આઝાદી બાદ પહેલી વાર એક આદિવાસી સમાજના મહિલા આપણા દેશની આગેવાની કરી રહ્યાં છે
વ્યક્તિ કરતાં પક્ષ મોટો, પક્ષ કરતાં દેશ મોટો કારણ કે પક્ષોનું અસ્તિત્વ લોકશાહીને કારણે છે
કાનપુરમાં આયોજિત કાર્યક્રમમાં પીએમ મોદીએ લીધો હિસ્સો
આઝાદીના ચળવૈયા હરમોહન સિંહ યાદવની 10મી પુણ્યતિથિના અવસરે લખનઉના એક કાર્યક્રમને વર્ચ્યુઅલી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે આજે આપણી લોકશાહી માટે ખાસ દિવસ છે કારણ કે નવા રાષ્ટ્રપતિએ શપથ લીધા છે. તેમણે કહ્યું કે આઝાદી બાદ પહેલી વાર એક આદિવાસી સમાજના મહિલા આપણા દેશની આગેવાની કરી રહ્યાં છે.
કાર્યક્રમમાં આગળ બોલતા પીએમ મોદીએ કહ્યું કે અહીં આપણી વિચારધારાઓ કરતાં દેશ અને સમાજનું હિત મોટું છે. જો કે હાલના સમયમાં સમાજ અને દેશના હિતથી વિચારધારાને ઉપર રાખવાનો ટ્રેન્ડ શરૂ થયો છે. મોદીએ કહ્યું કે દરેક રાજકીય પક્ષની જવાબદારી છે કે પક્ષ અને વ્યક્તિનો વિરોધ દેશ વિરુદ્ધ ન થાય. રાજકીય મહત્વાકાંક્ષા હોઈ શકે છે પરંતુ દેશ ટોચ પર છે.
Today is a very big day for our democracy as the new President has been sworn in. For the first time after independence, a woman from tribal community is going to lead our country: PM Modi addressing a programme marking the 10th death anniversary of late Harmohan Singh Yadav pic.twitter.com/U2npQvzoBL
— ANI (@ANI) July 25, 2022
પીએમ મોદીએ કહ્યું કે વ્યક્તિ કરતાં પક્ષ મોટો, પક્ષ કરતાં દેશ મોટો કારણ કે પક્ષોનું અસ્તિત્વ લોકશાહીને કારણે છે અને લોકશાહીનું અસ્તિત્વ દેશને કારણે છે. આપણા દેશના મોટાભાગના પક્ષો ખાસ કરીને તમામ બિનકોંગ્રેસી પક્ષોએ આ વિચારને દેશ માટે સહકાર અને સંકલનના આદર્શ તરીકે અનુસર્યો છે.
મોદીએ એવું કહ્યું કે જ્યારે ભારત-પાકિસ્તાન યુદ્ધ થયું ત્યારે તમામ મુખ્ય પક્ષો સરકાર સાથે ઉભા હતા. જ્યારે દેશે પ્રથમ પરમાણુ પરીક્ષણ કર્યું ત્યારે પણ તમામ મુખ્ય પક્ષો સરકારની સાથે ઉભા હતા. પરંતુ જ્યારે ઈમરજન્સી દરમિયાન દેશની લોકશાહીને કચડી નાખવામાં આવી હતી, ત્યારે આપણે બધાએ સાથે મળીને લોકશાહી બચાવવા લડ્યા હતા.