What's Hot
- આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો
- આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ
- આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
- રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે
- યોગી સરકારના મંત્રી ગુલાબો દેવી બન્યા માર્ગ અકસ્માતનો ભોગ, ટોલ પ્લાઝા પાસે કાફલાના અનેક વાહનો એકબીજા સાથે અથડાયા
- આ ખતરનાક મિસાઈલ ફાઈટર જેટ તેજસ Mk-1A માં પણ લગાવવામાં આવશે, પાકિસ્તાનની સાથે ચીન પણ ધ્રૂજશે
- લૂંટ દરમિયાન ઝવેરીની ગોળી મારી હત્યા, લોકોએ એક આરોપીને પકડીને માર માર્યો; ત્રણ ફરાર
- વેરાવળ જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પરિસર ખાલી કરાવાયું, પોલીસ વિભાગમાં ગભરાટ
Author: Mukhya Samachar
India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
કોરોનાનો રાફડો ફાટયો નવા 58 હજાર સંક્રમિત થયા સાડાપાંચ મહિના પછી પહેલીવાર આટલા બધા કેસ નોંધાયા અનેક રાજ્યોએ નિયમો કડક કર્યા, ગાઈડ લાઇન લાદી મંગળવારે દેશમાં કોરોના કેસોમાં વિસ્ફોટ જોવા મળ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોના દર્દીઓની સંખ્યામાં 56%ના વધારા સાથે 58 હજાર 97 કેસ સામે આવ્યા છે, જ્યારે 534 લોકોનાં મોત થયાં છે. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 2 લાખ 14 હજાર થઈ છે. દેશમાં અત્યારસુધી 3.43 કરોડ કેસ નોંધાયા છે, જ્યારે 4.82 લાખ લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યારસુધી કુલ વેક્સિનેશન 147.72 કરોડ ડોઝ અપાયા છે. દેશમાં સાડાપાંચ મહિના પહેલાં, એટલે કે 19 જુલાઈના રોજ…
રાશિ ભવિષ્ય : 5-1-2022 વિક્રમ સંવત 2078 સાકૅ ૧૯૪૩ વીર સવંત 2548પોસ સુદ શુક્લ પક્ષ. તિથિ ત્રીજ બુધવાર તારીખ .5.1.2022 દૈનિક પંચાંગ આજે સૂર્ય ઉદય 7:00 અને 15 મીનીટે આજે સૂર્ય અસ્ત સાંજે 18.25 આજની રાશી મકર. અક્ષર . ખ .જ . જ્ઞ. આજનું નક્ષત્ર. શ્રવણ.. આજનો યોગ. વજ્ર આજે કરણ. I વરિયાન. આજે અભિજીત વિજય મુહૂર્ત12:15 થી 12:52 આજે રાહુકાળ બપોરે 3:05થી4:30 આજે પંચક નો પહેલો દિવસ વિછુડો નથી આજે વ્રજ મુશળ યોગ છે આ જે રાજયોગ છે. આજે શુક્ર પશ્ચિમમાં આ મહિનો ધનસંક્રાંતિએટલે કે સૂર્ય ધન રાશિમાં છે ધનારક કમુરતા ચાલે છે. દૈનિક રાશિ ભવિષ્ય. મેષ રાશિ-…
લીંબુની છાલથી શરીરને અનેક ફાયદાઓ થાય છે વજન ઘટાડવામાં મદદ કરે છે લીંબુની છાલ લીંબુની છાલમાં ભરપૂર માત્રામાં ફ્લેવાનોઈડ જેવા પોષક તત્વો હોય છે આપણે રોજ બરોજના જીવનમાં લીંબુનો ખૂબ ઉપયોગ કરતાં હોઈએ છીએ પરંતુ શું તમને ખબર છે કે લીંબુની છાલથી અનેક ફાયદાઓ થાય છે. લીંબુનો રસ સ્વાસ્થ્ય જાળવવા ઉપરાંત ત્વચાને સુંદર બનાવવા માટે પણ ઉપયોગી છે. લીંબુમાં ભરપૂર માત્રામાં વિટામિન-સી હોય છે જે સ્વાસ્થ્ય ઉપરાંત વાળના ગ્રોથ માટે પણ ઉપયોગી છે. તે સિવાય તેની છાલ પણ પોષક તત્વોથી ભરપૂર હોય છે. લીંબુની છાલ વજન ઘટાડવા ઉપરાંત અન્ય કેટલીક રીતે પણ ઉપયોગી છે. વજન ઘટાડવા માટે લીંબુના રસનો…
