Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી-20 સમિટમાં ભાગ લેવા માટે આજે ઇન્ડોનેશિયાના બાલી જવા રવાના થશે. પીએમ મોદી 14 થી 16 નવેમ્બર સુધી બાલીમાં રહેશે. G-20 સમિટ 15-16 નવેમ્બરે છે. લગભગ 45 કલાકના રોકાણ દરમિયાન પીએમ મોદી 20 કાર્યક્રમોમાં ભાગ લેશે. વિશ્વના 20 દેશોના સૌથી મોટા સમૂહ G-20ના નેતાઓની સમિટમાં ભાગ લેવા ઉપરાંત વડાપ્રધાન તેમાં ભાગ લેનાર 10 દેશોના વડાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો પણ કરશે. જેમાં બહુપક્ષીય અને દ્વિપક્ષીય મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવશે. ભારત G-20 સંગઠનના આગામી પ્રમુખ G-20 સંસ્થાના આગામી પ્રમુખ ભારત છે અને તેની આગામી બેઠક સપ્ટેમ્બર 2023માં નવી દિલ્હીમાં યોજાવાની છે. આ દૃષ્ટિકોણથી પણ પીએમ મોદીની આ…

Read More

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે અનેક જગ્યાએ ટિકિટ જાહેર કર્યા બાદ ઉમેદવારોનો વિરોધ થઈ રહ્યો છે. જેમાં ભાજપની પરંપરાગત વઢવાણ બેઠક પર પણ ભાજપને જાહેર કરેલા ઉમેદવાર બદલવાની ફરજ પડી છે. વાત જાણે એમ છે કે, વઢવાણ બેઠક પર ભાજપે છેલ્લી ઘડીએ નામ બદલ્યુ છે. અગાઉ જાહેર કરાયેલા જીગ્ના પંડ્યાનું નામ બદલીને જગદિશ મકવાણાનું નામ જાહેર કરવામાં આવ્યું છે. જોકે હવે જગદીશ મકવાણાનું નામ જાહેર કરતા બ્રહ્મસમાજમાં વિરોધ જોવા મળી રહ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાની વઢવાણ બેઠકને લઈ કોકડું ગૂંચવાતું જ જાય છે. પહેલા ભાજપે વઢવાણ બેઠક પર બ્રહ્મસમાજના જીગ્ના પંડ્યાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા. જે બાદમાં અચાનક વઢવાણ બેઠક પર ભાજપે છેલ્લી ઘડીએ નામ બદલ્યુ છે. વઢવાણ બેઠક પર છેલ્લી…

Read More

દેશભરમાં ગેસ સિલિન્ડરની વધતી કિંમતોને લઈને સરકારી તેલ કંપનીઓએ મોટો નિર્ણય લીધો છે. હવે તમારે ગેસ સિલિન્ડર ખરીદવા માટે પણ વધુ રૂપિયા ખર્ચવા પડશે. તમને જણાવી દઈએ કે એલપીજી સિલિન્ડર પર મળતું ડિસ્કાઉન્ટ હવે બંધ કરવામાં આવ્યું છે. એટલે કે હવેથી તમારે LPG બુક કરાવવા માટે પણ વધુ રૂપિયા ખર્ચવા પડશે. ડિસ્કાઉન્ટ થશે બંધ તમને જણાવી દઈએ કે સરકારી ઓઈલ કંપનીઓ દ્વારા કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર 200 થી 300 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવતું હતું, જેને હવે નાબૂદ કરી દેવામાં આવ્યું છે. કોમર્શિયલ સિલિન્ડર પર વધુ ડિસ્કાઉન્ટ આપતા વિતરકોની ફરિયાદોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. દેશની ત્રણ સરકારી ઓઈલ…

