બીજા દિવસે કેબિનેટના ટોચના મંત્રીઓ સાથે મીટિંગ
મોદીએ સંસદમાં હાઇલેવલ મિટિંગ કરી
સંસદમાં ચોમાસું સત્ર ચાલી રહ્યું છે
PM મોદીએ સંસદમાં સતત બીજા દિવસે કેબિનેટના ટોચના મંત્રીઓ સાથે મીટિંગ કરી છે. નોંધનીય છે કે, ગઈકાલે પણ મોદીએ દિગ્ગજ નેતાઓ સાથે મિટિંગ કરી હતી. જે બાદમાં આજે ફરી એકવાર દિગ્ગજ નેતાઓ સાથે મિટિંગ કરી છે. જેને લઈ શું કોઈ મોટો નિર્ણય લેવાની તૈયારીમાં છે મોદી સરકાર ? એવો સવાલ ઊભો થયો છે.
હાલ દેશની સંસદમાં ચોમાસું સત્ર ચાલી રહ્યું છે. તેવામાં ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં હાઇલેવલ મિટિંગ કરી હતી. સમાચાર એજન્સી ANI મુજબ વડાપ્રધાને સંસદમાં સરકારની વ્યૂહરચના અંગે ચર્ચા કરવા માટે ટોચના નેતાઓ સાથે બેઠક કરી હતી. બીજી તરફ સંસદમાં વિપક્ષ સતત આક્રમક મૂડમાં જોવા મળી રહ્યું છે. ત્યારે આજે ફરી એકવાર મોદીએ હાઇલેવલની મિટિંગ કરતાં અનેક ચર્ચાઓને વેગ મળ્યો છે.
PM Modi meets top ministers to discuss government's strategy in Parliament
Read @ANI Story | https://t.co/g2x7biHo6V#PMModi #Parliament #TopMinistersMeeting pic.twitter.com/SPsZ97erxe
— ANI Digital (@ani_digital) July 22, 2022
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સંસદમાં રાજનાથ સિંહ, અમિત શાહ, પ્રહલાદ જોશી, અનુરાગ ઠાકુર, કિરણ રિજીજુ, પિયુષ ગોયલ સહિતના નેતાઓ સાથે હાઇલેવલની બેઠક કરી હતી. સદમાં વિપક્ષના હોબાળાના કારણે કામ નથી થઈ રહ્યું. જેને કારણે સતત ચોથા દિવસે લોકસભા અને રાજ્યસભા સ્થગિત કરી દેવી પડી છે. નોંધનીય છે કે, વિપક્ષ મોંઘવારી અને GST ના મુદ્દે આક્રમક છે. તેવામાં 2 દિવસ માં 2 વખત વડાપ્રધાને હાઇલેવલ બેઠક કર્યા બાદ કદાચ કોઈ મોટો નિર્ણય લેવાઈ શકે છે.