વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળેલી ભેટની ઈ-ઓક્શન આજથી શરૂ થઈ ગઈ છે. આજે પીએમ મોદીનો પણ જન્મદિવસ છે. આ પ્રસંગે સ્મૃતિચિહ્નો અને ભેટ વગેરેની ઈ-ઓક્શન વેબસાઈટ દ્વારા કરવામાં આવી રહી છે. પીએમ મોદીને મળેલા 1200 થી વધુ આઇકોનિક અને યાદગાર સ્મૃતિઓની આ ઇ-ઓક્શન 2 ઓક્ટોબર સુધી ચાલશે. સંસ્કૃતિ મંત્રાલયની ભેટોની ચોથી ઈ-ઓક્શનનું આયોજન કરી રહ્યું છે.
2019 માં, આ વસ્તુઓને ખુલ્લી હરાજી દ્વારા લોકો માટે મૂકવામાં આવી હતી. તે સમયે હરાજીના પ્રથમ રાઉન્ડમાં 1805 ભેટો રજૂ કરવામાં આવી હતી અને બીજા રાઉન્ડમાં 2772 ભેટો મૂકવામાં આવી હતી. 2021માં પણ પીએમ મોદીને મળેલી ભેટોની ઈ-ઓક્શન સપ્ટેમ્બરમાં કરવામાં આવી હતી. ત્યારે વેબસાઇટ દ્વારા 1348 સંભારણું વગેરે રજૂ કરવામાં આવ્યા હતા. વેબસાઈટ પર ઈ-ઓક્શન માટે મુકવામાં આવેલ સંભારણું નેશનલ મ્યુઝિયમ ઓફ મોર્ડન આર્ટ, નવી દિલ્હી ખાતે પ્રદર્શિત કરવામાં આવ્યું છે.
પીએમ મોદીને મળેલા અદભૂત ચિત્રો, શિલ્પો, હસ્તકલા અને લોક કલાકૃતિઓનો ઈ-ઓક્શનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આમાંની ઘણી વસ્તુઓ પરંપરાગત રીતે પીએમ મોદીને ભેટમાં આપવામાં આવી હતી, જેમ કે પરંપરાગત અંગવસ્ત્રો, શાલ, પાઘડી-ટોપી, ધાર્મિક તલવાર વગેરે. અયોધ્યામાં શ્રી રામ મંદિર અને વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરની નકલ પણ અન્ય આકર્ષક સંભારણુંઓમાં સામેલ કરવામાં આવી છે. પીએમ મોદીને મળેલી ભેટોની ઈ-ઓક્શન પીએમ મેમેન્ટોસ વેબસાઇટ pmmementos.gov.in દ્વારા કરવામાં આવી રહી છે.
અહેવાલો અનુસાર, ભાજપની તમિલનાડુ એકમ પીએમ મોદીના જન્મદિવસના અવસર પર નવજાત શિશુઓને સોનાની વીંટી અને બેબી કીટ ભેટ આપવાનો કાર્યક્રમ આયોજિત કરી રહી છે. બીજેપી સૂત્રોના જણાવ્યા અનુસાર, પીએમ મોદીના જન્મદિવસ એટલે કે 17 સપ્ટેમ્બરે જન્મેલા બાળકોને સોનાની વીંટી આપવામાં આવશે, દરેક વીંટીનું વજન લગભગ બે ગ્રામ હશે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્રીય મત્સ્યોદ્યોગ રાજ્ય મંત્રી એલ મુરુગન રોયાપુરમમાં RSRM હોસ્પિટલમાં લાભાર્થી બાળકોને સોનાની વીંટી અને બેબી કીટ ભેટ કરશે. આટલું જ નહીં, એલ મુરુગન પીએમ મોદીના 72માં જન્મદિવસની ઉજવણી કરવા માટે કોલાથુર વિધાનસભા ક્ષેત્રમાં લોકોને પીએમ મત્સ્ય સંપદા યોજના હેઠળ 750 કિલો માછલીનું વિતરણ કરશે.