What's Hot
- Vivo 6000mAh બેટરી સાથે સસ્તો 5G સ્માર્ટફોન લાવી રહ્યું છે, કંપનીએ લોન્ચની પુષ્ટિ કરી
- વર્લ્ડ કપમાં એક સદીએ ભારતમાં ક્રિકેટનો ચહેરો બદલી નાખ્યો, આ રેકોર્ડ આજ સુધી તૂટી શકાયો નથી
- દેશના 6 રાજ્યોમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ, આ વિસ્તારોમાં પડશે ભારે વરસાદ, જાણો દિલ્હીમાં હવામાન કેવું રહેશે
- મહારાષ્ટ્રની શાળાઓમાં હિન્દી ત્રીજી ફરજિયાત ભાષા હશે, વિવાદ વચ્ચે સરકારે નવો આદેશ જારી કર્યો, પરિસ્થિતિ સ્પષ્ટ કરી
- ગુજરાતમાં ભારે વરસાદને કારણે પરિસ્થિતિ વધુ વણસી, પાણીના જોરદાર પ્રવાહમાં 1 વ્યક્તિ તણાયો
- ગુજરાતના 7 જિલ્લામાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ, IMD એ 19 અને 20 જૂન માટે અપડેટ આપ્યું
- PM Kisan Yojana: તમારા ખાતામાં 20મા હપ્તાના પૈસા ક્યારે આવશે, તમારું નામ કેવી રીતે ચેક કરવું
- તમારો CIBIL સ્કોર શું છે? શું તે તમને લોન મેળવવામાં મદદ કરશે? ચાલો જાણીએ અલગ અલગ રેન્જમોં અર્થ
Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
વિધાનસભા ચૂંટણીને લઇ ગુજરાતના રાજકારણને લઇ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. આમ આદમી પાર્ટીએ જાહેર કરેલા CM કેન્ડીડેટ ઇસુદાન ગઢવી દ્રારકાથી ચૂંટણી લડશે. મહત્વનું છે કે, તેઓને આમ આદમી પાર્ટીએ ગુજરાત AAPના મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. ઉલ્લેખનીય છે કે, AAPના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના CM અરવિંદ કેજરીવાલે ગુજરાતના CM પદના ચહેરા પર અંતિમ મહોર મારી છે. તમને જણાવી દઇએ કે, AAP દ્વારા ઈસુદાન માટે દ્વારકા અને ખંભાળિયા બેઠક પર સર્વે કરાયો છે. આ સર્વેમાં ઈસુદાન ગઢવીની તરફેણમાં દ્વારકાના સમીકરણો જોવા મળી રહ્યાં છે. આ દ્વારકા બેઠક પરથી ભાજપે પબુભા માણેકને ઉતાર્યા છે જ્યારે કોંગ્રેસ મુળુ કંડોરિયાને ટિકિટ આપી શકે છે.…
ઇજિપ્તમાં ચાલી રહેલી સંયુક્ત રાષ્ટ્ર ક્લાઇમેટ સમિટમાં એક અહેવાલ સામે આવ્યો છે જે વિશ્વના લોકો માટે ચિંતાજનક છે. વાસ્તવમાં, આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ 2022માં વાતાવરણમાં 40600 મિલિયન ટન કાર્બન ડાયોક્સાઈડ (CO2) ઉત્સર્જિત થયો છે, જે આવનારા સમય માટે ખતરનાક સંકેતો આપી રહ્યો છે. જે સ્કેલ પર CO2 ઉત્સર્જિત થઈ રહ્યું છે તેનાથી લાગે છે કે તાપમાનમાં વધારો નિયંત્રિત કરવો મુશ્કેલ હશે. અહેવાલમાં નોંધવામાં આવ્યું છે કે 2022 માં કુલ 40.6 GtCO2 નું ઉત્સર્જન 2019 માં અત્યાર સુધીના સૌથી વધુ વાર્ષિક કુલ 40.9 GtCO2 ની નજીક છે. ગ્લોબલ કાર્બન બજેટ 2022 ના અહેવાલ મુજબ, જો વર્તમાન ઉત્સર્જન સ્તર…
