What's Hot
- આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો
- આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ
- આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
- રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે
- યોગી સરકારના મંત્રી ગુલાબો દેવી બન્યા માર્ગ અકસ્માતનો ભોગ, ટોલ પ્લાઝા પાસે કાફલાના અનેક વાહનો એકબીજા સાથે અથડાયા
- આ ખતરનાક મિસાઈલ ફાઈટર જેટ તેજસ Mk-1A માં પણ લગાવવામાં આવશે, પાકિસ્તાનની સાથે ચીન પણ ધ્રૂજશે
- લૂંટ દરમિયાન ઝવેરીની ગોળી મારી હત્યા, લોકોએ એક આરોપીને પકડીને માર માર્યો; ત્રણ ફરાર
- વેરાવળ જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પરિસર ખાલી કરાવાયું, પોલીસ વિભાગમાં ગભરાટ
Author: Mukhya Samachar
India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
ગુજરાતમાં કોરોના કેસમાં આવ્યો નોંધપાત્ર ઘટાડો કોરોના રિકવરી રેટમાં આવ્યો વધારો દર્દીને હોસ્પિટલાઈઝેશનની જરૂર નહિવત જોવા મળી રાજ્યભરમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. એક તરફ કોરોનાના કેસોમાં ઘટાડો થયો છે, તો બીજી તરફ ગુજરાતમાં સાજા થતા દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં છેલ્લા 3 દિવસમાં 13,950 કોરોનાના કેસ નોંધાયા છે. હજારો કેસો નોંધવા છતાં આ વખતે હોસ્પિટલાઈઝેશનની જરૂર નહિવત જોવા મળી છે. અમદાવાદની વાત કરીએ તો, અમદાવાદની ખાનગી કોવિડ19 હોસ્પિટલમાં માત્ર 9 ટકા એટલે 274 દર્દીઓ જ સારવાર હેઠળ છે. ખાનગી હોસ્પિટલમાં કુલ 3165 બેડમાંથી 2891 બેડ ખાલી છે. ખાનગી કોવિડ19 હોસ્પિટલમાં 24 દર્દીઓ…
ભારત ફિલિપાઈન્સને બ્રહ્મોસ મિસાઈલ આપશે અંદાજે ૨૮ અબજ રૂપિયાનો કરાર કરવામાં આવ્યો આ કરારથી શસ્ત્ર-સામગ્રીની નિકાસને બળ મળશે મહાસતા બનવા તરફ પ્રયાણ કરતું ભારત, ભારત માટે શસ્ત્રોના વેચાણ માટે દરવાજા ખુલ્લી રહા છે. ભારત ફિલિપાઈન્સને બ્રહ્મોસ મિસાઈલ આપશે. ભારત-ફિલિપાઈન્સ વચ્ચે ૩૭.૪ કરોડ ડોલર એટલે કે અંદાજે ૨૮ અબજ રૂપિયાનો કરાર થયો છે. ફિલિપાઈન્સ નેવીએ આ અંગે સત્તાવાર નિવેદન આપ્યું હતું. બ્રહ્મોસ મિસાઈલ ખરીદનારો ફિલિપાઈન્સ વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે. ભારત પ્રથમ વખત આ મિસાઈલ વેચશે. બ્રહ્મોસ એરોસ્પેસ પ્રાઈવેટ લિમિટેડ અને ફિલિપાઈન્સની નેવી વચ્ચે ૩૭.૪ કરોડ ડોલરનો સોદો થયો છે. અંદાજે ૨૮ અબજ રૃપિયાના આ સોદા અંતર્ગત ભારત ફિલિપાઈન્સની નેવીને એન્ટિ…
ભાજપ પાર્ટી દેશનો સૌથી અમીર રાજકીય પક્ષ ભાજપે 4847.78 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી ભાજપ બાદ બીજી સૌથી અમીર રાજકીય પાર્ટી બહુજન સમાજ પાર્ટી કેન્દ્રમાં સત્તાધારી પક્ષ ભાજપે તમામ રાજકીય પક્ષોમાં સૌથી અમીર પાર્ટી છે. 2019-20 નાણાકીય વર્ષ માટે ભાજપે 4847.78 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી છે. ભાજપ બાદ બીજી સૌથી અમીર રાજકીય પાર્ટી બહુજન સમાજ પાર્ટી છે જે બીજા સ્થાન પર છે. ચૂંટણી સુધારાઓની દિશામાં કામ કરનારી સંસ્થા એસોસિયેશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સે આ આંકડાઓ જાહેર કર્યા છે. ADRના રિપોર્ટ પ્રમાણે 2019-20માં ભાજપે 4 હજાર 847.78 કરોડની સંપત્તી જાહેર કરી છે. જે બધા જ રાજકીય પક્ષોમાં સૌથી વધુ છે. ભાજપ…
