આ બેઠકમાં મહત્વના પ્રશ્નોનું નિરાકરણ પણ આવ્યા છે. ખાસ કરીને ટ્રીપલ CCCની પરીક્ષાના નિયમોમાં ફેરફાર થશે. કોલેજોમાં આચાર્યની ભરતી કરવામાં આવશે તેવો પણ નિર્ણય કરાયો.ગાંધીનગર ખાતે આજરોજ રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણી અને રાજ્ય અધ્યાપક મંડળના આગેવાનોની બેઠક મળી હતી. આ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે.
CCC પરીક્ષામાં ફરજિયાત નિયમોમાં ફેરફાર થશે. હવેથી CCC પરીક્ષામાં ફરજિયાત નિયમો દુર કરાશે એવી જાહેરાત શિક્ષણ મંત્રીએ કરી છે. ઉપરાંત અધ્યાપકોના પડતર માગણી મુદ્દે પર ચર્ચા કરવામાં આવી હતી. કોલેજોમાં ખાલી પડેલી જગ્યાઓ પર આચાર્યની ભરતી કરવામાં આવશે. ઉપરાંત બીજા પણ અન્ય નિર્ણયો લેવામાં આવ્યા છે. જેના કારણે 3 હજારથી વધુ અધ્યાપકોને લાભ થશે. 2016થી બંધ CAS સ્કીમ ફરીથી શરૂ કરવામાં આવશે.