Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી-20 સમિટ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેનને મળ્યા હતા. આ દરમિયાન G20 સમિટ શરૂ થતાં બંને નેતાઓએ કેટલીક હળવા ક્ષણો શેર કરી હતી. વડાપ્રધાન કાર્યાલય દ્વારા શેર કરાયેલ ફોટામાં વિશ્વની બે મહાસત્તાઓના મુખ્ય નેતાઓ હાથ મિલાવતા અને હસતા જોવા મળે છે. આ પહેલા પીએમ મોદી ફ્રાન્સના ઈમેન્યુઅલ મેક્રોન સાથે પણ વાત કરતા જોવા મળ્યા હતા. મહત્વનું છે કે, હાલ G-20 સમિટનું પ્રથમ સત્ર ચાલી રહ્યું છે. જેમાં પીએમ મોદી અને જો બિડેન સિવાય ઘણા દેશોના નેતાઓ ભાગ લઈ રહ્યા છે. PM નરેન્દ્ર મોદી 17મી G-20 સમિટમાં ભાગ લેવા ઇન્ડોનેશિયાના બાલી પહોંચ્યા છે.  આ દરમિયાન ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડોએ તેમનું સ્વાગત કર્યું હતું. પીએમ મોદીની આ…

Read More

પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ સોમવારે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલને GSTના દાયરામાં લાવવા માટે તૈયાર છે, પરંતુ રાજ્યો તેના પર સહમત થવાની શક્યતા ઓછી છે. પુરીએ શ્રીનગરમાં કહ્યું કે પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવવા માટે રાજ્યોની સંમતિ જરૂરી છે અને જો રાજ્યો આ દિશામાં પહેલ કરે તો કેન્દ્ર પણ તેના માટે તૈયાર છે. દારૂ અને પેટ્રોલિયમ ઉત્પાદનો, રાજ્યોની આવકનો મુખ્ય સ્ત્રોત, તેમણે કહ્યું, “અમે આ માટે પહેલેથી જ તૈયારી કરી લીધી છે.” આ મારી સમજ છે. જો કે, બીજો મુદ્દો એ છે કે તેનો અમલ કેવી રીતે કરવો. તે પ્રશ્ન નાણામંત્રી સમક્ષ…

Read More

અમેરિકાની યુનિવર્સિટી ઓફ વર્જિનીયામાં ફાયરિંગની ઘટનામાં ત્રણ લોકોના મૃત્યુ થયા છે. આ હુમલામાં બે લોકો ઘાયલ થયા હોવાની માહિતી છે. હજી સુધી હુમલાખોર પકડાયો નથી અને તેની શોધખોળ ચાલી રહી છે. સોમવારે યુનિવર્સિટી ઓફ વર્જિનિયામાં અચાનકથી એક વ્યક્તિીએ ફાયરિંગ શરૂ કરી દીધું. આ ફયરિંગમાં ત્રણ લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ થયા છે. આરોપીએ આવું કૃત્ય શાં માટે કર્યું, તેની કોઈની સાથે શું દશ્મનાવટ હતી. તે અંગેના હજી કોઈ પણ ઈનપુટ સામે આવ્યા નથી. જોકે અમેરિકામાં આ કોઈ પ્રથમ ઘટના નથી કે જેમાં કોઈ માસ શૂટિંગના કારણે ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હોય. ઘણી ઘટનાઓમાં અમેરિકામાં આ રીતે ઘણા લોકોએ જીવ…

Read More

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના મતદાનને હવે માત્ર ગણતરીના દિવસ જ બાકી રહ્યા છે ત્યારે તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા ધડાધડ ઉમેદવારો જાહેર કરવામાં આવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ 166 ઉમેદવાર જાહેર કરી દીધા છે. આ તરફ કોંગ્રેસે પણ અત્યાર સુધી 142 ઉમેદવાર જાહેર કર્યા છે. આમ આદમી પાર્ટીએ પણ માટો ભાગની બેઠકો પર ઉમેદવારો જાહેર કર્યા છે. જોકે, હજુ પણ અમુક બેઠકો પર ભાજપ, આપ અને કોંગ્રેસનું કોકડું ગૂંચવાયેલું છે. આ બધાની વચ્ચે જેમ જેમ ઉમેદવારો જાહેર કરવામાં આવી રહ્યાં છે તેમ તેમ રાજકીય માહોલ પણ ગરમાતો જાય છે. ભાજપ, કોગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં ઉમેદવારોને લઈ ક્યાંક નારજગી જોવા મળી…