માસવાર એકમ કસોટી શાળા કક્ષાએ જ યોજાશે ધો. 9થી12ની તમામ સ્કૂલોમાં હવે અમલવારી થશે 25 લાખ વિદ્યાર્થીઓને એકમ કસોટીનો લાભ થશે ગુજરાતની ધો. 9થી12ની તમામ સ્કૂલોમાં હવે માસવાર એકમ કસોટીએ શાળા કક્ષાએ જ યોજાશે. ગઇ કાલે શિક્ષણમંત્રીએ ટ્વિટર પર આ જાહેરાત કરી છે. રાજ્યની 18 હજારથી વધુ માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોના 25 લાખ વિદ્યાર્થીઓને એકમ કસોટીનો લાભ થશે. સરકારે ધો.9થી12ની એકમ કસોટીઓ અને સત્રાંત પરીક્ષાઓ બોર્ડના પ્રશ્નપત્રો અને બોર્ડના જ કોમન ટાઈમ ટેબલ આધારિત જ સમગ્ર રાજ્યની સ્કૂલોમાં લેવાનું નક્કી કર્યું હતું. પરંતુ જેમાં બોર્ડના પ્રશ્નપત્રો પરીક્ષા વાઈરલ થવાથી માંડી ઘણી સ્કૂલો પોતાની રીતે પરીક્ષા લેવા સહિતના અનેક વિવાદો ઉભા થયા…
કિશન ભરવાડ હત્યા કેસમાં અમદાવાદના મૌલવીની ભૂમિકા હત્યારાઓને મૌલવીએ રિવોલ્વર અને ટિપ આપી હતી ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી મૃતકની શોક સભામાં આપી હાજરી અમદાવાદ જિલ્લાના ધંધૂકા શહેરમાં માલધારી સમાજના યુવકની અજાણ્યા શખસોએ કરેલી હત્યાના કેસમાં પોલીસે બે શંકાસ્પદ આરોપીને ઝડપી લીધા છે. ત્યારે ગૃહ રાજ્યમંત્રી પોતે મૃતક યુવકનાં પરિવારજનોને મળવા પહોંચ્યા હતા. તેમણે મૃતક કિશન ભરવાડને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આ દરમિયાન હર્ષ સંઘવીએ મૃતકનાં પરિવારજનો અને સમાજના આગેવાનો સાથે બંધ બારણે બેઠક કરી હતી. તેમણે કહ્યું કે, આ હત્યા એક ષડયંત્ર છે. કિશન બોળીયા હત્યા કેસમાં ગૃહરાજ્યમંત્રીએ મીડિયાને સંબોધન કરતા જણાવ્યું હતું કે, હત્યાના અલગ અલગ રૂપ હોઈ શકે છે.…
વિવાદનું ધામ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી અધ્યાપક મંડળના મંત્રીએ કર્યો મોટો આક્ષેપ 800 માંથી 250 પ્રોફેસરના જ નામ મતદાર યાદીમાં વિદ્યાનુ નહીં પણ વિવાદનું ધામ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બની ગઈ હોય તેમ વધુ એક વખત વિવાદ સામે આવ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અવાર નવાર વિવાદમાં આવતી હોય છે. ત્યારે વધુ એક વખત યુનિવર્સિટીમાં વિવાદ સામે આવ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એક વખત વિવાદમાં આવી છે. સેનેટની ચૂંટણી પહેલા પ્રોફેસરના નામ મતદાર યાદીમાંથી ગાયબ થઈ ગયા છે. સૌરાષ્ટ્રની અલગ-અલગ ગ્રાન્ટેડ અને સરકારી કોલેજમાં 800 જેટલા પ્રોફેસર છે. જેમાંથી માત્ર 250 પ્રોફેસરના નામ જ મતદાર યાદીમાં છે. બાકીના નામો ગાયબ થતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી…