Read More

કેન્દ્ર સરકારે ટીબી, એચઆઈવી, હેપેટાઈટિસ બી, ડાયાબિટીઝ જેવી ગંભીર બિમારીઓ સામે ઝઝૂમી રહેલા લોકોને રાહત આપતા રાષ્ટ્રીય આવશ્યક ઔષધી સૂચિ (એનએલઈએમ) રવિવારે લાગૂ કરી દીધી છે. તેનાથી કેટલીય બિમારીઓની દવા સસ્તી થઈ જશે. તેમાં પેટેંટ દવાઓ પણ સામેલ છે. લગભગ સાત વર્ષ બાદ અપડેટ આ સૂચી 13 સપ્ટેમ્બરે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરી હતી. તેને 350થી વધારે નિષ્ણાંતોએ બનાવી અને કુલ 384 દવાઓ સામેલ કરી છે. તેમાં 4 એન્ટી કેંસર સહિત 34 નવી દવાઓ છે. 26 દવાઓ હટાવામાં આવી છે. 2015ની યાદીમાં 376 દવા હતી. આ દવાઓ રાષ્ટ્રીય ઔષધી મૂલ્ય નિર્ધારણ પ્રાધિકરણ તરફથી નક્કી ભાવથી વધારે કિંમતે વેચી શકાય નહીં.…

Read More

અવિવાહીત દીકરીને ઉચ્ચ શિક્ષણ અપાવવું તે પિતાની જવાબદારી છે. જો દીકરી ભણવા માગે છે, તો તેને પ્રોત્સાહિત કરવું જોઈએ. દિલ્હીની એક કોર્ટે આ ટિપ્પણી એક અવિવાહીત દિકરીની અરજી મંજૂર કરી હતી, જેમાં તેના પિતા પાસેથી તેના ઉચ્ચ શિક્ષણના ખર્ચને ઉઠાવાની માગ કરી હતી. કડકડડૂમા ફેમિલી કોર્ટે કહ્યું કે, દીકરીને ઉચ્ચ શિક્ષણ આપવાનો ખર્ચ પિતાએ આપવાનો હોય છે. કોર્ટે એવું પણ કહ્યું કે, દીકરીને ઉચ્ચ શિક્ષણ આપવાની પિતાની જવાબદારી છે. પણ સાથે જ એવું પણ જોવું જરુરી હોય છે, પિતા એટલા સમર્થ છે કે નહીં, તેની પુષ્ટિ માટે કોર્ટે એક રિપોર્ટ મગાવ્યો હતો. જેમાં ખબર પડી કે, પિતાને સારો એવો બિઝનેસ…

Read More

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર વર્ષ 2023ના અંત સુધીમાં 10 લાખ લોકોને રોજગાર આપવાનો ટાર્ગેટ રાખ્યો છે. તેના માટે સ્પેશિયલ પોર્ટલ, બે મહિનાનો ટાર્ગેટ, સચિવ સ્તર પર દર અઠવાડીયે સમીક્ષા બેઠક ફુલ કેલેન્ડર તૈયાર કરવું, રિટાયરમેન્ટને લઈને ખાલી પડેલી જગ્યાઓના આંકડા એકઠા કરવા જેવા પગલા ઉઠાવ્યા છે. તેમનો એક જ હેતું છે કે વર્ષ 2023ના અંત સુધીમાં 10 લાખ લોકોને નોકરી આપવામાં આવે. પ્રધાનમંત્રી કાર્યાલયના ટોચના અધિકારીઓની દેખરેખની જવાબદારી સોંપવામાં આવી છે. બેરોજગારી સમસ્યાનો મુદ્દા બન્યા બાદ મોદી સરકાર વર્ષ 2023ના અંત સુધીમાં કેન્દ્ર અંતર્ગત આવતી અલગ અલગ ખાલીઓ જગ્યાઓ ભરવા માટે 10 લાખ પદોની જાહેરાત કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ…

Read More

કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાએ NCPમાંથી રાજીનામું આપી દીધું છે. NCPથી નારાજ કાંધલે 2 દિવસ પહેલા કુતિયાણામાંથી ફોર્મ ભર્યુ હતુ. એનસીપી અને કોંગ્રેસે ત્રણ બેઠકો પર ગઠબંધન કરી લીધા બાદ કાંધલ જાડેજાએ કુતિયાણા બેઠક પરથી એનસીપીનાં ઉમેદવાર તરીકે જ ફોર્મ ભર્યું હતુ. ત્યારે તેમણે જણાવ્યું હતુ કે, કોંગ્રેસ-એનસીપીનાં ગઠબંધન અંગે તેમને જાણ નથી. ત્યારે કાંધલ અપક્ષ ઉમેદવારી પણ નોંધાવી શકે છે. નોંધનીય છે કે, કોંગ્રસ અને એનસીપીએ ગંઠબંધન કરી લીધું છે. તેમણે ત્રણ બેઠક નરોડા, ઉમરેઠ, દેવગઢ બારિયા માટે ગઠબંધન કરી લીધું છે. આ અંગે એનસીપીના જયંત બોસ્કી અને કોંગ્રેસનાં જગદીશ ઠાકોરે પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી છે. આ પહેલા પણ કોંગ્રેસ…

