What's Hot
- આર્મી ચીફ ઉપેન્દ્ર દ્વિવેદીએ ચિત્રકૂટમાં દીક્ષા લીધી, રામભદ્રાચાર્યે ગુરુદક્ષિણામાં કરી આવી માંગ
- એમેઝોન પર નવો સેલ શરૂ, 1.5 ટન સ્પ્લિટ AC પર 50% સુધીનું બમ્પર ડિસ્કાઉન્ટ
- મોટોરોલાનો બીજો ફ્લેગશિપ ફોન લોન્ચ, 5200mAh બેટરી સહિત શક્તિશાળી સુવિધાઓ મળશે
- IPL 2025 લીગ સ્ટેજ મેચો પૂર્ણ થઈ ગઈ, ઓરેન્જ કેપ રેસમાં કોહલી આ નંબર પર
- ICC ODI રેન્કિંગમાં ભારે ઉથલપાથલ, એક ભારતીય સહિત 4 બોલરોએ છલાંગ લગાવી, એક ધાકડ બોલર ટોપ-10માંથી બહાર
- આ સંયોગ RCB માટે ફાઇનલના દરવાજા ખોલી રહ્યો છે, શું આ વખતે પણ આ ચમત્કાર થશે?
- દિલ્હી પોલીસમાં મોટા પાયે ફેરબદલ, 24 IPS અને 14 DANIPS અધિકારીઓની બદલી, જાણો કોને ક્યાં મોકલવામાં આવ્યા
- મહારાષ્ટ્રમાં વરસાદે તબાહી મચાવી, માત્ર 5 દિવસમાં વરસાદમાં 21 લોકોના મોત, મુખ્યમંત્રીએ આપ્યો આ આદેશ
Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
કોરોના કેસોમાં વધારો આવતા સરકાર એકસન મોડમાં 10 રાજ્યો Kendra સરકાર મોકલશે ટીમ અનેક રાજ્યમાં નાતાલ અને ન્યુયરની ઉજવણી પર પ્રતિબંધ કોરોનાના વધી રહેલા કેસને જોતા દેશના અનેક રાજ્યોમાં ક્રિસમસ અને નવા વર્ષની પાર્ટીઓ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. કોરોનાનો આ નવો વેરિયંટ ઓમિક્રોન પણ ભયાનક રૂપ લેતો જઈ રહ્યો છે. દેશભરમાં ઓમિક્રોનના કેસ 400ને પર થઇ ગયા છે. જેને ધ્યાનમાં રાખીને 25 ડિસેમ્બરથી લઈને નવા વર્ષ સુધી સરકારે કડક પગલાં લેવાના શરૂ કરી દીધાંછે. દેશભરની ચર્ચો અને ઉજવણીના સ્થળોએ કોરોના સંબંધી પ્રોટોકોલનૃપાલન કરવાની સલાહ આપવામાં આવી રહી છે. કોરોનાની સાથે જ ઓમિક્રોનના વધતા ખતરાને જોતા સરકાર રસીકરણ પર…
ભારતે ટોસ હારીને પ્રથમ બેટિંગ કરી હતી ઓલરાઉન્ડર રાજ્યવર્ધન હેંગરગેકરે વિસ્ફોટક બેટિંગ કરી આરાધ્ય યાદવે યૂશ વનડે ક્રિકેટની અંદર પોતાની પહેલી ફિફ્ટી નોંધાવી અંડર-19 એશિયા કપમાં પાકિસ્તાન વિરૂદ્ધ ઈન્ડિયન ટીમ ટોસ હારી પહેલા બેટિંગ કર્યું હતું. ભારત 49 ઓવરમાં 237 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ત્યારે ટાર્ગેટ ચેઝ કરવા ઉતરેલી પાકિસ્તાની ટીમની શરૂઆત ઘણી ખરાબ રહી અને બીજા જ બોલ પર રાજવર્ધને ઓપનર અબ્દુલ વાહિદને 0 રનના સ્કોર પર બોલ્ડ કર્યો હતો. 3 ઓવર સુધી PAKનો સ્કોર 11/1 રહ્યો હતો. પાકિસ્તાની ફાસ્ટ બોલર જિશાન જમીરે 5 વિકેટ લઈ ઈન્ડિયન ટોપ ઓર્ડર બેટરને ઓછા સ્કોરમાં આઉટ કરી દીધા હતા. પરંતુ ત્યારપછી…
