Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના મતદાનની તારીખોના કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયો છે. મોટા ભાગની બેઠકો પર ઉમેદવારોના નામ પણ જાહેર થઈ ગયા છે. ત્યારે વિધાનસભાની ચૂંટણી જીતવા માટે રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર-પ્રસારથી લઈ તમામ તૈયારીઓ કરી રહ્યાં છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ચૂંટણી જીત માટે રાજકીય બેઠકોનો દાવપેચ શરૂ કરી દીધો છે. ચૂંટણી પ્રચાર માટે ભાજપે 40 જેટલા સ્ટાર પ્રચારકો નિમ્યા છે. જો કે કોંગ્રેસ પણ પ્રચારમાં પાછી પાની કરવા માગતી નથી જેથી તેણે પણ વિધાનસભાની ચૂંટણી માટે સ્ટાર પ્રચાકોની યાદી જાહેર કરી છે. વિધાનસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસે સ્ટાર પ્રચાકોની યાદી જાહેર કરી છે. જેમાં મલ્લિકાર્જૂન ખડગે, સોનિયા,રાહુલ ગાંધી…

Read More

ગુજરાતમાં હાલ ચૂંટણીનો માહોલ બરાબરનો જામ્યો છે. ત્યારે પીએમ મોદી બે દિવસનાં ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. વડાપ્રધાન મોદી 19 નવેમ્બરનાં રોજ બે દિવસના પ્રવાસે આવી રહ્યા છે. આ પ્રવાસમાં તે પહેલા તબક્કામાં આવતા સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતમાં જન રેલી સંબોધશે. આપને જણાવી એ કે, ગુજરાતમાં બે તબક્કામાં મતદાન થવાનું છે. જેમાં પહેલા તબક્કાનું મતદાન પહેલી અને બીજા તબક્કાનું મતદાન પાંચમી ડિસેમ્બરનાં રોજ થવાનું છે. ગુજરાત ચૂંટણીના માહોલ વચ્ચે વડાપ્રધાન મોદી 19 નવેમ્બરે વાપીમાં રોડ શો કરશે. આ ઉપરાંત વલસાડમાં જનસભાને સંબોધન કરશે. આ સાથે 20 નવેમ્બરે પ્રધાનમંત્રી મોદી ચાર જનસભાને સંબોધશે. PM મોદી સૌરાષ્ટ્રમાં વેરાવળ, ધોરાજી, અમરેલી, બોટાદમાં જનસભાને…

Read More

મોરબી પુલ દુર્ઘટના મામલે ગુજરાત હાઇકોર્ટમાં સુઓમોટો પર સુનાવણી હાથ ધરાઇ. જેમાં રાજ્ય સરકાર તરફથી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ સોગંદનામું રજૂ કર્યું હતું. એડવોકેટ જનરલે કોર્ટમાં નિવેદન આપતા કહ્યું કે, ‘દિવાળીના તહેવારના લીધે પુલ પર લોકોનો ઘસારો હતો. દરરોજ સરેરાશ 3165 મુલાકાતીઓ આવતા હતા, એક સમયે ૩૦૦ મુલાકાતીઓ બ્રિજ પર રહેતા. તપાસ ચાલી રહી છે, FSL પણ તપાસ કરી રહી છે. અધિકારીને સસ્પેન્ડ કરાયા છે અને કેટલાકની ધરપકડ પણ કરાઈ છે.’ ત્યારે આ મામલે હાઇકોર્ટે સવાલ પૂછતા કહ્યું કે, ‘કરાર બાદ પુલનું સમારકામ થવું જોઈતું હતું અને પછી એન્જીનિયરોએ પ્રમાણિક કરવાનું હતું પણ કશું ન કરાયું. પ્રથમ કરારની મુદ્દત પૂર્ણ થયા…

