Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડવાની દુર્ઘટનાએ રાજ્યભરમાં ભારે હાહાકાર મચાવી દીધો છે. જેમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યો છે. જે ગોઝારી ઘટના બાદ પોલીસ કાર્યવાહીનો ધમધમાટ પણ શરૂ કર્યો છે જેમાં સિક્યુરિટી ગાર્ડ સહિતના 9 જેટલા લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી. જે સમગ્ર ઘટના બાદ મુખ્યમંત્રીથી લઈ વડાપ્રધાન મોદી સહિત દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી છે. મોરબી દુર્ઘટના બાદ પોલીસની કાર્યવાહીનો ધમધમાટ ચાલુ છે. મોરબી દુર્ઘટના બાદ પોલીસની કાર્યવાહીનો ધમધમાટ યથાવત છે. ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાની પોલીસે પૂછપરછ શરૂ કરી છે. નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહની પૂછપરછમાં મોટું રહસ્ય ખુલવાની પણ ચર્ચા વહેતી છે. અગાઉ ચીફ ઓફિસરે દાવો કર્યો હતો કે, ફિટનેશ સર્ટી વગર પુલ શરૂ કરવાનો. નગરપાલિકાના ચીફ…

Read More

199ની એવરેજવાળું દેશનું પ્રથમ હાઈડ્રોજન બાઈક ગુજરાતમાં બનશે. આ અંગે આણંદની ચરોતર ગેસ સહકારી મંડળી લિ અને ટ્રાઈટન ઈલે. વ્હીકલ વચ્ચે MoU થયા છે. તેથી સમગ્ર ભારતમાં સમભવત: વિશ્વમાં પ્રથમ વખત હાઈડ્રોજનથી ચાલતાં ટુ વ્હીલર બનાવવાની દિશામાં ટ્રાઈટન ઈલેક્ટ્રીક વ્હીકલ (ટીઈવી) કંપની દ્વારા હાઈડ્રોજનના વ્હીકલ બનાવવામાં આવશે. ચરોતર ગેસ સહકારી મંડળી-ટ્રાઈટન ઈલે. વ્હીકલ વચ્ચે MoU થયા છે. 199ની એવરેજવાળું દેશનું પ્રથમ હાઈડ્રોજન બાઈક ગુજરાતમાં બનશે. આ અંગે આણંદની ચરોતર ગેસ સહકારી મંડળી લિ અને ટ્રાઈટન ઈલે. વ્હીકલ વચ્ચે MoU થયા. તેથી સમગ્ર ભારતમાં સમભવત: વિશ્વમાં પ્રથમ વખત હાઈડ્રોજનથી ચાલતાં ટુ વ્હીલર બનાવવાની દિશામાં ટ્રાઈટન ઈલેક્ટ્રીક વ્હીકલ (ટીઈવી) કંપની દ્વારા હાઈડ્રોજનના…

Read More

ગુજરાતમાં આજકાલમાં ચૂંટણીની તારીખો જાહેર થઇ જશે. ત્યારે ચૂંટણી પહેલા રાજ્યમાં સતત બદલીનો દોર યથાવત રીતે ચાલી રહ્યો છે. એવામાં ચૂંટણી પહેલા ગુજરાતમાં વધુ એક ફેરફાર કરવામાં આવ્યો છે. રાજ્યમાં બિન હથિયારી 27 PIની બદલી કરવામાં આવી છે. એ માટે ખુદ રાજ્ય પોલીસવડાએ બદલીના આદેશ આપ્યા છે. ગૃહવિભાગે તાજેતરમાં જ રાજ્યમાં 17 સિનિયર IPS અધિકારીઓની બદલીના આદેશ આપ્યા હતા. આ અગાઉ બિન હથિયારી 76 DySPની બદલી કરાઇ હતી. એ પહેલાં મામલતદાર કક્ષાના 24 અધિકારીઓની બદલીના આદેશ આપવામાં આવ્યા હતા. આ અગાઉ 7 ડેપ્યુટી કલેક્ટરોની પણ બદલીના મહેસૂલ વિભાગે આદેશ આપ્યા હતા. તદુપરાંત 42 ડે. કલેક્ટરની બદલી તેમજ 26 મામલતદારોને પણ…

