- વિવાદનું ધામ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી
- અધ્યાપક મંડળના મંત્રીએ કર્યો મોટો આક્ષેપ
- 800 માંથી 250 પ્રોફેસરના જ નામ મતદાર યાદીમાં
![Saurashtra University again in controversy](https://www.mukhyasamacharnews.com/wp-content/uploads/2022/01/62_1643189334-300x225.jpg)
વિદ્યાનુ નહીં પણ વિવાદનું ધામ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બની ગઈ હોય તેમ વધુ એક વખત વિવાદ સામે આવ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અવાર નવાર વિવાદમાં આવતી હોય છે. ત્યારે વધુ એક વખત યુનિવર્સિટીમાં વિવાદ સામે આવ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એક વખત વિવાદમાં આવી છે. સેનેટની ચૂંટણી પહેલા પ્રોફેસરના નામ મતદાર યાદીમાંથી ગાયબ થઈ ગયા છે. સૌરાષ્ટ્રની અલગ-અલગ ગ્રાન્ટેડ અને સરકારી કોલેજમાં 800 જેટલા પ્રોફેસર છે. જેમાંથી માત્ર 250 પ્રોફેસરના નામ જ મતદાર યાદીમાં છે. બાકીના નામો ગાયબ થતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સામે સવાલો ઉભા થયા છે.
![Saurashtra University again in controversy](https://www.mukhyasamacharnews.com/wp-content/uploads/2022/01/14_1643189298-300x225.jpeg)
ઉલ્લેખનીય છે કે 22 માર્ચના રોજ સેનેટની ચૂંટણી યોજાવાની છે. તે પહેલા નામ મતદાર યાદીમાંથી ગાયબ થતાં અધ્યાપક મંડળે કુલપતિને રજૂઆત કરી છે. અધ્યાપક મંડળના પ્રમુખ ક્રિપાલસિંહ અને મહામંત્રી નારણ ડોડિયાનું પણ નામ ગાયબ થયું છે. ત્યારે સ્પષ્ટ પણે જણાય છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મતદારયાદી સુધારણામાં સંકલનનો અભાવ છે. અધ્યાપક મંડળના મંત્રી નારણભાઇ ડોડીયાએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અંતર્ગત 68 જેટલી ગ્રાન્ટેડ કોલેજ આવેલી છે. 68 ગ્રાન્ટેડ કોલેજ પૈકી માત્ર 20 જેટલા ગ્રાન્ટેડ કોલેજના પ્રોફેસરોનો મતદાર યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. દર પાંચ વર્ષે યોજાતી આ સેનેટની ચૂંટણી પૂર્વે મતદાર યાદીમાં સુધારણાની પ્રક્રિયા ચાલતી રહેતી હોય છે. ત્યારે મતદારયાદીમાંથી અચાનક નામ કમી થવા મામલે સત્તાધીશ મંડળને મૌખિક તેમજ લેખિત રજૂઆત પણ કરવામાં આવી છે.