વિશ્વના મોટાભાગના લોકો પશ્ચિમના વૈજ્ઞાનિકો અને તેમના સંશોધન વિશે વાતો કરે છે, પરંતુ પ્રાચીન ભારતમાં વિશ્વના અનેક મહાન વૈજ્ઞાનિકો થઇ ચુક્યા છે. જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. આપણા દેશના વિદ્યાર્થીઓ પણ ચરક, સુશ્રુત, આર્યભટ્ટ અને ભાસ્કરાચાર્ય વગેરે જેવા ટોચના પ્રાચીન વૈજ્ઞાનિકોના કાર્યોથી વાકેફ નહીં હોય. આચાર્ય કણાદનું નામ હજુ પણ પશ્ચિમના વૈજ્ઞાનિક ડાલ્ટન સાથે જોડાયેલું છે, કારણ સૌ પ્રથમ કણાદ ઋષિએ જ કહ્યું હતું કે પદાર્થ ખૂબ જ નાના કણોથી બનેલો છે. આધુનિક વિજ્ઞાન હજુ પણ પ્રાચીન ભારતના વિજ્ઞાન કરતા અનેકગણું પાછળ છે. ચાલો જાણીએ પ્રાચીન ભારતના મહાન વૈજ્ઞાનિકો અને તેમની શોધો વિષે
મહર્ષિ અગસ્ત્ય (BC 3000): વીજળીના શોધક, આકાશમાં ઉડતા બલૂન અને એરક્રાફ્ટ ટેક્નોલોજીના જનક તરીકે ઓળખાય છે.
બૌધયાન (800 બીસી): પ્રમેય, ભૂમિતિ અને ત્રિકોણમિતિના પિતા તરીકે ઓળખાય છે. બૌધયાનથી પ્રેરિત થઈને, પાયથાગોરસે તેમના પ્રમેય સિદ્ધાંતની રચના કરી.
ઋષિ કણાદ (600 બીસી): અણુ, ગુરુત્વાકર્ષણ અને ગતિના સિદ્ધાંતના જનક તરીકે ઓળખાય છે. સૌ પ્રથમ તેમણે જ અણુ અને પરમાણુની માહિતી આપી હતી. અને જણાવ્યું હતું કે, આ આખું વિશ્વ માત્ર અણુનું માળખું છે.
ઋષિ ભારદ્વાજ (600 બીસી): એરોનોટિકલ ટેકનોલોજીના પિતા. વિમાન ટેકનિક વિશે, ભારદ્વાજ પહેલા ભારત આ ટેકનિકથી પરિચિત હતું, પરંતુ જેમ પતંજલિએ યોગને વ્યવસ્થિત સ્વરૂપ આપીને એક નવો આયામ આપ્યો, તેવી જ રીતે ઋષિ ભારદ્વાજે પ્રાચીન વિમાન ટેક્નિકને વ્યવસ્થિત અને લીપીબદ્ધ કર્યું.
આચાર્ય ચરક (300-200 બીસી): આયુર્વેદાચાર્ય અને ત્વચા સંબંધિત દવાના જનક તરીકે ઓળખાય છે. તેમણે વનસ્પતિ વિજ્ઞાનની શોધખોળ કરી હતી. અને દેશ અને દુનિયાની લાખો ઔષધિઓ વિશે જણાવ્યું. 8મી સદીમાં વાગભટજી દ્વારા તેમના કાર્યોને આગળ ધપાવવામાં આવ્યા હતા. યુનાની દવા પણ આયુર્વેદથી પ્રેરિત છે.
મહર્ષિ સુશ્રુત (400 બીસી): શસ્ત્રક્રિયાના શોધક, પ્લાસ્ટિક સર્જરી જેવી ઘણી જટિલ શસ્ત્રક્રિયાઓના સિદ્ધાંતો રજૂ કર્યા હતા.
નાગાર્જુન (2જી સદી): રસાયણશાસ્ત્રી અને ચિકિત્સક નાગાર્જુન દ્રવ્ય, રસાયણશાસ્ત્ર અને ધાતુશાસ્ત્રના પિતા છે. તેમણે સોનું બનાવવાના પ્રાચીન વિજ્ઞાનને યોગ્ય સાબિત કર્યું હતું.
વરાહમિહિરા (499-587 એડી): ખગોળશાસ્ત્રી જેમણે કહ્યું કે આયંશાનું મૂલ્ય 50.32 સેકન્ડ જેટલું છે. વૈદ્યશાળાઓ બનાવી અને સૌર, ચંદ્ર, વાર્ષિક અને પાક્ષિક નામના કેલેન્ડર વિકસાવ્યા.
આર્યભટ્ટ (475 એડી): સાબિત કર્યું કે પૃથ્વી ગોળ છે, તે સૂર્યની આસપાસ ફરે છે. પૃથ્વી સહિત તમામ ગ્રહોના અક્ષાંશ-રેખાંશ, પરિઘ અને વ્યાસ જણાવ્યા હતા. સૂર્યથી પૃથ્વીનું અંતર પણ જણાવ્યું હતું. દશાંશ પદ્ધતિ પણ વિકસાવી. ગણિતમાં શૂન્યનો ઉપયોગ શરૂ કરનાર તેઓ પ્રથમ હતા.
ભાસ્કરાચાર્ય (1114-1179 એડી): ગુરુત્વાકર્ષણ, ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ વિશે સચોટ માહિતી આપી. તેમણે વરાહમિહિર અને આર્યભટ્ટનું કાર્ય આગળ ધપાવ્યું હતું.