What's Hot
- Vivo 6000mAh બેટરી સાથે સસ્તો 5G સ્માર્ટફોન લાવી રહ્યું છે, કંપનીએ લોન્ચની પુષ્ટિ કરી
- વર્લ્ડ કપમાં એક સદીએ ભારતમાં ક્રિકેટનો ચહેરો બદલી નાખ્યો, આ રેકોર્ડ આજ સુધી તૂટી શકાયો નથી
- દેશના 6 રાજ્યોમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ, આ વિસ્તારોમાં પડશે ભારે વરસાદ, જાણો દિલ્હીમાં હવામાન કેવું રહેશે
- મહારાષ્ટ્રની શાળાઓમાં હિન્દી ત્રીજી ફરજિયાત ભાષા હશે, વિવાદ વચ્ચે સરકારે નવો આદેશ જારી કર્યો, પરિસ્થિતિ સ્પષ્ટ કરી
- ગુજરાતમાં ભારે વરસાદને કારણે પરિસ્થિતિ વધુ વણસી, પાણીના જોરદાર પ્રવાહમાં 1 વ્યક્તિ તણાયો
- ગુજરાતના 7 જિલ્લામાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ, IMD એ 19 અને 20 જૂન માટે અપડેટ આપ્યું
- PM Kisan Yojana: તમારા ખાતામાં 20મા હપ્તાના પૈસા ક્યારે આવશે, તમારું નામ કેવી રીતે ચેક કરવું
- તમારો CIBIL સ્કોર શું છે? શું તે તમને લોન મેળવવામાં મદદ કરશે? ચાલો જાણીએ અલગ અલગ રેન્જમોં અર્થ
Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
વડાપ્રધાન નરેન્દ્ર મોદી હિમાચલ પ્રદેશની મુલાકાતે છે.પીએમ મોદીનો કાફલો રોડ પરથી પસાર થઈ રહ્યો હતો.આ દરમિયાન એમ્બ્યુલન્સને જગ્યા આપવા માટે પીએમ મોદીએ તેમના કાફલાને રોક્યા હોવાનું જોવા મળ્યું હતું.પીએમનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.વીડિયોમાં જોઈ શકાય છે કે પીએમ મોદીનો કાફલો રોકાયો છે અને ત્યાંથી એમ્બ્યુલન્સ પસાર થઈ રહી છે. હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે કાંગડાના ચંબી મેદાન ખાતે ભાજપના ઉમેદવારોની તરફેણમાં ચૂંટણી રેલી યોજીને મોદી ગગ્ગલ એરપોર્ટ પરત ફરી રહ્યા હતા. ગગ્ગલ એરપોર્ટથી પીએમ હમીરપુરના સુજાનપુરમાં આયોજિત તેમની બીજી રેલીમાં પહોંચવાના હતા. મોદીનો કાફલો એરપોર્ટથી થોડે દૂર હતો ત્યારે તેમણે રસ્તાના કિનારે એક એમ્બ્યુલન્સ ઉભેલી…
બાબરી મસ્જિદ મુદાને લઇને અલ્હાબાદ હાઇકોર્ટે મોટું એલાન કર્યું છે. કોર્ટે લાલકૃષ્ણ અડવાણી સહિતનાં અન્ય નેતાઓને નિર્દોષ જાહેર કરવાનાં વિરોધ મુદા્ અંગેની યાચિકાને નામંજૂર કરી દેવામાં આવી છે. અયોધ્યાનાં 2 મુસ્લિમ રહેવાસીઓએ બીજેપી નેતાઓને નિદોર્ષ જાહેર કરવાનાં આદેશનો વિરોધ કર્યો હતો તેમની તરફથી હાઇકોર્ટમાં અરજી નોંધાવવામાં આવી હતી જેને નામંજૂર કરવામાં આવી છે. પરંતુ આ મુદામાં લાલકૃષ્ણ અડવાણી સહિતનાં નેતાઓને રાહત મળી છે. સીબીઆઇની વિશેષ કોર્ટે લાલ કૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી સહિત 32 લોકોને નિર્દોષ જાહેર કર્યું હતું. પરંતુ આ આદેશને ફરી 2 અરજદારોએ અલ્હાબાદમાં યાચિકા મૂકી. ત્યારે કહેવામાં આવ્યું હતું કે બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી…