વિધાનસભાની ચૂંટણીના તારીખો જેમ જેમ નજીક આવી રહી હતી તેમ તેમ કોંગ્રેસથી નારાજ કેટલાક કાર્યકરો અને પુત્રનાં મોહમાં પુત્રને ટિકિટ અપાવવા માટે એડીચોટીનું જોર લગાવી છેલ્લે નિરાશા મળનાર કાર્યકરો દ્વારા ભાજપનો ખેસ ધારણ કર્યો છે. ભાજપ દ્વારા જાહેર કરાયેલી ઉમેદવારોના લીસ્ટમાં કોંગ્રેસમાંથી ભાજપમાં જોડેયાલા ત્રણ ધારાસભ્યોની બાદબાકી કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની યાદીની લાંબી રાહ જોવડાવ્યા બાદ ભાજપ દ્વારા આજે 160 વિધાનસભાની સીટોના ઉમેદવારની યાદી જાહેર કરી દીધી છે.ભાજપ દ્વારા સૌથી વધુ યુવા મતદારો પર ધ્યાન કેન્દ્રીત કરી યુવા મતદારોને મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે પુત્રને ટિકિટ અપાવવા માટે બે દિવસ પહેલા જ કોંગ્રેસના હાથ છોડીના ભાજપનો ખેસ ધારણ…
ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને એક મોટા સમાચરા સામે આવી રહ્યા છે. ગઈકાલે ભાજપની પ્રથમ યાદી જાહેર કર્યા બાદ કોંગ્રેસે પણ પોતાના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસે આ પહેલા પણ તેમના ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડી હતી, જેમાં 43 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. આ બાદ, ગઈ કાલે ભાજપે પણ 160 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. 1 1 અબડાસા મામદભાઈ જંગ જાટ 2 2 માંડવી રાજેન્દ્રસિંહ જાડેજા 3 3 ભુજ અરજણભાઈ ભુડિયા 4 60 દસાડા નૌશાદ સોલંકી S 61 લીંબડી કુ.કલ્પના કરમસીભાઈ મકવાણા 6 63 ચોટીયા રૂત્વિકભાઈ લવજી મકવાણા 7 66 ટંકારા લલિત કગથરા 8 67…
કોઈમ્બતુર કાર બ્લાસ્ટ કેસમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ ગુરુવારે તમિલનાડુમાં 43 સ્થળોએ સર્ચ કર્યું હતું. આ સિવાય કેન્દ્રીય એજન્સીએ કેરળના પલક્કડમાં પણ એક જગ્યાએ સર્ચ હાથ ધર્યું હતું. એજન્સીએ જણાવ્યું હતું કે એનઆઈએએ ચેન્નાઈ, કોઈમ્બતુર, તિરુવલ્લુર, તિરુપુર, નીલગિરિસ, ચેંગલપટ્ટુ, કાંચીપુરમ અને નાગાપટ્ટિનમ સહિત તમિલનાડુ રાજ્યના આઠ જિલ્લાઓમાં 43 સ્થળોએ અને કેરળના પલક્કડ જિલ્લામાં સ્થિત એક સ્થાન પર સર્ચ હાથ ધર્યું હતું. ગુરુવારની શોધ દરમિયાન NIAએ બ્લાસ્ટ કેસમાં શંકાસ્પદ લોકોના ઘરોમાંથી ડિજિટલ સાધનો અને ગુનાહિત દસ્તાવેજો જપ્ત કર્યા હતા. 23 ઓક્ટોબરે કોઈમ્બતુરમાં કાર બ્લાસ્ટ થયો હતો. આ કેસની તપાસ કરી રહેલા પોલીસ અધિકારીઓએ વિસ્ફોટમાં માર્યા ગયેલા જમીશા મુબીન પાસેથી 75 કિલો…
ટીમ ઇન્ડિયાએ ઇંગ્લેન્ડ સામેની સેમીફાઇનલમાં પહેલા બેટિંગ કરીને 168 જેટલો સ્કોર બનાવ્યો હતો જેમાં ઇંગ્લેન્ડનાં ધમાકેદાર બેટ્સમેનોએ વગર કોઇ વિકેટનાં નુક્સાન પર વિજય મેળવ્યો છે. ઇંગ્લેન્ડની આ જીતથી ભારતને ભારે નુક્સાન થયું છે અને ફેન્સ નિરાશ થયાં છે. ભારતની આ શરમજનક હારને લીધે વર્લ્ડકપ હાથથી નિકળી ગયું છે. વગર કોઇ વિકેટનાં નુક્સાને ઇંગ્લેન્ડની ટીમે સ્કોર 100 ઉપર કર્યો હતો જે ખરેખર પ્રશંસનિય છે. ટીમ ઇન્ડિયાનાં આ સેમીફાઇનલમાં નબળાં પર્ફોર્મન્સને લીધે ઇંગ્લેન્ડ બાજી મારી ગયું. જેમાં એલેક્સ હેલ્સ અને જોસ બટલરે ધમાકેદાર ઇનિંગ્સ રમી છે. હાર્દિક પંડ્યાએ ટીમ ઇન્ડિયા માટે ઇંગ્લેન્ડની સામે ધમાકેદાર બેટિંગ કરી હતી. જ્યારે ટીમ ઇન્ડિયા ખતરામાં હતી…
