Lok Sabha Election 2024: આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર ફરી પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે જો નરેન્દ્ર મોદીને બદલે રાહુલ ગાંધી વડાપ્રધાન હોત તો દેશની સ્થિતિ નિરાશાજનક હોત. આસામના સીએમએ રાજ્યના બારપેટામાં ચૂંટણી રેલી દરમિયાન આ વાત કહી.
અંગ્રેજી વેબસાઈટ ‘ઈન્ડિયા ટુડે’ના અહેવાલ અનુસાર, હિમંતા બિસ્વા સરમાએ રેલીને સંબોધિત કરતા મોદી સરકાર દ્વારા છેલ્લા 10 વર્ષમાં કરેલા વિકાસ કાર્યોનો ઉલ્લેખ કર્યો. હિમંતા બિસ્વા સરમાએ કોરોના વાયરસ રોગચાળા દરમિયાન રસી અને દવાઓની ઉપલબ્ધતાને સુનિશ્ચિત કરવામાં કેન્દ્ર સરકારની ભૂમિકાની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, જો નરેન્દ્ર મોદીનું નેતૃત્વ ન હોત તો દેશની સ્થિતિ ગંભીર બની શકે.
આસામના સીએમએ મોદી સરકારના વખાણ કર્યા
આસામના સીએમએ રાજ્યમાં શાંતિ માટે લીધેલા પગલાં માટે મોદી સરકારની પ્રશંસા કરી. તેમણે કહ્યું- 2014 થી બોડો અને કાર્બી આંદોલનમાં ઘટાડો થયો, જેના કારણે પ્રાદેશિક મુદ્દાઓમાં પ્રગતિ થઈ. આનો શ્રેય કેન્દ્રીય નેતૃત્વ અને મોદી સરકારને જાય છે. મહિલા સ્વ-સહાય જૂથોને જીઓ-ટેગિંગનું કામ સોંપવાની યોજના તેમને વધુ સશક્ત બનાવશે.
ચાર બેઠકો પર મતદાન થવાનું છે
આસામમાં લોકસભાની કુલ 14 બેઠકો છે. ત્યાં પ્રથમ બે તબક્કામાં 10 બેઠકો પર મતદાન થયું છે. બાકીની ચાર બેઠકો માટે ત્રીજા તબક્કામાં 7 મે, 2024ના રોજ મતદાન થશે. તેમાં ગુવાહાટી, બારપેટ, કોકરાઝાર અને ધુબરી સીટ છે. 2019ના ચૂંટણી પરિણામોની વાત કરીએ તો ભાજપે આસામમાં નવ બેઠકો જીતી હતી. ત્યાં 11 બેઠકો બિનઅનામત છે અને આ સિવાય બે અનુસૂચિત જનજાતિ (ST) માટે અને એક અનુસૂચિત જાતિ (SC) માટે અનામત છે.