ટ્વિટર બાદ ફેસબુકની પેરન્ટ કંપની ‘મેટા’એ આજે જોબ કટનો મહત્ત્વનો નિર્ણય લીધો છે. આજે મેટા પ્લેટફોર્મ ઇંકથી જાહેરાત કરવામાં આવી કે તે પોતાના 13 ટકા એટલે કે 11,000થી વધુ કર્મચારીને નોકરીમાંથી ‘આઉટ’ કરવા જઇ રહી છે. ફેસબુકની પેરન્ટ કંપની મેટાએ આજે જાહેરાત કરી છે કે નિરાશાજનક કમાણી અને રેવન્યુમાં ઘટાડાના કારણે 11,000 કર્મચારીઓને નોકરીમાંથી દુર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. છેલ્લા થોડા દિવસોમાં ટેક વર્લ્ડમાં બહોળા પ્રમાણમાં નોકરીમાંથી કર્મચારીઓને છુટા કરવાના કિસ્સા સામે આવ્યા છે. આ અગાઉ વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામમાંથી પણ કર્મચારીઓને છુટા કરવામાં આવ્યા હતા. કંપનીના માલિક માર્ક ઝકરબર્ગે કહ્યુ કે ફેસબુકની પેરન્ટ કંપની મેટા પોતાના 11,000થી વધુ સ્ટાફને…
યુક્રેન સંઘર્ષની વચ્ચે બે દિવસ રશિયાની યાત્રા પર ગયેલા ભારતીય વિદેશી મંત્રી એસ જયશંકર પર હાલ વિશ્વની નજર હતી અને હવે અમેરિકાના વિદેશ વિભાગની પ્રતિક્રિયા સામે આવી છે. પ્રવક્તા નેડા પ્રાઈસે જયશંકરની પ્રશંસા કરતા કહ્યું છે કે રશિયાએ યુક્રેનનું યુદ્ધ રોકવા માટે ભારતનો સંદેશ સાંભળવો જોઈએ. તેમણે કહ્યું કે રશિયાએ ભારતની સ્ટ્રેટેજી સમજવી જોઈએ. ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર અને રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ વચ્ચે મોસ્કોમાં થયેલી મંત્રણાના જવાબમાં નેડ પ્રાઈસે કહ્યું કે પાછલા મહિનાઓમાં અમે ભારતીય વિદેશ મંત્રાલય સાથે ઘણી વાતચીત કરી છે. અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન પણ એસ જયશંકરને મળ્યા છે. નેડ પ્રાઈસે કહ્યું કે ભારતે…
ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ રાજ્યભરમાં આચારસંહિતા લાગુ થઇ ગઇ છે. જેને લઇ તંત્ર હરકતમાં આવ્યું છે. રાજકોટમાં વિવિધ કમિટીનાં ચેરમેન સહિત તમામ પદાધિકારીઓની ગાડી જમા કરવા આદેશ કરાયો છે. આ સાથે જ શહેરમાં લાગેલા સરકારના પોસ્ટરો હટાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવ્યાં છે.આ સાથે જ એરપોર્ટ પર પણ ટીમ એક્ટીવ કરી દેવામાં આવી છે. જેથી પોલીસની નજર હેઠળથી કોઈ બચી ન શકે. રાજકોટમાં ચૂંટણીની આચારસંહિતાની અસર બજારમાં દેખાવાની શરૂ થઈ ગઈ છે. પોલીસ દ્વારા ફેક ન્યૂઝ ફેલાવનારા પર બાજ નજર રાખવામાં આવી રહી છે.આચારસહિતા એટલે કે SOP મુજબ ચૂંટણી સેલની રચના કરવામાં આવી છે.સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં પણ સોશિયલ મીડિયા પર દેખરેખ રાખવામાં આવી રહી છે. ચૂંટણી આવે અને ચૂંટણી પુરી થાય ત્યાં સુધીમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને સોશિયલ મીડિયામાં ખોટી ખબરો ન ફેલાઈ તે માટે સાઈબર ક્રાઈમ પોલીસ દ્વારા ખાસ સેલની રચના કરવામાં આવી છે. જે તમામ ગતિવિધઓ પર બાજ નજર રાખી રહ્યાં છે. જેથી કોઈ ઘટના ન બને. આ ટીમ PSI સાથેની ટીમ છે. વોટ્સએપ સહિતના મેસેજ અને સોશિયલ મીડિયા પર નજર રાખવામાં આવશે.આખી ટીમ શિફ્ટવાઈઝ કામ કરી રહી છે.ચૂંટણી ટીમની અલગ ટીમ છે, સોશિયલ મીડિયા માટેની અલગ ટીમ છે. બંને ટીમ પોતપોતાની રીતે કામ કરી રહી છે. તમને જણાવી દયે કે રાજકોટમાં આચારસહિંતા લાગુ થાય તે પહેલા જ તંત્ર દ્વારા પેરામિલેટ્રી ફોર્સ ઉતારી દેવામાં આવી હતી. જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને.રાજ્યમાં આચારસંહિતા લાગુ પડતા જ માહોલ ઇલેક્શનમય બની ગયો છે પરંતુ આ દરમિયાન આવકવેરા વિભાગની 4 ટીમ એક્ટિવ થઈ જતા વેપારીઓએ રોકડની અવરજવર વખતે ખાસ તકેદારી જરૂરી રહેશે. પોલીસ દ્વારા બનાવવામાં આવેલી દરેક ટીમ કોઈ શંકાસ્પદ ગતિવિધિ હોય અને રકમ ઓછી હોય તો પણ તપાસ કરશે.મળતી માહિતી અનુસાર આચારસંહિતા લાગુ થતા જ રોકડની અવરજવરને લઈ ચૂંટણીપંચ એલર્ટ થઈ ગયું છે. કારણ કે આ દરમિયાન આવા બનાવો વધારે બને તેવી શક્યતા હોય છે.
બ્રિટન કોર્ટે કહ્યું કે, ‘નીરવનું પ્રત્યાર્પણ કોઇપણ રીતે અન્યાયપૂર્ણ કે દમનકારી નહીં હોય.’ કોર્ટે નિરવ મોદીને ભારત મોકલવાનાં મુદા્ને ગ્રીન સિગ્નલ આપ્યાં છે. ભારત લાંબા સમયથી નીરવ મોદીનાં પ્રત્યાર્પણની રાહ જોઇ રહ્યું હતું, પરંતુ બ્રિટનની શરણે બેઠેલી નીરવ મોદી એ એક્શનથી બચવા માટે વારંવાર નવા-નવા નુસ્ખા અજમાવતો હતો. બ્રિટન હાઇકોર્ટમાં નીરવનાં વકીલ જણાવી રહ્યાં છે કે તે ડિપ્રેશનનો શિકાર છે અને ભારત જેલમાં જેવી સ્થિતિ છે કે તે ત્યાં આપઘાત પણ કરી શકે છે. આ તર્કનાં આધારે જ તેનાં પ્રત્યાર્પણનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. પરંતુ હાઇકોર્ટે સુનાવણી બાદ નીરવ મોદીની યાચિકાને નામંજૂર કરી છે. Firestar ડાયમંડ કંપનીના સ્થાપક નીરવ…
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ઢોલ વાગી રહ્યા છે. તેવામાં સત્તાધારી ભાજપ પક્ષ દ્વારા હજુ સુધી ઉમેદવારોની જાહેરાત કરવામાં ન આવતા સત્તાવાર મહોર અંગે સૌ કોઈની મીટ મંડાયેલી છે. હવે પ્રથમ ફેઝમાં 89 ઉમેદવારોની યાદી ભાજપ દ્વારા હવે ગમે તે ઘડીએ જાહેર કરવામાં આવી શકે છે. આ અંગે દિલ્લીમાં ભાજપનુ ઉમેદવારો માટે મંથન ચાલી રહ્યું છે. જેમાં વિધાનસભામાં મહિલા પ્રતિનિત્વ માટે હાઇકમાન્ડ સતર્ક બન્યું હોય તેવું જાણવા મળી રહ્યું છે. દિલ્હીથી BJP હાઈકમાન્ડે મહિલા ઉમેદવારોના નામ મંગાવ્યા છે. જેને લઇને પત્તું કપાવાના ડરથી અનેક નેતાઓમાં સળવળાટ ઉપડ્યો છે. ભાજપએ તાબડતોબ સ્ટ્રેટેજી બદલી આશરે 33 જિલ્લા અને 4 મનપામાં 1 બેઠક પર મહિલા ઉમેદવાર ફરજીયાત…