Read More

ગુજરાત વિધાનસભાની ચૂટણીને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે. એવામાં તમામ રાજકીય પક્ષો મતદારોને આકર્ષવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. આ વખતે ભાજપે વિરમગામ બેઠક પરથી પાટીદાર નેતા હાર્દિક પટેલને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે હાર્દિક પટેલના ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા આજે વિરમગામમાં એક જાહેરસભાનું આયોજન કરાયું હતું. આ તકે પ્રદેશ ભાજપ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા, ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશી, સુરેન્દ્રનગરના સાંસદ ડોક્ટર મહેન્દ્ર મુંજપરા, ગાંધીનગર દક્ષિણ બેઠકના ઉમેદવાર અલ્પેશ ઠાકોર સહિત મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો, કાર્યકરો અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા. જાહેરસભામાં સ્ટેજ પરથી હાર્દિક પટેલે કહ્યું હતું કે, નરેન્દ્રભાઈ મોદી અને દેશના મક્કમ ગૃહમંત્રી અમિતભાઈ…

Read More

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં ઓરીનો રોગ ફેલાયો છે. અહીં 740 શંકાસ્પદ બાળ દર્દીઓ મળી આવ્યા છે. મળતી માહિતી મુજબ મુંબઈના દેવનાર, ગોવંડી વિસ્તારમાં 50 બાળકોમાં ઓરીના લક્ષણો જોવા મળ્યા છે. જે બાદ તેમને કસ્તુરબા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ સિવાય અહીં 109 બાળકો સંક્રમિત થયા છે. ઓરીના કારણે અત્યાર સુધીમાં 3 બાળકોના મોત થયા છે. તમને જણાવી દઈએ કે, સમાન લક્ષણો ધરાવતા બાળકોને દાખલ કરવા માટે પાલિકાની કસ્તુરબા હોસ્પિટલમાં એક ખાસ વોર્ડ બનાવવામાં આવ્યો છે. કસ્તુરબા હોસ્પિટલમાં, તેનાથી સંક્રમિત બાળક વેન્ટિલેટર પર છે અને તે મૃત્યુ સાથે લડાઈ લડી રહ્યો છે. તે જ સમયે, લગભગ પચાસ બાળકોને શંકાસ્પદ લક્ષણો સાથે…

Read More

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જામી ગઈ છે અને એક બાદ એક રાજકીય ઉથલ પાથલ શરૂ થઈ ગઈ છે. રાજકીય પક્ષો ચૂંટણી જીતવા માટે પોતાની રણનીતિ પ્રમાણે આગળ વધી રહ્યા છે.  જેમ જેમ રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં આવી રહી છે, તેમ તેમ નેતાઓના પક્ષપલટાઓ શરૂ થઈ ગયા છે. રાજકીય પક્ષોના નેતાઓની અદલા-બદલીનો ફરી દોર શરૂ થઈ ગયો છે. આ બધાની વચ્ચે પૂર્વ ગૃહ મંત્રી વિપુલ ચૌધરીના આમ આદમી પાર્ટીમાં જોડાવાની અટકળો ચાલી રહી હતી તેનો અંત આવ્યો છે. પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીએ ચૂંટણી નહીં લડવાનો નિર્ણય કર્યો છે. અર્બુદા સેનાએ ચૂંટણીને લઇ મહત્વનો નિર્ણય કર્યો છે. અર્બુદા સેના ચૂંટણીમાં…

Read More

વિશ્વની વસ્તી આજે વધીને 8 અબજ થઈ ગઈ છે. દુનિયામાં માનવી એટલો મોટો પરિવાર બની ગયો છે કે આવનારા વર્ષોમાં અનાજ સહિતની તમામ જરૂરિયાતોની અછત સર્જાઈ શકે છે. જોકે નિષ્ણાતો માને છે કે, આ સદીમાં એવો સમય આવશે જ્યારે વસ્તી વૃદ્ધિ સ્થિર થશે અને પછી ઘટાડો પણ જોવા મળશે. પરંતુ છેલ્લા 48 વર્ષમાં વસ્તીમાં થયેલો વધારો ચોંકાવનારો છે. 1974માં વિશ્વની વસ્તી માત્ર 4 અબજ હતી જે હવે 8 અબજને વટાવી ગઈ છે. 1950માં વિશ્વની વસ્તી માત્ર અઢી અબજ હતી. એટલું જ નહીં, 2086 એવું વર્ષ હશે જ્યારે આ દુનિયામાં માનવીની વસ્તી 10.6 અબજને વટાવી જશે. જો તમે આંકડાઓ પર નજર નાખો તો ચીનમાં હજુ પણ 142 કરોડની…

