સંરક્ષણ દળ માટે ‘અગ્નિપથ ભરતી યોજના’ની જાહેરાત કરવામાં આવી છે.
ટૂર ઑફ ડ્યુટીને અગ્નિપથ જયારે સૈનિકોને અગ્નિવીર કહેવામાં આવશે
એરફોર્સ અને નેવીની ભરતી પર પ્રતિબંધ છે.
રક્ષા મંત્રી રાજનાથ સિંહ આજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. કેન્દ્ર સરકાર દ્વારા સંરક્ષણ દળ માટે ‘અગ્નિપથ ભરતી યોજના’ની જાહેરાત કરવામાં આવી છે. તેમની સાથે ત્રણેય સેનાના વડાઓ પણ હાજર રહ્યા હતા. ‘અગ્નિપથ ભરતી યોજના’ હેઠળ, ત્રણેય સેવાઓમાં 4 વર્ષ માટે યુવાનોની ભરતી કરવામાં આવશે.
આ છે સેનાની ભરતીના નવા નિયમ:
- કેન્દ્ર સરકાર સશસ્ત્ર દળો માટે સૈનિકોની ભરતીની પ્રક્રિયામાં ફેરફાર કર્યો
- ટુર ઓફ ડ્યુટી સિસ્ટમ મુજબ સૈનિકોની ચાર વર્ષ માટે ફોર્સમાં ભરતી કરાશે
- જવાન નિવૃત થાય ત્યારે 10 લાખ આપવામાં આવશે
- ટૂર ઑફ ડ્યુટીને અગ્નિપથ જયારે સૈનિકોને અગ્નિવીર કહેવામાં આવશે
- ત્રણેય પાંખોમાં દર વર્ષે 45થી 50 હજાર અગ્નિવીરની ભરતી કરાશે
- સેનામાં 6 મહિનાના કાર્યકાળમાં દર વર્ષે 2 વખત ભરતી કરાશે
- 17.5 વર્ષથી 21 વર્ષની વયના ઉમેદવારો નોકરી માટે કરી શકશે અરજી
ચાર વર્ષ બાદ સેવામાંથી મુક્ત કરાશે જવાન
માહિતી પ્રમાણે હાલમાં સેનામાં જવાનની ઉંમર 32 વર્ષ છે જે હવે આ યોજનાથી 26 વર્ષ લાવવાનો પ્રયાસ થશે. જો કે ચાર વર્ષ બાદ મોટાભાગના યુવાઓને તેમની સેવામાંથી મુક્ત કરવામાં આવશે.આ યોજના હેઠળ યુવાઓને આશરે 30થી 40 હજાર જેટલો પગાર આપવામાં આવશે તેવું પણ જાણવા મળી રહ્યું છે.આ વર્ષની શરૂઆતમાં સંરક્ષણ રાજ્યમંત્રી અજય ભટ્ટે સંસદમાં એક સવાલના જવાબમાં લેખિત જવાબ આપ્યો હતો કે કોરોના મહામારીને કારણે સેનાની ભરતી રેલીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત એરફોર્સ અને નેવીની ભરતી પર પ્રતિબંધ છે. જો કે ઓફિસર રેન્કની પરીક્ષાઓ અને કમિશનિંગ પર કોઈ અસર પડી નથી. પરંતુ સૈનિકોની ભરતી બંધ થવાને કારણે દેશના યુવાનોમાં રોષ જોવા મળી રહ્યો છે અને તેમણે રક્ષામંત્રી રાજનાથ સિંહની ચૂંટણી રેલીઓમાં પણ આનો વિરોધ વ્યક્ત કર્યો છે. સોશિયલ મીડિયા પર ઘણી વખત ભરતી રેલીઓ ન હોવાના કારણે અનેક અભિયાનો થયા છે.