ગુજરાતના જાણીતા કથાકાર મોરારિબાપુનાં ધર્મપત્નીનું નિધન થયું છે. ગઈ કાલે મોડી રાતે 1.30 વાગ્યે દેહ ત્યાગ કર્યો મોરારિબાપુનાં પત્ની નર્મદાબેને ગઈ કાલે મોડી રાતે 1.30 વાગ્યે દેહ ત્યાગ કર્યો હતો. તેમના પાર્થિવદેહને તલગાજરડાના નિવાસસ્થાને આજે સવારે 9 વાગ્યે સમાધિ આપવામાં આવી છે.
અહીં ઉલ્લેખનીય છે કે નર્મદાબેનની તબિયત થોડા સમયે ખરાબ હતી, તથા બે દિવસથી તેમણે અન્નનો ત્યાગ કર્યો હતો. મોરારી બાપુના ધર્મપત્ની નર્મદાબેનની ઉંમર લગભગ 75 વર્ષ હતી.
મોરારિબાપુના લગ્ન વણોટ ગામે નર્મદાબા સાથે થયા હતા. આજે તેઓની સમાધિ વિધિ તલગાજરડા મુકામે કરવામાં આવી છે.
તલગાજરડા ગામ બંધ જોવા મળ્યું
તલગાજરડા શોકની લાગણી છવાઈ તેમના નિધનના સમાચાર મળતાં જ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. પૂજય નર્મદાબેનના નિધનથી તલગાજરડા ગામ સંપૂર્ણપણે બંધ જોવા મળી રહ્યું છે.