• કંથારપુરામાં મહાકાલી વડ ગુજરાતનું સૌથી મોટું વૃક્ષ
• ત્યાં મહાકાલી માતાની સ્વયભું મૂર્તિનું મંદિર આવેલું છે
• ઘણા ખેડૂતોના ખેતરમાં પણ ફેલાયેલું છે વૃક્ષ
ગુજરાતમાં અનેક અજાયબી ભરેલા સ્થળો આવેલ છે. ત્યારે ગુજરાતમાં એક એવું વડ વૃક્ષ આવેલ છે જેનો વ્યાપ 2.5 વીઘામાં ફેલાયેલો છે. આ વૃક્ષ ગુજરાતનું સૌથી વધુ ફેલાયેલું વૃક્ષ છે. અહી વડના ઘેરાવ વચ્ચે મહાકાલી મા નું મંદિર પણ આવેલું છે. કહેવાય છે કે અહી મહાકાલી માતાની મૂર્તિ સ્વયંભુ પ્રગટ થઇ છે. એટલે જ કદાચ આ વૃક્ષને મહાકાલી વડ કહેવામાં આવે છે.
આ વૃક્ષ ગુજરાતના પાટનગર ગાંધીનગર પાસે આવેલ દહેગામ તાલુકાના કંથારપુરા ગામે આવેલું છે. અહી લોકો આજુબાજુના સીટીમાંથી પીકનીક અને ફરવા માટે આવે છે. લોકો અહી બેસીને નિરાંતે ફેમીલી સાથે અથવા મિત્રો સાથે વાતો કરતા જોવા મળે છે.
આ વડ વૃક્ષ વર્ષે ફરતે 5 મીટર જેટલું વધુ જગ્યામાં ફેલાઈ છે અને આ વૃક્ષનો ફેલાવો ન અટકે તે માટે આજુબાજુના ખેડૂતો પણ વૃક્ષને પોતાના ખેતરમાં ફેલાતા કાપતા નથી. જોકે લોકોની ઘણી માન્યતાઓને લીધે પણ લોકો આ વૃક્ષને કાપતા નથી.
એવું પણ કહેવામાં આવે છે કે આ વૃક્ષ 500 વર્ષ જેટલું જુનું છે. તેમાંની ઘણી બધી વડવાઈ તો એટલી જાડી છે કે અત્યારે તે થડ જેવી લાગે છે. અહી આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ વિઝીટ કરી ચુક્યા છે. હાલમાં થોડા સમય પહેલા જ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ આ વૃક્ષની મુલાકાત લીધી હતી અને આ વૃક્ષના સંરક્ષણ અને આજુબાજુના ડેવલોપમેન્ટ માટે 14.96 કરોડ રૂપિયા ફાળવ્યા છે.