અમિત શાહે અનેક વિકાસ કાર્યોના લોકાર્પણ કર્યા
2024 પહેલા માણસામાં કોઇ સુવિધા બાકી ન રહે તેવી વ્યવસ્થા કરીશુંઃ શાહ
અમિત શાહ 23 અને 24 જુલાઈના ગુજરાત પ્રવાસે
માણસામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સાંસ્કૃતિક ભવન અને મધ્યાહન ભોજન રસોઇઘરનું લોકાર્પણ કર્યું હતું. અમિત શાહે અક્ષયપાત્ર રસોડા, માણસા પુસ્તકાલય, નગરપાલિકાના હોલની મુલાકાત લીધી હતી. હવે તેઓ માણસા સિવિલ અને ચંદ્રસર તળાવની પણ મુલાકાત લેશે. નગરપાલિકા નગરપાલિકા હસ્તક સંસ્કૃતિ ભવનના લોકાર્પણ પ્રસંગે ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, માણસા સહકારી ક્ષેત્રે મોડલ બને તેવું કામ કરવાનું છે. સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં નવી હોસ્પિટલ બનાવમાં આવશે. માણસા-બાવલા ફોર લેન રોડ બનાવવામાં આવશે. ગટર યોજના માટે 50 કરોડ સરકાર ફાળવશે. માણસા 13 તળાવને એકબીજા સાથે જોડવામાં આવશે. 5 હજાર ટન ઘન કચરાના નિકાલની વ્યવસ્થા થઈ છે. માણસાના યુવાનોનો વિકાસ થાય તે જરૂરી છે.
અક્ષયપાત્રમાં કામગીરી સંપૂર્ણ ઓટોમેટિક છે. જેમાં માણસાના 25 હજાર બાળકોને નાસ્તો અને ભોજન મળશે. દરેક વ્યક્તિ આ વ્યવસ્થાને જોવા જવું જોઇએ. મધુ પંડિત અને તેમની ટીમની કામગીરી અદ્વભૂત છે. 2024 પહેલા માણસામાં કોઇ સુવિધા બાકી ન રહે તેવી વ્યવસ્થા કરીશું.
અમિત શાહે ટ્વિટ કરીને લખ્યું કે, આજે માણસા માટે મહત્વપૂર્ણ દિવસ છે, માણસા નગરપાલિકા દ્વારા વિસ્તારના વિકાસને વધુ વેગ આપવા માટે વિવિધ યોજનાઓનું લોકાર્પણ તેમજ શિલાન્યાસ કરવામાં આવી રહ્યો છે. આ મધ્યાહન ભોજન રસોઈઘરથી માણસા સહિત આસપાસના વિસ્તારોની સરકારી સ્કૂલોના બાળકોને પૌષ્ટિક આહાર પૂરો પાડવામાં મદદ મળશે. પ્રધાનમંત્રીના કુપોષણ મુક્ત ભારતના સંકલ્પને સાકાર કરવાની દિશામાં આ પ્રશંસનીય પ્રયાસ માટે અક્ષય પાત્ર ફાઉન્ડેશનના સંચાલકોને અભિનંદન પાઠવુ છું.
આ મધ્યાહન ભોજન રસોઈઘરથી માણસા સહિત આસપાસના વિસ્તારોની સરકારી સ્કૂલોના બાળકોને પૌષ્ટિક આહાર પૂરો પાડવામાં મદદ મળશે.@narendramodi જીના કુપોષણ મુક્ત ભારતના સંકલ્પને સાકાર કરવાની દિશામાં આ પ્રશંસનીય પ્રયાસ માટે અક્ષય પાત્ર ફાઉન્ડેશનના સંચાલકોને અભિનંદન પાઠવુ છું. pic.twitter.com/P1tgQFpL0N
— Amit Shah (@AmitShah) July 23, 2022
અહીં આવતા બાળકોને પૌષ્ટિક અને સ્વચ્છ, સ્વાદિષ્ટ ભોજન જમાડવામાં આવે છે. 25 હજાર બાળકો માટે ભોજન બનવાની વ્યવસ્થા કરીને આવ્યો છું. તમામ વાલીઓએ આ વ્યવસ્થા જોવી જોઈએ કે બાળકો કેટલું સુંદર ભોજન જમે છે. લોટ નાખે અને ઘી લગાડવાથી લઇને રોટલી બહાર આવે ત્યાં સુધી માણસનો હાથ અડકતો નથી, દાળ અને ભાત બનીને બહાર આવે ત્યાં સુધી માણસનો હાથ જ નથી લગાતો. 25 હજાર બાળકોને નાસ્તો, ભોજન અને સુખડી બનાવવાની અને ગરમ ગરમ બાળકો સુધી પહોંચે તે પ્રકારના વિતરણની વ્યવસ્થા અક્ષય પાત્રના માધ્યમથી થઇ છે. એક વખત આ જોવા માટે જજો. માણસાના 25 હજાર બાળકોને પૌષ્ટિક, સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ ભોજન કઇ રીતે પહોંચાડે છે.