Read More

ચીનમાં ફરી એકવાર કોરોના વિસ્ફોટની સ્થિતિ જોવા મળી રહી છે. વિશ્વની સૌથી મોટી આઈફોન ફેક્ટરીની આસપાસમાં કોરોના સંક્રમણ ફેલાઈ ગયું છે, જેના કારણે ફેક્ટરીમાં કામ કરતા કામદારો ભાગવા લાગ્યા છે અને અન્ય વિસ્તારોમાં કોરોના ચેપને ફેલાતો અટકાવવા માટે ચીને એક મોટું પગલું ભર્યું છે. ચીને દુનિયાની સૌથી મોટી iPhone ફેક્ટરી iPhone City ની આસપાસના વિસ્તારમાં લોકડાઉન લાદી દીધું છે. આ વિસ્તારોમાં ઈમરજન્સી સેવાઓ સિવાય તમામ પ્રકારની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ રહેશે. ન્યૂઝ એજન્સી બ્લૂમબર્ગના જણાવ્યા અનુસાર ચીની સત્તાવાળાઓએ બુધવારે વિશ્વની સૌથી મોટી આઈફોન ફેક્ટરીની આસપાસનો વિસ્તાર 9 નવેમ્બર સુધી બંધ કરી દીધો હતો. એટલે કે આ વિસ્તારોમાં લોકડાઉન જારી કરવામાં આવ્યું છે કારણ…

Read More

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કર્ણાટકમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વૈશ્વિક રોકાણકાર પરિષદ ઇન્વેસ્ટ કર્ણાટક-2022 નું ઉદ્ઘાટન કર્યું હતું. જેમાં લોકોને સંબોધતા કહ્યું કે, ભારતમાં યુક્રેન-રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અને તાજેતરના કોરોના રોગચાળાના કારણે સર્જાયેલી પરિસ્થિતિની વિપરીત અસર પડી છે. જેને લઈ હવે સમગ્ર વિશ્વ ભારત તરફ આશા સાથે જોઈ રહ્યું છે. ઇન્વેસ્ટ કર્ણાટક 2022 સમિટમાં પીએમ મોદીએ કર્ણાટકની પ્રાકૃતિક સુંદરતા અને સંસ્કૃતિ વિશે વાત કરી હતી. તેમણે કહ્યું કે, અહીં પરંપરા અને ટેક્નોલોજી બંને છે. આ તે જગ્યા છે જ્યાં પ્રકૃતિ અને સંસ્કૃતિનો અનોખો સમન્વય જોવા મળે છે. જ્યારે આપણે ટેલેન્ટ અને ટેક્નોલોજી વિશે વાત કરીએ છીએ, ત્યારે સૌથી પહેલી વસ્તુ જે આપણા મગજમાં…

Read More

આજે રાજ્યવ્યાપી શોકના પગલે અમદાવાદના ટાઉન હોલ ખાતે AMC દ્વારા પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. મોરબી દુર્ધટનાના દિવંગત આત્માઓને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદના ટાઉનહોલ ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. AMC દ્વારા આયોજિત આ પ્રાર્થનાસભામાં રામધૂન અને ભજનોની પ્રસ્તુતિ સાથે દિવંગત આત્માઓની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. ટાગોર હોલમાં ભાવભીનો માહોલ છવાઈ ગયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબી દુર્ઘટનાના  દિવંગતોના શોકમાં આજરોજ ૨ નવેમ્બરે ગુજરાતમાં રાજ્યવ્યાપી શોક પાળવામાં આવ્યો છે. અમદાવાદના ટાઉન હોલ ખાતેના શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી  પ્રદીપભાઇ પરમાર,અમદાવાદ શહેર મેયર  કિરીટભાઇ પરમાર, સ્થાનિક સાંસદ અને ધારાસભ્ય, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર…

Read More

ગુજરાતના મોરબીમાં લગભગ 100 વર્ષ જૂનો સસ્પેન્શન બ્રિજ તુટી ગયા પછી પશ્ચિમ બંગાળ સરકાર પણ એક્શનમાં આવી ગઈ છે. રાજ્ય સરકાર તરફથી અહીં હાજર તમામ 2,109 બ્રિજની “સ્વસ્થ તપાસ” કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, એટલે કે, તેની મજબૂતાઈ અને અન્ય પરીક્ષણો, જેથી સમયસર કોઈપણ અનિચ્છનીય ઘટનાને ટાળી શકાય. મોરબી બ્રિજ દુર્ઘટનામાં 135થી વધુ લોકોના મોત બાદ રાજ્ય સરકારે વરિષ્ઠ અધિકારીઓ અને એન્જિયરોની સાથેની બેઠકમાં આવું કરવાનો નિર્ણય લીધો હતો. રાજ્ય સરકારના જાહેર બાંધકામ વિભાગના પ્રધાન પુલક રોયે, વરિષ્ઠ અધિકારીઓ અને એન્જિયરોની સાથેની બેઠક દરમિયાન, તેમને તમામ પુલોની સ્થિતિનું નિરીક્ષણ કરવા અને નવેમ્બરના અંત સુધીમાં જરૂરી ખામીઓ સાથેનો અહેવાલ ફાઇલ કરવાનો…

