સર્વિસ ટેક્સ સંપૂર્ણપણે ગેરકાયદેસર
ટૂંક સમયમાં ગ્રાહકોને કાનૂની અધિકાર અપાશે
ફૂડની કિંમત સર્વિસ સાથે જ હોય છે
જો તમે વાર-તહેવાર કે વિકેન્ડમાં રેસ્ટોરન્ટમાં ખાવાનું પસંદ હોય તો આ સમાચાર તમારા માટે જ છે. ગુરૂવારે સરકાર દ્વારા એ વાતને સાફ રીતે કહેવામાં આવ્યું છે કે, રેસ્ટોરન્ટ માલિક વતી લેવામાં આવતા તમામ સર્વિસ ટેક્સ સંપૂર્ણપણે ગેરકાયદેસર છે. જો તે ગ્રાહક પાસેથી બળજબરી પૂર્વક લેવામાં આવે છે, તો પછી ગ્રાહકને કાનૂની અધિકાર મળશે. હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનને તાત્કાલિક આ વસ્તુ બંધ કરવા કહેવામાં આવ્યું છે.
સરકારે રેસ્ટોરન્ટ માલિકો તરફથી વસૂલવામાં આવતા તમામ ચાર્જના કાયદામાં ફેરફાર કરવાના પક્ષમાં છે.જેથી ગ્રાહક પાસે વધુ તાકાત હશે. ગ્રાહક બાબતોના વિભાગે ગુરુવારે કડકાઈ દેખાડતા (2 જૂન) આ અંગે એક મોટી બેઠક બોલાવી હતી. આ મિટિંગમાં કડકાઈ દેખાડતા સરકારે કહ્યું હતું કે હોટલ એસોસિએશન દ્વારા લેવામાં અઆવતો સર્વિસ ચાર્જ ગેરકાનૂની છે.
સરકાર તરફથી ટૂંક સમયમાં ગ્રાહકોને કાનૂની અધિકાર અપાશે. સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે 2017ના કાયદા મુજબ સર્વિસ ચાર્જ ચૂકવવો કે ન ચૂકવવો તે ગ્રાહકની પસંદગી હતી. જો ગ્રાહક ન ઇચ્છે તો તે આપવાની ના પાડી શકે છે. પરંતુ હોટલવાળાઓ તેને સતત લઈ રહ્યા છે.
આ બેઠકમાં અન્ય ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. હોટેલ એસોસિએશન ઉપરાંત આ બેઠકમાં ઝોમેટો, સ્વિગી, ડેલ્હીવેરી, ઝેપ્ટો, ઓલા, ઉબેર જેવા પ્રોવાઇડર્સના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. કસ્ટમર હેલ્પલાઈન પર આ અંગે સતત ફરિયાદો થતી જોઈને સરકારે આ મોટો નિર્ણય લીધો છે.
સર્વિસ ચાર્જને લઇને ભારત સરકાર દ્વારા 21 એપ્રિલ 2017ના રોજ જાહેર કરવામાં આવેલી ગાઇડલાઇન્સમાં જણાવવામાં આવ્યું હતું કે, ઘણી વખત ગ્રાહક બિલમાં સર્વિસ ચાર્જ ભર્યા બાદ પણ તેઓ બિલમાં જે ચાર્જ લાગશે તે ટેક્સનો ભાગ હશે તેવું વિચારીને વેઇટરને અલગથી ટિપ આપે છે. ખાવાની વસ્તુ પર જે ચાર્જ લખ્યો હોય છે તેમાં જ તેની સર્વિસ સામેલ હોય છે. જે ચાર્જ અલગથી આપવો નથી પડતો.