એન્જિનિયરિંગની જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામ (JEE)ની તૈયારી કરી રહેલા ગોરખપુરના વિદ્યાર્થી સત્યવીર ઉર્ફે રાજીવ (17)ને કેટલાક યુવકોએ સળિયા અને લોખંડની સાંકળો વડે માર માર્યો હતો. પોલીસે કેટલાક શકમંદોની અટકાયત કરી છે.
પોલીસે જણાવ્યું કે, સોમવારે સાંજે એક ચાની દુકાન પાસે કેટલાક યુવકોએ સત્યવીરને નિર્દયતાથી માર માર્યો હતો. હુમલા બાદ સત્યવીર તેના રૂમમાં ગયો હતો, પરંતુ આંતરિક ઈજાઓને કારણે રાત્રે તેની તબિયત બગડી હતી. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. નાયબ પોલીસ અધિક્ષક ભવાની સિંહે જણાવ્યું કે, સત્યવીર બે વર્ષથી કોટામાં કોચિંગ લઈ રહ્યો હતો. હુમલામાં 7-8 કોચિંગ વિદ્યાર્થીઓ સામેલ હોવાની આશંકા છે.