Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇ ભાજપે 166 બેઠકમાં ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. જેને લઇ અનેક બેઠકોમાં કાર્યકરોએ ઉમેદવારોનો વિરોધ કર્યો છે. ખાસ કરીને મહેસાણાની વિજાપુર,  કાલાવડ, અમરેલીની સાવરકુંડલા બેઠકમાં જાહેર થયેલા ઉમેદવારનો હાલમાં ભારે વિરોધ થઈ છે. જેમાં વિજાપુરના કાર્યકરોએ પ્રદેશ કાર્યાલય કમલમમાં,  કાલાવડના કાર્યકરોએ અટલ ભવન ખાતે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રીને અને સાવરકુંડલાના કાર્યકરોએ પૂર્વ કૃષિ મંત્રી વી.વી વઘાસીયાના કાર્યાલએ રજૂઆત કરી હતી. ભારતીય જનતા પાર્ટી દ્વારા મહેસાણા જિલ્લાની વિજાપુર બેઠક ઉપર વર્તમાન ધારાસભ્ય રમણ પટેલને રિપીટ કરીને ટિકિટ આપી છે. જેને લઈ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરોએ કમલમ પહોંચી ઉમેદવાર બદલવા માગ કરી છે. આ દરમિયાન કાર્યકરોએ “વિજાપુર બચાવો રમણ પટેલને હટાવો”…

Read More

ટ્રેઝરી સેક્રેટરી જેનેટ યેલેને શુક્રવારે નવી દિલ્હીમાં યુએસ-ઈન્ડિયા બિઝનેસ અને ઈન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ ઈવેન્ટમાં સંબોધન કર્યું હતું. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રેઝરીએ તેની કરન્સી મોનિટરિંગ લિસ્ટમાંથી ભારતને મુક્ત કર્યું હતું. ભારતની સાથે અમેરિકાએ ઈટલી, મેક્સિકો, થાઈલેન્ડ અને વિયેતનામને પણ તેની કરન્સી મોનિટરિંગ લિસ્ટમાંથી હટાવી દીધું છે. ટ્રેઝરી વિભાગ દ્વારા કોંગ્રેસને આપેલા દ્વિવાર્ષિક અહેવાલ અનુસાર, વર્તમાન કરન્સી મોનિટરિંગ લિસ્ટમાં વિશ્વની સાત અર્થવ્યવસ્થાઓ ચીન, જાપાન, કોરિયા, જર્મની, મલેશિયા, સિંગાપોર અને તાઇવાન છે. દ્વિવાર્ષિક અહેવાલ અનુસાર, જે દેશોને સળંગ બે રિપોર્ટમાં કરન્સી મોનિટરિંગ લિસ્ટમાંથી દૂર કરવામાં આવ્યા હતા, તેઓ ત્રણમાંથી માત્ર એક નિયમનને ધરાવે છે. “ફોરેન ઇન્વેસ્ટમેન્ટ ઇન્ટરવેન્શન જાહેર કરવામાં ચીનની નિષ્ફળતા અને તેની વિનિમય…

Read More

બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાન અને તેની ટીમને કસ્ટમ વિભાગે શુક્રવારે મોડી રાત્રે મુંબઈ એરપોર્ટ પર રોકી રાખ્યા હોવાની વાત સામે આવી છે. વિગતો મુજબ લગભગ એક કલાકની પૂછપરછ બાદ શાહરૂખ ખાન અને તેની મેનેજર પૂજા દદલાની એરપોર્ટથી બહાર નીકળતા જોવા મળ્યા હતા. પરંતુ કિંગ ખાનના બોડીગાર્ડ રવિ અને ટીમ કસ્ટમ્સ દ્વારા ઝડપાઈ ગયા હતા. અહેવાલો અનુસાર લાખો રૂપિયાની ઘડિયાળ ભારતમાં લાવવા, બેગમાંથી મોંઘી ઘડિયાળના ખાલી બોક્સ મળવા અને કસ્ટમ ડ્યુટી ન ભરવા માટે શાહરૂખ ખાનની પૂછપરછ કરવામાં આવી હતી. વાત જાણે એમ છે કે, શાહરૂખ ખાન એક બુક લોન્ચ ઈવેન્ટમાં હાજરી આપવા માટે ખાનગી ચાર્ટર VTR-SGની પોતાની ટીમ સાથે દુબઈ ગયો હતો. આ ખાનગી…