Read More

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. ધમધમાટા પૂર્વક ઉમેદવારોના નામ પણ જાહેર થઈ રહ્યાં છે ત્યારે વિધાનસભાની ચૂંટણી જીતવા માટે રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર-પ્રસારથી લઈ તમામ તૈયારીઓ કરી રહ્યાં છે. આ દરમ્યાન આજે કોંગ્રેસ દ્વારા ઝોનલ અને લોકસભા ઓર્બ્ઝર્વરની નિમણૂંક કરવામાં આવી છે. આ સાથે નિરીક્ષકોની યાદી પણ જાહેર કરી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતવા કોંગ્રેસ તમામ દિગ્ગજ નેતાઓને મેદાને ઉતાર્યા છે. આ દરમ્યાન આજે કોંગ્રેસ દ્વારા ચૂંટણી માટે નિરીક્ષકોની યાદી કોંગ્રેસ જાહેર કરી છે. જેમાં ઝોનલ અધિકારીઓ સાથે લોકસભા બેઠક દીઠ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની નિરીક્ષકોની  નિમણૂંક કરી દીધી છે. લોકસભા ચૂંટણી સહિત વિધાનસભાને ધ્યાનમાં રાખીને નિરીક્ષકોને જવાબદારી…

Read More

એક તરફ લેક સિટી ઉદયપુરમાં જી-20 શેરપાની બેઠક માટે જોરશોરથી તૈયારીઓ કરવામાં આવી રહી છે. બીજી તરફ, રવિવારે એક દિવસ પહેલા, ઉદયપુર-અમદાવાદ રેલવે ટ્રેક (અમદાવાદ-ઉદયપુર રેલવે ટ્રેક બ્લાસ્ટ કેસ)ને ઉડાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 13 દિવસ પહેલા જ આ રેલવે ટ્રેકનું ઉદ્ઘાટન કર્યું હતું. આવી સ્થિતિમાં આ કાવતરાએ અનેક વણઉકેલ્યા પ્રશ્નો ઉભા કર્યા છે. જો કે રેલ્વે કર્મચારીઓએ દિવસ-રાત મહેનત કરીને આ રેલ્વે ટ્રેકને ફરી રીપેર કર્યો હતો. જે બાદ સોમવારે સવારે 9.20 કલાકે આ રેલવે ટ્રેક પરથી માલગાડીને નિકાળવામાં આવી. હાલ આ સમગ્ર મામલાની તપાસ રાજસ્થાન પોલીસ, NIA અને ATS કરી રહી છે. આ રેલવે…

Read More

ભારતના વિવિધ ભાગોમાં વિવિધ ઠંડીની અસર જોવા મળી રહી છે. પહાડી રાજ્યોમાં હિમવર્ષા થઈ રહી છે, જ્યારે દક્ષિણ અને ઉત્તરપૂર્વના રાજ્યોમાં મુશળધાર વરસાદ જોવા મળી રહ્યો છે. હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં પણ વરસાદ પડ્યો છે. રાજ્યના ઉચ્ચ વિસ્તારોમાં હિમવર્ષા થઈ રહી છે. નારકંડા અને ખડાપથરમાં સામાન્ય હિમવર્ષા જોવા મળી છે. હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે. આગામી 3 કલાકમાં ચંબા, કાંગડા, લાહૌલ-સ્પીતિ, મંડી, કુલ્લુ, શિમલાના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદ, ઉચ્ચ વિસ્તારોમાં હિમવર્ષા થવાની આગાહી છે. પર્યટન શહેર મનાલી સહિત આસપાસના વિસ્તારોમાં સોમવારે સવારથી હિમવર્ષા ચાલુ રહી હતી. આજે મનાલીમાં મહત્તમ તાપમાન 4 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન માઈનસ 3 ડિગ્રી નોંધાયું…