છત્તીસગઢમાં ફરી એકવાર મોટી કાર્યવાહી કરતા આવકવેરા વિભાગે આજે કોલસા અને સ્ટીલના વેપારીઓના ઘરે દરોડા પાડ્યા છે. IT વિભાગની ટીમે છત્તીસગઢની રાજધાની રાયપુર ઉપરાંત રાયગઢમાં આ દરોડા પાડ્યા છે. બંને શહેરોમાં કોલસા અને સ્ટીલના વેપારીઓના ત્યાં દરોડા પડ્યા છે. છત્તીસગઢમાં ગયા મહિને જ EDએ મોટા કોલસા કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. તે સમયે EDએ 3 IAS અધિકારીઓના ઘરે દરોડા પાડ્યા હતા. કોલસા કૌભાંડમાં IAS સમીર બિશ્નોઈ અને 2 ઉદ્યોગપતિઓ જેલમાં છે. બુધવારે સવારે આઈટીએ રાયગઢ આઈઆર સ્ટીલના માલિક સંજય અગ્રવાલના ઘર પર દરોડા પાડ્યા હતા, જેમાં કોલસાના વેપારી રાકેશ શર્મા, ગજાનંદ અને જય અંબે ટ્રાન્સપોર્ટરના માલિક જોગેન્દ્રના ભાઈ રાયપુરના ગોલ્ડન સ્કાયમાં…
હિમાચલ પ્રદેશના બિલાસપુરમાં મંગળવારે એક રોડ પર એક અલગ જ નજારો જોવા મળ્યો. અહીં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર પોતે બસને ધક્કો મારતા જોવા મળ્યા હતા. તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે, જેના પર ઘણા લોકો તેમના વખાણ કરી રહ્યા છે. હકીકતમાં, અહીં એક સાંકડા રસ્તા પર એક સરકારી બસ ખરાબ થઈ ગઈ હતી. જેના કારણે લાંબો ટ્રાફિક જામ થયો હતો. માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરનો કાફલો પણ આ જામમાં ફસાઈ ગયો હતો. જ્યારે ઠાકુર ફરી કારમાંથી નીચે ઉતર્યા અને આ જામનું કારણ જાણ્યું તો ખબર પડી કે મુસાફરોથી ભરેલી બસના બ્રેકડાઉનને કારણે ટ્રાફિક જામ છે.…
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ મંગળવારે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની પ્રશંસા કરી હતી. એક કાર્યક્રમમાં ગડકરીએ જણાવ્યું હતું કે, મનમોહન સિંહ દ્વારા 1991માં નાણાં પ્રધાન તરીકે શરૂ કરાયેલા આર્થિક સુધારાએ ભારતને નવી દિશા આપી કારણ કે તે ઉદાર અર્થતંત્રની શરૂઆત કરે છે. ગડકરી ‘TIOL એવોર્ડ્સ 2022’ સમારોહને સંબોધિત કરતાં કહ્યું હતું કે, ‘ભારતને ઉદાર આર્થિક નીતિની જરૂર છે, જેમાં ગરીબોને પણ ફાયદો થાય તે હેતુ હોય. 1991માં તત્કાલિન નાણામંત્રી મનમોહન સિંહ દ્વારા શરૂ કરાયેલા આર્થિક સુધારાએ ભારતને એક નવી દિશા આપી. આર્થિક સુધારા માટે દેશ તેમનો ઋણી રહેશે. હું 90ના દાયકામાં મહારાષ્ટ્રમાં મંત્રી હતો. અમે રસ્તાઓ બનાવવા માટે નાણાં એકત્ર કરવાનો…