Read More

મમતા બેનર્જીની સરકારમાં મંત્રી રહેલા અખિલ ગિરી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પર અભદ્ર ટિપ્પણી કરીને વિવાદોમાં ફસાયા છે. નંદીગ્રામમાં એક સભાને સંબોધતા તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પર અભદ્ર ટિપ્પણી કરી છે. તેણે કહ્યું કે, અમે કોઈને તેના દેખાવથી જજ કરતા નથી. આપણે રાષ્ટ્રપતિની ખુરશીનું સન્માન કરીએ છીએ, પણ આપણા રાષ્ટ્રપતિ કેવા દેખાય છે? પશ્ચિમ બંગાળના મંત્રી અખિલ ગિરીનું આ ભાષણ કેમેરામાં કેદ થઈ ગયું છે, જે હવે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે. જેના કારણે હવે મુખ્યમંત્રી મમતા બેનર્જીને પણ ફટકાર લાગી છે. ભાજપ પર નિશાન સાધ્યું વીડિયો વાયરલ થયા બાદ ભાજપે મમતા બેનર્જી અને તેમના મંત્રી અખિલ ગિરી…

Read More

રાજસ્થાનના CM અશોક ગેહલોતે ગુજરાત ચૂંટણીને લઈ આ ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. જેમાં ‘જનતાની સરકાર’ના નામથી મેનિફેસ્ટોની જાહેરાત કરવામાં આવી છે. આ ઢંઢેરામાં રાહુલ ગાંધીના 8 વચન કેન્દ્ર સ્થાને રહેશે. જુઓ ચૂંટણી ઢંઢેરામાં કરેલા વચનોની લ્હાણી કોંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતોનું દેવું માફ કરવામાં આવશે 300 યુનિટ વીજળી ફ્રી, જૂની પેન્શન યોજના, કોન્ટ્રાક્ટ પ્રથાની નાબૂદી કરાશે 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે પેપર ફૂટવા અટકાવવા ભ્રષ્ટાચાર નિવારણ કાયદો લવાશે નાગરિકો પાસેથી લેવાતા ભારેખમ ટેક્સમાં 20 ટકાનો ઘટાડો કરાશે શિક્ષણ આરોગ્યના વ્યાપારીકરણ પર રોક લગાવવામાં આવશે તમામ નદીઓની સાફ સફાઈ કરવામાં આવશે 5 વર્ષમાં રાજ્યને પ્રદૂષિત મુક્ત કરવા માટે એક્શન પ્લાન તૈયાર…

Read More

પાકિસ્તાનમાં બેઠેલા લોકોના ઈશારાઓ પર એક વખત ફરી ખાલિસ્તાન આંદોલનને જીવતું કરીને પંજાબથી જમ્મુ સુધીના વિસ્તારને સળગાવવાની તૈયારી કરવામાં આવી રહી છે અને ત્યાં એક નવો ભિંડરાવાલ પેદા કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. આ બાબતે તિહાડ જેલમાં બેઠેલા આતંકી નેતા જગતાર સિંગ હવારાના નિર્દેશ પર એક બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું. આ અંગેની માહિતી મળ્યા પછી જાસૂસી એજન્સીઓના કાન ઉભા થઈ ગયા છે અને વિવાદાસ્પદ સંગઠન વારિસ પંજબ દે સહિત કેટલાક સગંઠનો અને તેના મુખ્યાને તપાસના ઘેરામાં લાવવામાં આવ્યા છે. તેની સાથે જ વારિસ પંજાબ દે મુખ્યા અમૃતપાલના સોર્સ ઓફ ફાઈનાન્સની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. પાકિસ્તાની જાસૂસી એજન્સી…

Read More

ગુજરાતમાં એટીએસ અને જીએસટી વિભાગે મોટી કાર્યવાહી કરતા આખા રાજ્યમાં 150 જગ્યા પર દરોડા પાડ્યા છે. કહેવાય છે કે, અમદાવાદ, ભરુચ, સૂરત, ભાવનગર અને જામનગરમાં દરોડા પાડ્યા છે. એજન્સીઓએ નકલી બિલના નામ પર કરોડો રુપિયાની લેવડદેવડના મામલાને લઈને આ કાર્યવાહી કરી છે. થોડા દિવસ પહેલા જ સૂરત પોલીસે લગભ 500 કરોડ રૂપિયાના ગોરખધંધાનો ખુલાસો કર્યો હતો. તે સમયે 21 લોકોની ધરપકડ કરી હતી. વિધાનસભા ચૂંટણી અગાઉ મોટા પાયે કાળા નાણાના મળવાથી મોટી આશંકા સેવવામાં આવી રહી છે. અટકળો પણ છે કે ચૂંટણી પહેલા આ દરોડાના કારણે ગેરકાનૂની ગતિવિધિ અટકાવવાના પ્રયાસ ATS દ્વારા કરવામાં આવી રહ્યા છે.આ જ પરિપેક્ષ્યમાં પાડવામાં આવેલા…

