ટ્રેનના વ્હીલમાં વાયર ફસાતા ટ્રેન રોકવાની ફરજ પડી
ગોંડલના રીબડા પાસે ટ્રેનને રોકી દેવાઈ
ડ્રાઈવરની સમયસૂચકતાથી જોખમ ટળ્યું
ભારતીય રેલવે દુનિયાનું સૌથી મોટું રેલવે નેટવર્ક છે. ત્યારે સોમનાથ-ઓખા ટ્રેનના એન્જીન ડ્રાઈવરની સમય સૂચકતાથી મોટો અકસ્માત થતા અટક્યો છે. જોકે અગાઉ આપણે એ પણ જોયું છેકે અસમાજિક તત્વો ટ્રેનને ઉથલાવવામાં સફળ રહ્યા છે. હજુ થોડા દિવસ પહેલા જ મોરબી નજીક ટ્રેનને પાટા પરથી ઊથલાવવાનું કાવતરૂ કરવામાં આવ્યું હતું, જોકે એ સમયે પણ ડ્રાઈવરની સમય સૂચકતાને પગલે મોટી દુર્ઘટના થતાં અટકી હતી. ત્યારે હવે ગોંડલ નજીક ટ્રેન દુર્ઘટના થતાં અટક્યો હતો. આ અકસ્માત ગોડલના રિબાડા પાસે થતો આટક્યો છે.
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર સોમનાથ-ઓખા ટ્રેન ગોંડલના રિબડા પાસેથી પસાર થઈ રહી હતી. તે દરમિયાન કેટલાક લોકોએ ટ્રેનને ઉથલાવી પાડવા માટે રીબડાના રેલવે ટ્રેનના પાટા નજીક 50 મીટર વાયરની ચોરી કરી હતી
આમ કેટલાક અસમાજીક તત્વોએ વાયરની ચોરી કરીને સોમનાથ ઓખા ટ્રેનને પાટા પર ઉથલાવવાનું કાવતરૂ કર્યું હતુ. જો કે, રેલવે ટ્રેનના ડ્રાઈવરને આ અંગે જાણ થતાં તેણે તાત્કાલિત ટ્રેનને રોકીને મોટી જાનહાનિ ટાળી દીધી હતી. ઉલ્લેખનીય છે કે, ટ્રેનના વ્હીલમાં વાયર ફસાતા ટ્રેન 3 કલાક રોકવાની ફરજ પડી આમ ડ્રાઈવરની સમયસૂચકતાથી જોખમ ટળ્યું