Read More

હિમાચલ પ્રદેશની 68 વિધાનસભા બેઠકો માટે મતદાનનો સમય સાંજે 5 વાગ્યે સમાપ્ત થઈ ગયો છે. આ પછી પણ, કુલ્લુના મનાલી અને કાંગડા સહિત ઘણા જિલ્લાઓમાં મતદાન મથકો પર મતદારો કતારમાં ઉભા છે. તે જ સમયે, સાંજે 5 વાગ્યા સુધી 65.50% મતદાન થયું છે. ચૂંટણી પંચે કહ્યું કે સાંજે 5 વાગ્યા સુધી હિમાચલ પ્રદેશના સિરમૌરમાં સૌથી વધુ 69.67 ટકા મતદાન નોંધાયું હતું. તે જ સમયે, કિન્નૌરમાં સૌથી ઓછા લોકોએ તેમના મતનો ઉપયોગ કર્યો હતો, જ્યાં 62 ટકા મતદાન થયું હતું. સાંજ સુધીમાં 65.50 ટકા મતદાન હિમાચલ પ્રદેશમાં 68 બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે. મોટી સંખ્યામાં લોકો મતદાન કરવા આવી રહ્યા…

Read More

હિન્દુસ્તાન ટાઇમ્સ લીડરશીપ સમિટ 2022માં કેન્દ્રીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે મોંઘવારી વધવાના કારણોનો ઉલ્લેખ કર્યો છે. આ સાથે તેમણે રૂપિયા, ડિજિટલ કરન્સી, વિદેશી મુદ્રા ભંડાર સહિત અર્થવ્યવસ્થા સાથે જોડાયેલા મહત્વના મુદ્દાઓ પર વાત કરી હતી. શક્તિકાંત દાસે કહ્યું કે, દુનિયાભરની અર્થવ્યવસ્થા તણાવના સમયમાંથી પસાર થઈ રહી છે. તેમણે આ સ્થિતિ માટે મુખ્યત્વે 3 કારણોને જવાબદાર ગણાવ્યા છે. શક્તિકાંત દાસે કહ્યું કે, કોવિડ મહામારી, યુક્રેન-રશિયા યુદ્ધ અને નાણાકીય બજારને કારણે ઊભી થયેલી કટોકટીને કારણે ભારત સહિત દુનિયાની અર્થવ્યવસ્થા તણાવમાં છે. આરબીઆઈ ગવર્નરના જણાવ્યા પ્રમાણે હાલ દેશના જીડીપી ગ્રોથના આંકડા સાચા છે. ભારતનું અર્થતંત્ર વૈશ્વિક સ્તર કરતાં ઝડપથી વિકસી રહ્યું છે.…

Read More

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ તમામ પાર્ટીએએ મોટાભાગના ઉમેદવારો જાહેર કરી દીધા છે. જે બાદ ઉમેદવારોએ ડોર ટુ ડોર, રેલી મારફતે પ્રચાર શરૂ કર્યો છે. આવામાં ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી ખર્ચ નક્કી કરવામાં આવ્યો છે. તમામ ઉમેદવારોએ ચૂંટણી ખર્ચ માટે રજીસ્ટર બનાવવાનું રહેશે. સરકાર તરફથી પણ ઉમેદવારોએ કરેલા ખર્ચના હિસાબ રાખવામાં આવશે. કોમન વસ્તુના દર પહેલાથી જ નક્કી કરી દેવામાં આવ્યા છે. સાથે જ 3-3 વખત સરકાર અને ઉમેદવારો ખર્ચ રજૂ કરી શકશે. ઉમેદવારો લાખો રૂપિયાનો ખર્ચ ચૂંટણી પ્રચાર પાછળ કરે છે ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇ ધમધમાટ ચાલી રહ્યો છે. રાજકીય પક્ષો દ્વારા તેમના ઉમેદવારોની પસંદગી પણ કરી દેવામાં આવી છે.…

Read More