Read More

દેશ અને રાજ્યમાં પ્રદૂષણના સ્તરમાં વધારો થઈ રહ્યો છે, તેમાય મોટા શહેરોમાં વધતુ જતું પ્રદુષણ એક ગંભીર સમસ્યા બની ગઈ છે. સામાન્ય દિવસોમાં વાહનોના ધૂમાડાના કારણે વાયુ પ્રદુષણનું સ્તર વધે છે પરતું તહેવારોની સિઝનમાં આ પ્રદૂષણની માત્રા વધી જતી હોય છે તેમાય તે દિવાળી જેવા તહેવારોમાં તો ખાસ, દિવાળીમાં નાના બાળકોથી લઈને મોટા સૌ કોઈ ફટાકડા ફોડવાની મજા લેતા હોય છે, પરતું તેને ખ્યાલ સુદ્ધા પણ નથી આવતો કે આ ફડાકડામાં રહેલા ઝેરી તત્વો હવામા ભળે છે, ઝેરી વાયુ, ઝેરી ધૂમાડો, કાર્બન ડાયોક્સાઈનું પ્રમાણ વાતાવરણમાં વધારી દે છે તેના કારણે વાયુ પ્રદુષણનું જોખમ વધી જાય છે. દેશની રાજધાની દિલ્હી બાદ…

Read More

અમદાવાદમાં રસ્તે રખડતાં ઢોરના કારણે તાજેતરમાં એક પરિવારે ઘરનો મોભી ગુમાવ્યો હતો. આ ઘટનાને લઈ કૃષ્ણનગર પોલીસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જવાબદાર અધિકારી અને ઢોરના માલિક વિરુદ્ધ માનવવધનો ગુનો નોંધ્યો હતો. ગુજરાતમાં લગભગ પ્રથમ વખત ઢોરના કારણે થયેલા અકસ્માતમાં જવાબદારો વિરુદ્ધ ગુનો નોંધાયો હોવાનું સામે આવ્યું હતું. હાઈકોર્ટના કડક વલણ બાદ AMC તંત્રએ મૃતક યુવકના પરિવારને વળતર ચૂકવવાનો નિર્ણય લીધો હતો.  AMC દ્વારા મૃતકના પરિવારજનોને 5 લાખનું વળતર ચૂકવવામાં આવ્યું છે. સાથે જ મહિના દરમિયાન કરેલી કામગીરીનું હાઈકોર્ટમાં મ્યુનિ.એ સોગંદનામું રજૂ કર્યું છે. સોગંદનામામાં કોર્પોરેશન દ્વારા કહેવામાં આવ્યું છે કે, કોર્પોરેશને રખડતા પશુને અટકાવવા અનેક પગલા લીધા છે. અમદાવાદમાં વધુ રખડતા પશુ હોય…

Read More

ગુજરાત ચુંટણીને લઇને મહત્વના સમાચાર સામે આવી રહ્યાં છે. જેમાં આજે સત્તાધારી ભાજપ પક્ષે ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી દીધી છે. જેમાં વધુમાં 12 ઉમેદવારોને ચુંટણી જંગમાં ઉતારવામાં આવ્યા છે.  જેમાં ગાંધીનગર દક્ષિણથી અલ્પેશ ઠાકોરને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે કલોલથી બકાજી ઠાકોર અને રાધનપુરથી લવિંગજી ઠાકોર તથા પાટણથી રાજુલ દેસાઇને ટિકિટ અપાઈ છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં ભાજપ દ્વારા 178 ઉમેદવારોની જાહેરાત કરી દેવામાં આવી છે. ત્યારે હવે માત્ર 4 બેઠક પરના ઉમેદવારોના નામનું એલાન કરવાનું બાકી રહ્યું છે. જેમાં માણસા, ખેરાલુ, રાવપુરા, માંજલપુર બેઠકનો સમાવેશ થાય છે. ગઇકાલે ભારતીય જનતા પાર્ટીએ ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે 12…

Read More