શિવસેનાના રાજ્યસભા સાંસદ પાત્ર ચાલ કૌભાંડ કેસ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં 100 દિવસથી વધુ મુંબઈ આર્થર રોડ જેલમાં બંધ રહ્યા પછી સંજય રાઉત બુધવારે સાંજે જામીન મળી ગયા હતા . તેમને મુંબઈની વિશેષ અદાલતે આ કેસમાં જામીન આપ્યા છે. ગુરુવારે મીડિયા સાથેની વાતચીતમાં સંજય રાઉતે ભાજપ અને તેના નેતાઓને લઈને વલણ બદલ્યું હતું. તેમણે દેવેન્દ્ર ફડણવીસના વખાણ કરતા એમ પણ કહ્યું કે હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને મળવા દિલ્હી જઈશ. ઉદ્ધવ જૂથના શિવસેનાના નેતાએ કહ્યું કે દેવેન્દ્ર ફડણવીસે નાયબ મુખ્યમંત્રી તરીકે કેટલાક સારા નિર્ણયો લીધા છે, જેનું હું સ્વાગત કરું છું. પોતાની ધરપકડ અંગે સંજય…
અમદાવાદ શહેરના પુર્વ વિસ્તારમાં રહેતા અને વાસણનો ધંધો કરતા એક વેપારીના ઘરમાં વિચિત્ર ચોરીનો કિસ્સો બન્યો હોવાનું સામે આવ્યુ છે. વેપારીના ઘરમાં ઉધઇ થઇ હોવાથી તેઓએ ઉધઇ ટ્રીટમેન્ટની કામગિરી કરાવી હતી. જેનાથી ઉધઇનો તો સફાયો ન થયો પણ તસ્કરો 24 લાખના સોનાના દાગીના અને કેમેરો ચોરી કરી ફરાર થઇ ગયા હતા. જેને લઇને પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. શાહીબાગમાં રહેતા સુરેશકુમાર જૈન તેર વર્ષથી તેમના પરિવાર સાથે રહે છે. બાર વર્ષથી તેઓ ખાડિયામાં વાસણની દુકાન ધરાવી વેપાર ધંધો કરે છે. છેલ્લા ઘણા સમયથી તેમના ત્રણ બેડરૂમ હોલ કિચનવાળા મકાનમાં ઉધઇ આવતી હતી. જેથી બાળકોના રૂમમાં અને અન્ય એક રૂમમાં તેઓએ ઉધઇની ટ્રીટમેન્ટ…
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ ભાજપે આજે પ્રથમ યાદી જાહેર કરી છે. ભાજપે કુલ 160 ઉમેદવારના નામોની જાહેરાત કરી છે. ઉમેદવારોની યાદી જાહેર કરતાની સાથે જ કેટલીક જગ્યાએ નારાજગી જોવા મળી. ભાવનગરના મહુવામાં ભાજપમાં ભડકો ભાવનગરના મહુવામાં ભાજપને સૌથી મોટો ઝટકો લાગ્યો છે. રાજ્યકક્ષાના મંત્રી રાઘવ મકવાણાની ટિકિત કપાતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ભાજપે મહુવા બેઠક પરથી શિવાભાઈ ગોહિલને ટિકિટ આપતા ભાજપ તાલુકા સંગઠન, શહેર સંગઠનના તમામ ચૂંટાયેલા સભ્યોએ રાજીનામા આપી દીધા છે. સાથે જ નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સભ્યોએ પણ રાજીનામા આપી દીધા છે. રાજ્યકક્ષાના મંત્રી રાઘવ મકવાણાની ટિકિટ કપાતા ગરમાવો ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની પ્રથમ યાદી…
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટીએ આજે 14 મી યાદી જાહેર કરી છે. ગઈકાલે 13 મી યાદી જાહેર કર્યા બાદ મોટા નેતાઓ કઇ જગ્યાએથી ચુંટણી લડશે તે અંગેનુ સસ્પેન્સ ખોલ્યુ હતું. જેમાં આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા સુરતની કતારગામ બેઠક પરથી ચુંટણી લડશે તેની જાહેરાત કરાઇ હતી. આમ આદમી પાર્ટીએ આજે પોતાની 14 મી યાદી જાહેર કરી છે. જેમાં થરાદ વિરચંદભાઈ ચાવડા, જામનગર દક્ષિણ વિશાલ ત્યાગી, જામજોધપુર હેમંત ખાવા, તાલાલા દેવેન્દ્ર સોલંકી, ઉના સેજલબેન ખૂંટ, ભાવનગર રૂરલ ખુમાનસિંહ ગોહિલ, ખંભાત અરુણ ગોહિલ, કરજણ પરેશ પટેલ, જલાલપોર પ્રદીપકુમાર મિશ્રા અને ઉમરગામ અશોક પટેલ ને ઉમેદવાર જાહેર કર્યા છે. આપે પોતાના…