કોરોનામાં ઉછાળો આવતા રાત્રિ કરફ્યુના સમયમાં વધારો કરાયો રાજ્યમાં રાતે 11થી સવારે 5 સુધી રહેશે કરફ્યુ રાજ્યના 8 મહાનગરોમાં લાગુ પડશે નિયમ રાજ્યમાં ઓમિક્રોન વાયરસની એન્ટ્રી બાદ કોરોના કેસોમાં સતત વાધરો નોંધાઈ રહ્યો છે. જેને કારણે સરકાર પણ ચિંતામાં મુકાઇ છે. કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારોને યોગ્ય આયોજન કરવા સૂચના આપવામાં આવી હતી. ત્યારે દેશના અનેક રાજ્યોમાં સરકારે પગલાં લીધા છે. ત્યારે ગુજરાત સરકારે પણ આજે મોટી જાહેરાત કરી છે. કોરોના વાયરસના કેસમાં સતત વધારો થતા ગુજરાત સરકારે ખૂબ જ મોટો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે રાત્રિ કર્ફ્યૂના સમયમાં ફેરફાર કર્યો છે. હવેથી રાજ્યમાં 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી…
ઉત્તરાખંડમાં હરકસિંહ રાવતના રાજીનામામાં નવો વળાંક અમિત શાહે ડેમેજ કંટ્રોલ કરતાં મામલો થાળે પડયો મંત્રીએ રાજીનામાની જાહેરાત કરતા ભાજપમાં હડકંપ મચ્યો ઉત્તરાખંડના ભાજપના નેતા હરકસિંહ રાવતે રાજીનામાંની જાહેરાત કરતા પાર્ટીમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. હરકસિંહ રાવતે રાજીનામું આપવાની જાહેરાત કરતાં પાર્ટીમાં ગતિવિધિઓ તેજ થઈ જવા પામી હતી. ત્યારે કોંગ્રેસમાં જોડાવાના એંધાણ પણ સામે આવ્યા હતા. ત્યારે ઉત્તરાખંડમાં હરકસિંહ રાવતના રાજીનામા અને મંત્રી પદ છોડવાના મામલામાં મોટો વળાંક આવ્યો છે અને એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભાજપે રાવતને મનાવી લીધા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સાથે બીજેપી સાંસદ અનિલ બલુનીએ પણ હરક સિંહ સાથે વાતચીત કરી છે. આ…
સ્વિગીએ લોકપ્રિય વાનગીઓની યાદી બહાર પાડી લોકોએ સૌથી વધુ 50 લાખ ઓર્ડર સમોસાના કર્યા સ્વિટમાં લોકોની પહેલી પસંદ ગુલાબ જાંબુ બની રાતના 10 વાગ્યા પછી ભારતીયોનો ટેસ્ટ થાય છે ચેન્જ ભારતીયની ઓળખ એટ્લે ફૂડ કહી શકાય ભારતનો વ્યક્તિ કોઈપણ દેશમાં વસવાટ કરતો હોય પણ એ હમેશા પોતાના ખોરાકને લઈ અલગ તારી આવે છે. ભારતીય પહેલેથીજ ખાવાના સોખીન રહ્યા છે. એમાં પણ હવે ફૂડ હોમ ડીલેવરી આવતા જાણે ભગવાન મળી ગયા હોય તેમ ઘરે બેઠા ધડાધડ ફૂડ ઓર્ડર કરવામાં આવી રહ્યા છે. વિશ્વમાં ભારતના લોકો ખાવા-પીવાના ખૂબ શોખીન ગણાય છે. આ વર્ષે પણ તેમણે દબાઇને ખાવામાં કોઇ સંકોચ અનુભવ્યો નથી. જો…
મમતા બેનર્જી અને મોદી વચ્ચે થયો વિવાદ મોદીની સભામાં મમતા બેનર્જીને બોલવા દેવામાં ન આવ્યા મોદીએ બોલાવેલ આજની બેઠકમાં મમતા બેનર્જી ગેર હાજર રહ્યા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી વચ્ચે વિવિદ થયો હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે વાત એવી બની છે કે, પીએમ મોદીએ આજે બોલાવેલી એક બેઠકમાં પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી હાજર રહ્યા ન હતા. આને આ ઘટના પછી સીએમ મમતા બેનર્જી અને પીએમ મોદી વચ્ચે તણાવ સામે આવ્યો છે. ઋષિ અરવિંદોની 150મી જન્મજયંતિ નિમિત્તે પીએમ મોદીએ આજે સમિતિની બેઠક બોલાવી હતી. પરંતુ મમતા બેનર્જી આ બેઠકમાં પહોંચ્યા ન હતા. વાસ્તવમાં, તેઓ…