Read More

ટ્વિટરને ટેકઓવર કર્યા બાદ કંપનીમાં છટણીનો સિલસિલો હજૂ પણ ચાલું છે. એલન મસ્કે ફરી એક વાર ટ્વિટરમાં માસ લેવલ પર છટણી કરી છે. ગત અઠવાડીયે ટ્વિટરે 50 ટકા એટલે કે, 3800 કર્મચારીઓને કાઢી મુક્યા હતા. ત્યારે હવે ફરી એક વાર કોન્ટ્રાક્ટ પર કામ કરી રહેલા કર્મચારીઓને ઘરભેગા કરી દીધા છે. એલન મસ્કે કથિત રીતે કોન્ટ્રાક્ટ બેસ પર કામ કરી રહેલા 4400 કર્મચારીઓને કાઢી મુક્યા છે. Platformer અને Axiosના રિપોર્ટ અનુસાર જોઈએ તો માઈક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટર હવે તે કર્મચારીઓની છટણી કરી રહ્યા છે, જે અનુબંધ પર છે. પ્લેટફોર્મરે કેસી ન્યૂટને ટ્વિટ કર્યું છે, એવું જાણવા મળ્યું છે કે, અમેરિકા અને વિદેશ…

Read More

કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને અનેક પ્રકારની સુવિધાઓ આપવામાં આવે છે. આ સાથે કેન્દ્ર સહિત રાજ્ય સરકાર પણ દેશભરમાં ખેડૂતોની આવક વધારવા માટે અનેક યોજનાઓ ચલાવી રહી છે. કૃષિને પ્રોત્સાહન આપવા માટે ઘણી નવી તકનીકો પણ રજૂ કરવામાં આવી રહી છે. પીએમ કિસાન યોજના ઉપરાંત સરકાર દ્વારા આવી જ બીજી એક વિશેષ સુવિધા શરૂ કરવામાં આવી છે. સરકાર દ્વારા એક વિશેષ સુવિધામાં ખેડૂતોને સરકાર તરફથી 5 લાખ રૂપિયાની મદદ મળશે. હવે ડ્રોન દ્વારા ખેડૂતોને આવક વધારવા અને ખેતીને ઝડપી બનાવવા માટે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ડ્રોનનો ઉપયોગ કરીને ખેડૂતો ઓછા ખર્ચે વધુ નફો કમાઈ શકે છે. ડ્રોન ખેતીને પ્રોત્સાહન આપવા માટે તેની ખરીદી પર સબસિડી આપવામાં આવી રહી છે.…

Read More

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલા તડજોડના ગણિત, વિવિધ સમિકરણો, ટિકિટ મળવા માટે ક્યાંક ઉત્સાહ તો ક્યાંક રીસામણા-મનામણા બાદ હવે આખરે આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું ફોર્મ ભરવા માટે અંતિમ દિવસ છે. ત્યારે સુરતની મજુરા બેઠક પરથી ગુજરાતનાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ફોર્મ ભરતા પહેલા પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલનાં આશીર્વાદ લીધા હતા. આ સાથે તેમણે વડાપાંવની લિજ્જત પણ માણી હતી. સુરતમાં ફોર્મ ભરતા પહેલા હર્ષ સંઘવીએ વડાપાંવની લારી પરથી વડાપાંવ ખાધુ હતુ. આ સાથે તેમના કાર્યકર્તાઓએ પણ નાસ્તાની મઝા માણી હતી. આ સાથે હર્ષ સંઘવીએ સી.આર. પાટીલનાં આશીર્વાદ પણ લીધા હતા. હર્ષ સંઘવીએ આ પ્રસંગે જણાવ્યુ હતુ કે, મજુરાનાં લોકોનો…

Read More