કોરોના મહામારી બાદ બેરોજગારીમાં આવ્યો ઉછાળો ભારતનો બેરોજગારી દર ૭.૯ ટકાની ચાર મહિનાની ટોચે પહોંચ્યો શહેરી ક્ષેત્રોમાં બેરોજગારી દર વધીને ૯.૩ ટકા અને ગ્રામીણ વિસ્તારમાં ૭.૩ ટકા કોરોના મહામારીના ફટકા બાદ ભારતીય અર્થવ્યવસ્થામાં રિકવરીના સંકેતો વચ્ચે પણ વધી રહેલી બેરોજગારી ચિંતાજનક બાબત છે. ડિસેમ્બર ૨૦૨૧માં ભારતનો બેરોજગારી દર ૭.૯ ટકાની ચાર મહિનાની ટોચે પહોંચ્યો છે એવું સરકારી આંકડામાં જાણવા મળ્યુ છે. સેન્ટ્રલ ફોર મોનેટરિંગ ઇન્ડિયન ઇકોનોમિ (સીએમઆઇઇ)ના આંકડા મુજબ ડિસેમ્બરમાં બેરોજગારી દર વધીને ૭.૯ ટકા થયો છે જે ઓગસ્ટના ૮.૩ ટકા પછીનો સૌથી ઉંચો બેકારીનો દર છે. તાજેતરમાં કોવિડ-૧૯ના નવા વેરિયન્ટ ઓમિક્રોનના કેસો એકાએક વધતા ઘણા રાજ્યોમાં સોશિયલ ડિસ્ટન્સિંગ સહિત…
સલમાન ખાનની ત્રિપલ રોલ વાળી ફિલ્મ આવશે? નો એન્ટ્રીની સિકવન્સ બનાવવામાં આવશે બહુ જલદી જ આ કોમેડી ફિલ્મનું શૂટિંગ શરૂ થશે સલમાન ખાનની ફિલ્મ નો એન્ટ્રી સાલ ૨૦૦૫માં રિલીઝ થઇ હતી. બોક્સ ઓફિસ પર આ ફિલ્મે ટંકશાળ પાડી હતી. હવે લાંબા સમયથી આ ફિલ્મની સિકવલની તૈયારી થઇ રહી છે. જેનું નામ નો એન્ટ્રી મેં એન્ટ્રી હોવાનું કહેવાય છે. જોકે આ ફિલ્મની સિકવલ બનાવાની યોજનાની ચર્ચા ઘણી વખત થઇ છે, પરંતુ પછીથી પડતી મુકાઇ છે. જોકે હવે રિપોર્ટ છે કે, આ ફિલ્મના આગલા ભાગની ફિલ્મસર્જકે તૈયારી શરૂ કરી દીધી છે. સલમાન ખાને પોતાના જન્મદિવસે ફિલ્મ નો એન્ટ્રીની સિકવલની અનિસ બઝમી સાથેની…
ભારત શ્રેણી જીતવાના ઇરાદે આવશે ક્રિઝ પર જોહનીસબર્ગના વાન્ડેરેર્સ ગ્રાઉન્ડમાં ભારત ક્યારેય ટેસ્ટ મેચ હાર્યું નથી સાઉથ આફ્રિકા શ્રેણી બચાવવા માટે ઝઝુમશે સેન્ચુરિયનમાં ૧૧૩ રનથી યાદગાર વિજય મેળવ્યા બાદ ભારતીય ટીમ આવતીકાલથી જોહનીસબર્ગમાં શરૃ થઈ રહેલી સાઉથ આફ્રિકા સામેની બીજી ટેસ્ટની સાથે શ્રેણી જીતી લેવાના ઈરાદા સાથે ઉતરશે. ભારત અત્યાર સુધી ક્યારેય સાઉથ આફ્રિકાની ભૂમિ પર ટેસ્ટ શ્રેણી જીતી શક્યું નથી અને કોહલીની કેપ્ટન્સી હેઠળની ભારતીય ટીમ ઐતિહાસિક ટેસ્ટ શ્રેણી વિજયની સિદ્ધિ હાંસલ કરવા માટે હોટફેવરિટ છે. આવતીકાલથી શરૃ થનારી ટેસ્ટ જોહનીસબર્ગના વાન્ડેરેર્સ સ્ટેડિયમમાં રમાશે. ભારત આ મેદાન પર ક્યારેય ટેસ્ટ મેચ હાર્યું નથી. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની શ્રેણીની…
આજનો દિવસ વિક્રમ સંવત 2078, સાકૅ ૧૯૪૩ વીર સવંત 2548પોસ સુદ શુક્લ પક્ષ, તિથિ બીજ. આજે શુક્ર અસ્તછે પશ્ચિમમાં મંગળવાર તારીખ .4.1.2022 દૈનિક પંચાંગ આજે સૂર્ય ઉદય 7:00 અને ૨૦ મીનીટે ઊગશે અને સૂર્ય અસ્ત સાંજે 18.30 આજની રાશી મકર./ અક્ષર . ખ .જ . જ્ઞ. આજનું નક્ષત્ર. ઉતરા સા થા આજનો યોગ. હર્ષ આજે કરણ. I તેતિલ આજે અભિજીત મુહૂર્ત12:12 થી ન 12:55 / આજે રાહુકાળ બપોરે 3:15 થી4:35 / આજે પંચક નથી/ વિછુડો પણ નથી ,/ આજે વ્રજ મુશળ યોગ છે દૈનિક રાશિ ભવિષ્ય. મેષ રાશિ- આજે તમને કેટલીક સારી અંગત માહિતી મળશે. જેના કારણે મન પ્રસન્ન…