એર ઇન્ડિયાની કમાન સંભાળતું ટાટા ગ્રુપ ટાટા ગ્રુપે કમાન સંભાળતા જ ફ્લાઇટના નાસ્તામાં કર્યા ફેરફાર એર ઈન્ડિયાને ટૈલેસ પ્રાઈવેટ લિમિટેડને રૂ. 18,000 કરોડમાં વેચી દીધી હતી કેન્દ્ર સરકારે ગુરુવારે એરલાઈન એર ઈન્ડિયાને ટાટા ગ્રૂપને સોંપ્યા બાદ TATA ગુરુવારથી જ પોતાની ફ્લાઈટ્સમાં કેટલાક ફેરફાર કરવા જઈ રહી છે. સૌથી પહેલા તો તે સારો નાસ્તો આપવાનું શરૂ કરશે. ટાટા જૂથે ગુરુવારે મુંબઈથી કાર્યરત ચાર ફ્લાઈટ્સ પર ‘એડવાન્સ્ડ મીલ સર્વિસ’ શરૂ કરીને એર ઈન્ડિયામાં તેનું પ્રથમ પગલું ભર્યું છે, એમ ખાનગી કંપનીના અધિકારીઓએ બુધવારે જણાવ્યું હતું. જો કે, હાલ માટે, ગુરુવારથી જ એર ઈન્ડિયાની ફ્લાઈટ્સ ટાટા જૂથના બેનર હેઠળ ઉડશે નહીં. નોંધનીય છે…
યુવકનો પેટ્રોલપંપ પર આત્મ વિલોપનનો પ્રયાસ દીવાસળી ચાંપે એ પહેલાં બચાવી લેવાયો પેટ્રોલપંપ પર એક મોટી દુર્ઘટના થતાં અટકી રાજકોટના રૈયા રોડ પર આવેલા ન્યારા પેટ્રોલપંપ ખાતે ગઇકાલે રાત્રે એક યુવકે શરીર પર જ્વલનશીલ પ્રવાહી છાંટી કાંડી ચાંપવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પેટ્રોલપંપ પર હાજર સ્ટાફ અને અન્ય લોકોની સતર્કતાને કારણે આ યુવાનનો જીવ બચી ગયો હતો, આથી મોટી દુર્ઘટના ટળી હતી. યુવાને આક્ષેપ કર્યો હતો કે થોડા દિવસ પહેલાં પેટ્રોલપંપના સંચાલકે માર માર્યો હતો. હાલ પોલીસે યુવકની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સમગ્ર દૃશ્યો પેટ્રોલપંપના સીસીટીવીમાં કેદ થયાં છે. સીસીટીવીમાં જોવા મળે છે કે રૈયા રોડ…
ગુજરાત યુનિવર્સિટીમાં વર્ષમાં બે વખત થશે પ્રવેશ પ્રક્રિયા નવી એજ્યુકેસન પોલિસી સાથે નવી સિસ્ટમ બનાવતી યુનિવર્સિટી મે-જૂન અને ફેબ્રુઆરીમાં થશે પ્રવેશ પ્રક્રિયા ગુજરાત યુનિવર્સિટીમાં એક જ વર્ષમાં બે વાર એડમિશન પ્રક્રિયા થશે. નવી એજ્યુકેસન પોલિસીના લાગુ કરવાની સાથે જ યુનિવર્સિટીઓ પણ એકેડેમીક યરમાં બદલાવ કરી રહી છે. જે અંતર્ગત ગુજરાત યુનિવર્સિટીએ રાજ્યમાં પહેલીવાર વર્ષમાં બે વાર એડમિશન પ્રક્રિયા શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. જેનો સૌથી વધુ ફાયદો વિદેશથી આવનાર અને જવા ઇચ્છતા વિદ્યાર્થીઓને થશે. આ ઉપરાંત મોડા એડમિશન લેનાર વિદ્યાર્થીઓને પણ એક વધુ વિકલ્પ મળશે. શરૂઆતના તબક્કામાં કુલ 15 પ્રોફેશનલ કોર્સની 500થી વધુ સીટો પર વિન્ટર પ્રવેશ અપાશે. વિદેશથી અભ્યાસ…
દિલ્હીમાં પ્રતિબંધોમાં રાહત આપવામાં આવી કોરોનાના કેસમાં ઘટાડો થતા અપાઈ છૂટછાટ વિકેન્ડ કર્ફ્યુ ખતમ કરવામાં આવ્યું દેશ ભરમાં ઓમિક્રોન અને કોરોના કેસમાં ઉછાળો આવ્યો છે. ત્રીજી વેવ દેશમાં ચાલી રહી છે. ત્યારે રાજધાની દિલ્હીમાં કોરોના કેસમાં ઘટાડા બાદ હવે સામાન્ય લોકોને પ્રતિબંધોમાંથી રાહત મળી છે. ગુરુવારે કોરોનાની સ્થિતિ પર દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સપ્તાહના અંતમાં કર્ફ્યુ અને બજારોમાં ઓડ-ઈવન સિસ્ટમનો અંત લાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, રાત્રી કર્ફ્યુ હાલ ચાલુ રહેશે. તે જ સમયે, સિનેમા હોલ 50 ટકા ક્ષમતા સાથે ખુલશે. લગ્ન સમારોહમાં 200 લોકોના ભાગ લેવા પર પણ છૂટ આપવામાં આવશે.…