Read More

મુંબઈના ચેમ્બુર કેમ્પ વિસ્તારમાં ગઈકાલે રાત્રે શિવસેના ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે જૂથના બે પદાધિકારીઓ વચ્ચે ઝઘડો થયો હતો. આ ઘટના ચેમ્બુર કેમ્પ વિસ્તારમાં શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથની શાખા 154માં બની હતી. ચેમ્બુર શિવસેના શાખાના વર્તમાન પ્રમુખ અને પૂર્વ પ્રમુખ વચ્ચે મધ્યરાત્રિએ ચર્ચા થઈ હતી. દરમિયાન, ઘટનાની જાણ થતાં જ ચેમ્બુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઉદ્ધવ ઠાકરે જૂથની મહિલા શાખા પ્રમુખ સહિત તમામ કાર્યકરોને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. આ પછી બંનેએ એકબીજા વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, બંને પદાધિકારીઓ વચ્ચે પરસ્પર વિવાદના કારણે બોલાચાલી થઈ હતી. દરમિયાન, ચેમ્બુર પોલીસ સ્ટેશનમાં કેટલાક પુરુષ શિવસૈનિકો વિરુદ્ધ છેડતીનો કેસ નોંધવામાં…

Read More

ભ્રષ્ટાચાર સામે કડક કાર્યવાહી કરતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ફરી એકવાર લાંચ લેવાના આરોપી પોલીસ અધિકારીને ડિમોટ કરીને સિપાહી બનાવી દીધો. ગૃહ વિભાગ તરફથી ટ્વીટ કરીને આ જાણકારી આપવામાં આવી છે. વાસ્તવમાં, વિદ્યા કિશોર શર્મા, રામપુર સદરના તત્કાલીન સર્કલ ઓફિસર/ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટને લાંચ લેવાના આરોપમાં તેમના મૂળ પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. સીઓ વિદ્યા કિશોર શર્મા પર રામપુરમાં પોસ્ટિંગ દરમિયાન લાંચ લેવાનો આરોપ હતો. તપાસ બાદ આક્ષેપો સાચા હોવાથી કાર્યવાહી કરવામાં આવી છે. તેમને તેમના મૂળ પદ પરથી ડિમોટ કરવામાં આવ્યા. વિદ્યા કિશોર શર્માની યુપી પોલીસમાં કોન્સ્ટેબલના પદ પર નિમણૂક કરવામાં આવી હતી, પ્રમોશન મળ્યા બાદ તેમને ડેપ્યુટી એસપી તરીકે પોસ્ટ…

Read More

ગુજરાત વિધાનસભાની ચૂંટણી આજકાલમાં જાહેર થઇ શકે છે. ત્યારે વધુ એક વખત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. ગૃહમંત્રી અમિત શાહ આજથી 4 દિવસના ગુજરાત પ્રવાસે આવશે. આજે સાંજે 7 વાગે તેઓ ગુજરાત આવી પહોંચશે. ગુજરાત આવ્યા બાદ તેઓ મોરબીની મુલાકાત લેશે. જ્યાં તેઓ મોરબી દુર્ઘટનામાં મૃતક પામેલા મૃતકોના પરિવારજનોને શ્રદ્ધાંજલિ પાઠવી શકે છે. ત્યાર બાદ આવતીકાલથી અમિત શાહ 3 દિવસ સુધી ભાજપની સંકલન બેઠકમાં હાજર રહેશે. જેમાં દાવેદારી નોંધાયેલ ઉમેદવારોના મંથનમાં તેઓ હાજર રહેશે. નોંધનીય છે કે, ભાજપની સંકલન બેઠક એક દિવસ પાછી ઠેલાઈ છે. કારણ કે સંકલનની આ બેઠક આજે જ યોજાવાની હતી પરંતુ મોરબીની…

Read More