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 1259 કેસ નોંધાયા રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત!! એક જ દિવસમાં કોરોનાને કારણે 3ના મોત નિપજ્યાં રાજ્યમાં કોરોનાના ઓમીક્રોન વેરિયન્ટની એન્ટ્રી વચ્ચે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1259 કેસ નોંધાયા છે. ગુજરાતમાં હવે ત્રીજી લહેર શરૂ થઈ ગઈ છે રાજ્યમાં આજે નોંધાયેલા કેસનો આંકડો ચિંતાજનક છે. કોરોના વાયરસના કેસ વધવાની સાથે આજે ત્રણ મોત પણ થયા છે. રાજ્યમાં આજે અમદાવાદમાં 631, સુરત શહેરમાં 213, વડોદરા શહેરમાં 58, વલસાડમાં 40, રાજકોટ શહેરમાં 37, આણંદમાં 29, ખેડામાં 24, રાજકોટ જિલ્લામાં 24, ગાંધીનગર શહેરમાં 18, ભાવનગર શહેરમાં 17, ભરૂચ, નવસારીમાં 16-16, અમદાવાદ જિલ્લામાં 13 કેસ, મહેસાણા, સુરત…
ગુજરાતમાં બનશે દેશની પ્રથમ લિથિયમ રિફાઇનરી અમદાવાદમાં બુલેટપ્રૂફ જેકેટ અને ટેન્કનું ઉત્પાદન થશે વાયબ્રન્ટ પૂર્વે વધુ 39 એમઓયુ કરાયા ગુજરાતમાં વાઈબ્રન્ટ ગુજરાત 2022નું આયોજન થનાર છે. આ સમિટમાં 30 જેટલા દેશના ઉદ્યોગ પતિઓ ખાસ હાજરી આપનાર છે. ત્યારે આજરોજ ગુજરાતમાં 300 મિલિયન ડોલરના મૂડી રોકાણ સાથે દેશની પ્રથમ લિથિયમ રિફાઇનરી સ્થાપવા માટે મણીકરણ લીથીયમ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રાજ્યના ઉદ્યોગ વિભાગ સાથે એમઓયુ કરવામાં આવ્યા છે. આ કંપની રિફાઇનરી સ્થાપવા માટેનું સ્થળ હવે પસંદ કરશે. આ રિફાઇનરીમાં હાઇ પ્યોરિટી બેટરી ગ્રેડ લિથિયમનું ઉત્પાદન થશે. દેશમાં અત્યારસુધીમાં આવી એકપણ રીફાઇનરી નથી. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ પૂર્વે દર સોમવારે સચિવાલયમાં એમઓયુ કરવાના…
દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ કોરોના પોઝિટિવ ઘરમાં જ ક્વોરન્ટીન થયા હોવાની ટ્વિટ કરી આપી માહિતી છેલ્લા 5 દિવસમાં 5 મોટા શહેરમાં હજારો લોકોને મળ્યા હતા ભારતમાં ફરી એકવાર કોરોના કેસોમાં ઉછાળો આવી રહ્યો છે. રોજે નવા નવા અઢળક કેસો સામે આવી રહ્યા છે. ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને કોરોના થયો છે. તેમણે સવારે 8.11 વાગ્યે ટ્વીટ કરીને આ વાતની જાણ કરી છે. તેમણે કહ્યું હતું કે મારો કોવિડનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મને હળવાં લક્ષણો છે. હું ઘરમાં ક્વોરન્ટીન થયો છું. મારા સંપર્કમાં આવેલા લોકો પણ આઈસોલેટ થઈ જાય અને પોતાનો ટેસ્ટ કરાવે. અરવિંદ કેજરીવાલે એક દિવસ પહેલાં જ ઉત્તરાખંડના દેહરાદૂનમાં…