Read More

હિમાચલ પ્રદેશની 68 વિધાનસભા બેઠકો પર આજે સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે, જે સાંજે 5:30 વાગ્યા સુધી ચાલશે. 8મી ડિસેમ્બરે મતગણતરી થશે અને તે જ દિવસે પરિણામ જાહેર થશે. એક તરફ સત્તાધારી પાર્ટી ભાજપ તેના વિકાસના એજન્ડા પર સવાર થઈને ચૂંટણીમાં સફળતાનું પુનરાવર્તન કરવાની આશા રાખી રહી છે, ત્યારે બીજી તરફ વિપક્ષ કોંગ્રેસ મતદારોને નિવર્તમાન સરકારને સત્તામાંથી હટાવવાની ચાર દાયકા જૂની પરંપરાને અનુસરવાનો અનુરોધ કરી રહી છે. આ રાજ્યના 55 લાખથી વધુ મતદારો 68 મતવિસ્તારોમાં 412 ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે. મતદારોને મતદાન કરવાની PM મોદીની અપીલ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બૂથની મુલાકાત લઈને મતદારોને મતદાન કરવાની અપીલ…

Read More

સંસદનું શિયાળુ સત્ર 7 ડિસેમ્બરથી શરુ થઈને 29 ડિસેમ્બર સુધી ચાલશે. ન્યૂઝ એજન્સી એએનઆઈના સૂત્રોના હવાલેથી આ રિપોર્ટ આપવામાં આવ્યો છે. તેમના જણાવ્યા અનુસાર, આ વખતે વિંટર સેશન જૂની સંસદ ભવનમાં જ થાય તેવા સંકેતો છે. તારીખો વિશે અંતિમ નિર્ણય સંસદીય બાબતોની કેબિનેટ સમિત કરશે. શિયાળુ સત્ર ખાસ કરીને નવેમ્બરના ત્રીજા અઠવાડીયામાં શરુ થાય છે. આ સત્ર દરમિયાન લગભગ 20 બેઠકો થાય છે. જો કે 2017 અને 2018માં વિંટર સેશનનું આયોજન ડિસેમ્બરમાં થયું હતું. લગભગ 1200 કરોડ રૂપિયાની અનુમાનિત ખર્ચથી તૈયાર થઈ રહેલા નવા સંસદ ભવનનું આ મહિનાના અંત અથવા ડિસેમ્બરની શરુઆતમાં પ્રતિકાત્મક ઉદ્ધાટન શક્ય છે. હાલમાં જ કેન્દ્રીય આવાસ…

Read More

આજે શનિવારે સવારે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. ભાજપ દ્વારા બીજી યાદીમાં કુલ છ ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. ધોરાજીથી મહેન્દ્ર પાડલિયા, ખંભાળિયાથી મુળુબાઈ બેરા, કુતિયાણાથી ઢેલીબેન ઓડેદરા, ભાવનગર પૂર્વથી સેજલ પંડ્યા, ડેડિયાપાડાથી હિતેશ વસાવા, ચોર્યાસીથી સંદીપ દેસાઈને ટિકિટ આપવામાં આવી છે. આમ, અત્યાર સુધી ભાજપ દ્વારા કુલ 166 ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. વિભાવરીબેન દવેની ટિકિટ કપાઇ ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલી બીજી યાદીમાં ભાવનગર પૂર્વમાં વિભાવરીબેન દવેની ટિકિટ કપાઇ છે. વિભાવરીબેનના સ્થાને શહેર ભાજપ પ્રમુખના પત્ની સેજલ પંડ્યાને ટિકિટ મળી છે. ચોર્યાસી બેઠક પર ઝંખનાબેન પટેલની ટિકિટ કપાઇ છે. વર્ષ 2017માં ધોરાજી બેઠક પરથી…

Read More