ગુજરાતના બોટાદ જિલ્લામાં એક વ્યક્તિએ તેની બે પુત્રીઓ અને એક પુત્ર સાથે ટ્રેનની સામે કૂદીને આત્મહત્યા કરી હતી, જેમાં ચારેયના મોત થયા હતા. આ ઘટના નિંગાલા અને આલમપુર રેલ્વે સ્ટેશન વચ્ચે સાંજે 6.30 વાગ્યે બની હતી. ચારેય જણાએ ભાવનગરથી ગાંધીધામ જતી પેસેન્જર ટ્રેન સામે ઝંપલાવી આપઘાત કર્યો હતો.
મૃતક જામીન પર બહાર હતો
વ્યક્તિની ઓળખ મંગાભાઈ વિજુડા (42) તરીકે થઈ છે. પોલીસના જણાવ્યા અનુસાર, મૃતક તેની સાથેની લડાઈ બાદ એક સંબંધીની હત્યાના પ્રયાસમાં ધરપકડ થયા બાદ જામીન પર બહાર હતો. આત્મહત્યા કરનાર અન્ય ત્રણની ઓળખ 17 વર્ષની પુત્રી સોનમ, 21 વર્ષની પુત્રી રેખા અને 19 વર્ષીય પુત્ર જીગ્નેશ તરીકે થઈ છે.
ચારેય ગઢડા તાલુકાના નાના સાખપર ગામે રહેતા હતા. મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. પોલીસ તેના આપઘાત પાછળનું કારણ જાણવાનો પ્રયાસ કરી રહી છે.