- શિક્ષકોની બદલી અને બઢતીના નવા નિયમો જાહેર
- રાજ્યના 2 લાખ શિક્ષકોને થશે સીધી અસર
- શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ નવા નિયમોની આપી જાણકારી
![New rules for teachers](https://www.mukhyasamacharnews.com/wp-content/uploads/2022/02/jitu-vaghani-1470833431-228x300.jpg)
શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ શિક્ષકોની બદલીના નવા નિયમો અંગે પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું કે, ‘શિક્ષકોનાં બંને સંગઠનો સાથે બેઠક બાદ મહત્વના નિર્ણય લેવામાં આવ્યાં છે. સર્વસંમિતિથી ચર્ચા કરીને આ મામલે ખૂબ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી 2 લાખ શિક્ષકોને નવા નિયમોની સીધી અસર થશે. રાજ્યમાં 3થી 4 હજાર બદલી થયેલા શિક્ષકોને ઝડપી છૂટા કરાશે.’
![New rules for teachers](https://www.mukhyasamacharnews.com/wp-content/uploads/2022/02/women-teachers-300x300.jpg)
વધુમાં તેમણે જણાવ્યું કે, ‘શિક્ષણ વિભાગની નવી નીતિના કારણે 2 લાખ શિક્ષકોને તેનો ફાયદો થશે. બદલી બાબતે ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ સમિતિમાં તેની રજૂઆત કરાશે. નવા નિયમ મુજબ ખાલી 100 ટકા જગ્યા પર જિલ્લા ફેરબદલી કરાશે. જિલ્લા ફેરબદલીમાં 40%ના બદલે 100% લાભ થશે. અરસપરસ બદલીમાં વતનની જોગવાઇ દૂર કરાઇ. 10 વર્ષ બાદ બદલીના નિયમો બદલાયાં. દંપતીના કેસમાં મૂળ શાળામાં બદલી થઇ શકશે.’