સ્વીડનની ડિસરપ્ટિવ સબ-ડર્મલ્સ કંપનીએ બનાવી એડવાન્સ ચિપ નાની એવી ચિપમાં તમારો ડેટા થઈ શકે છે સ્ટોર ઘણા લોકોએ આ માઇક્રોચિપનો ઉપયોગ કર્યો શરૂ 21મી સદી ચાલી રહી છે. ત્યારે આજના આ આધુનિક યુગમાં રોજે નાવી નવી ટેકનૉલોજિ આવી રહી છે. રોજે કોઈને કોઈ નવી ટેકનૉલોજિનું પ્રશિક્ષણ કરવામાં આવે છે. જેટલી નવી સુવિધા અને ટેકનૉલોજિ આવી રહી છે. સામે તેટલાજ પ્રમાણમાં લોકોની ગોપનીયતા ખોવાઈ રહી છે. ત્યારે સ્વીડનમાં એક ડિસરપ્ટિવ સબ-ડર્મલ્સ કંપની એક માઇક્રોચિપ વિકસાવી રહી છે. જેમાં કોઈપણ વ્યક્તિ તેમના અંગત ડેટાને સુરક્ષિત કરી શકે છે અને તેને શરીરમાં ફીટ કરી શકે છે. વ્યક્તિગત ડેટાને અનલૉક કરવા માટે કોડને ચિપમાં…
ભારતીય બોલર હરભજન સિંહે ક્રિકેટ જગતથી લીધો સન્યાસ 17 વર્ષની ઉમરે ભજ્જીએ ટીમમાં ડેબ્યું કર્યો હતો હરભજનની નિવૃતિથી ચાહકોમાં આઘાત ભારતના ક્રિકેટ પ્રેમીઓ માટે એક દુખદ સમાચાર સામે આવ્યા છે. ભારતીય ટીમના દિગ્ગજ બોલર એવા હરભજન સિંહે ક્રિકેટ જગતને અલવિદા કહ્યું છે. હરભજને આજે પોતાના રિટાયરમેંટની જાહેરાત કરી છે. ભારતના દિગ્ગજ સ્પિનર હરભજન સિંહે આંતરારષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી દીધી છે, હરભજન સિંહે વર્ષ 1998માં ડેબ્યું કર્યું હતું, અને હવે સંપૂર્ણ રીતે ક્રિકેટને અલવિદા કહેવાનો નિર્ણય કર્યો છે. માત્ર 17 વર્ષની ઉંમરમાં હરભજન સિંહે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. અને આજે તેઓ 41 વર્ષના છે. હરભજન સિંહે વર્ષ 1998માં…
નવા વર્ષથી અનેક વસ્તુ થશે મોંઘી કેટલીક વસ્તુના જીએસટીમાં કરાશે વધારો કપડા, ફૂટવેર અને ઓનલાઈન ફૂડ ઓર્ડરમાં જીએસટી વધશે નવા વર્ષને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે ભારતીય સૌ તૈયાર રહેજો, નવા વર્ષથી ખર્ચમાં વધારો થવા જઇ રહ્યો છે. સરકાર દ્વારા કેટલીક વસ્તુ પર જીએસટીમાં વધારો કરવામાં આવી રહ્યો છે. ભારતમાં જાન્યુઆરી 2022 થી દરેકના ખિસ્સા પર બોજ વધવા જઇ રહ્યો છે. સામાન્ય માણસને 1 જાન્યુઆરી 2022 થી ઘણી વસ્તુઓ પર વધતા ટેક્સનો સામનો કરવો પડશે. નવું વર્ષ તમારા માટે ખુશીઓ લઈને આવી રહ્યું છે પરંતુ મોંઘવારી તમને થોડી પરેશાન કરી શકે છે. કપડા અને જૂતા-ચપ્પલ ખરીદવાથી લઈને ખાવાનું ઓનલાઈન…
આમલીમાં રહેલા તત્વો શરીર માટે છે ખૂબ ફાયદા કારક આમલી વજન ઘટાડવાની સાથે સાથે ઇમ્યુનિટી વધારે છે પાચનતંત્રની સાથે સાથે હદયને પણ મજબૂત રાખે છે આમલી ગુજરાતીઓની ઓળખ એના ફૂડથી પણ થતી હોય છે. જેમાં ગુજરાતી એટેલે ભજીયા અને ભજીયા એટ્લે ગુજરાતી કહીએ તો પણ ખોટું નથી પરંતુ ભજીયા એકલા ખવામાં આવતા નથી ભજીયાની સાથે ચટણી પણ ખવાઇ છ,જે મુખ્યત્વે આંબલી માથી બનાવવામાં આવે છે. ત્યારે ચટણી બનાવવામાં ઉપયોગમાં લેવાતી આંબલી ખાલી સ્વાદ માટે જ નથી. આંબલીના અનેક ફાયદા પણ છે શું તમે એ જાણો છો? આમલીને ઘરોમાં જમવાનો સ્વાદ વધારવા માટે વાપરવામાં આવે છે. જ્યાં કેટલાક લોકોને ખાટી-મીઠી આમલી…